1. Home
  2. Tag "Exam"

ધોરણ 10માં સ્ટાન્ડર્ડ ગણિતમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ બેઝિક ગણિતની પરીક્ષા આપી શકશે

ગાંધીનગરઃ  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર કરાયા બાદ જે વિદ્યાર્થીઓ સ્ટાન્ડર્ડ ગણિત વિષયમાં નાપાસ  થયા છે. અને નાપાસ થયેલા વિદ્યાર્થીઓ જો પૂરક પરીક્ષા આપવા લાયક હોય તેવા વિદ્યાર્થીઓ બેઝિક ગણિતમાં પરીક્ષા આપી શકશે. જેના માટે વિદ્યાર્થીઓએ પૂરક પરીક્ષા માટે ઓનલાઇન આવેદનપત્ર ભરતી વખતે સ્ટાન્ડર્ડ ગણિતને બદલે બેઝિક ગણિત […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા હવે નવા સત્રથી દરેક પરીક્ષાને લોકો ઓનલાઈન જોઈ શકશે

રાજકોટ :  સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા નવા શૈક્ષણિક સત્રથી તમામ પરીક્ષાઓના ખંડમાં સીસીટીવી કેમેરા કાર્યરત કરીને લોકો પરીક્ષાર્થીઓને પરીક્ષા આપતા જોઈ શકે તેવી વ્યવસ્થા ઊભી કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રયોગ સારો છે, અને અન્ય યુનિવર્સિટીઓ માટે પણ પ્રેરણરૂપ બની રહેશે. સૂત્રોના જણાવ્યા મુજબ નવા શૈક્ષણિક સત્રથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં લેવામાં આવતી દરેક પરીક્ષા […]

રાજસ્થાનઃ પોલીસ ભરતીની પરિક્ષા આપવા જઈ રહેલા 3 યુવાનોના ટ્રેનની અડફેટે મોત

નવી દિલ્હીઃ રાજસ્થાનમાં પોલીસ કોન્સ્ટેબલની ભરતીની પરીક્ષા આપવા નીકળેલા ત્રણ મિત્રોનું ટ્રેનની અડફેટે મોત થયું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે તમામ મૃતદેહ ક્ષતવિક્ષત થઈ ગયા હતા, આ ઘટના બાદ સમગ્ર સ્ટેશનમાં અફરા-તફરી મચી ગઈ હતી. અલવરના રાજગઢ સ્ટેશન વિસ્તારમાં આ દૂર્ઘટના સર્જાઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે રાજગઢ રેલ્વે સ્ટેશન પર ત્રણ પરીક્ષાર્થીઓ ડબલ […]

ગુજરાતઃ ધો-10 અને 12ની પરીક્ષાના પરિણામ માટે બોર્ડે તૈયારીઓ શરૂ કરી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે ચાલુ વર્ષે માર્ચ-2022માં ધો-10 અને 12ની પરીક્ષા યોજાઈ હતી. બોર્ડની પરીક્ષામાં 10 લાખથી વધારે વિદ્યાર્થીઓ બેઠા હતા. હાલ બોર્ડ દ્વારા પેપર મુલ્યાંકનની કામગીરી ચાલી રહી છે. દરમિયાન મે તથા જૂન મહિનામાં બોર્ડના પરિણામ જાહેર કરવામાં આવે તેવી શકયતા છે. જો કે, હજુ સુધી પરીણામ જાહેર કરવાની ચોક્કસ તારીખ જાહેર કરવામાં […]

પીએસઆઈ ભરતીની પ્રીલિમિનરી પરીક્ષાનું પરિણામ જાહેર, 4311 ઉમેદવારો ક્વોલીફાઈડ

અમદાવાદઃ રાજ્યમાં ઉમેદવારો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે પીએસઆઈની ભરતી માટેની પ્રીલિમરી પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે. 6 માર્ચના રોજ યોજાયેલી પ્રીલિમિનરી પરીક્ષામાં અંદાજે 96 હજાર જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જેમાંથી 4311 જેટલા ઉમેદવારોને સિલેક્ટ કરાયા છે. પીએસઆઈની ભરતી માટેની પ્રીલિમિનરી પરીક્ષાનું પરિણામ જાહેર થતા જ ગણતરીની મિનિટોમાં https://પીએસઆઈrbgujarat2021.in/ વેબસાઈટ ક્રેશ […]

આજથી CBSCની ધોરણ 10માંની બોર્ડની પરિક્ષાનો આરંભ – કોરોનાને લઈને સાવચેતીના પગલા લેવાશે

સીબીએસઈની બોર્ડની પરિક્ષાનો આજથી આરંભ એક વર્ગમાં માત્ર 18 વિદ્યાર્થીઓ બેસસે કોરોનાને લઈને તકેદારી રાખવામાં આવશે દિલ્હીઃ- દેશભરમાં આજરોજને મંગળવારથી સીબીએસઈના ટર્મ 2 નું 10મા ધોરણનું પેઈન્ટિંગ, ગુરુંગ, શેરપા અને થાઈ ભાષાનું પેપર છે. આ સાથે જ મુખ્ય વિષય અંગ્રેજીનું પેપર આવતી કાલે 27 એપ્રિલે લેવામાં આવશે એટલે કે મેઈન વિષયની એક્ઝામ આવતી કાલથી શરુ […]

ગુજરાતમાં ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષામાં 78 લાખમાંથી 60 લાખ ઉત્તરવહીની ચકાસણી પૂર્ણ

અમદાવાદઃ ગુજરાતમાં માર્ચ મહિનામાં ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષા યોજાઈ હતી. ધો-10માં 9 લાખ જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જ્યારે ધો-12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહમાં લાખો વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આમ શિક્ષણ બોર્ડ દ્વારા નિર્ધારિત સમય અનુસાર પરીક્ષા લેવામાં આવી હતી. તેમજ હાલ ઉત્તરવહીની ચકાસણીનું કામ ચાલી રહ્યું છે. લગભગ 78 લાખ ઉત્તરવહી પૈકી […]

વિદ્યાર્થીની પેપર ચેકરને કરી વિનંતી, મારી સગાઇ હતી એટલે મેં વાંચ્યું નથી સાહેબ મને પાસ કરજો !

અમદાવાદઃ રાજ્યમાં હાલ સ્કૂલ-કોલેજમાં પરીક્ષાઓ ચાલી રહી છે. તાજેતરમાં જ ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષા પૂર્ણ થઈ છે. દરમિયાન ગુજરાત યુનિવર્સિટીની બી.કોમની પરીક્ષામાં એક વિધાર્થીની ઉત્તરવહી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. જેમાં વિદ્યાર્થીએ પેપર તપાસનાર શિક્ષક પાસે વિચિત્ર રજૂઆત કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર કોલેજની પરીક્ષાઓના પેપરમાં ઘણા વિદ્યાર્થીઓ પ્રશ્નોના જવાબ આપવાને બદલે એવી વિચિત્ર […]

CBSE ધો-10 અને 12ની પરીક્ષા મુદ્દે મહત્વનો નિર્ણય, સિંગલ પરીક્ષા પેટર્ન પુનઃસ્થાપિત કરાશે

નવી દિલ્હીઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે CBSEની ધો-10 અને 12ની ટર્મ-2ની આગામી દિવસોમાં પરીક્ષા યોજાશે. જેને લઈને CBSE દ્વારા તૈયારીઓને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે. દરમિયાન ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષા વર્ષમાં એક વાર યોજનાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આમ બે ટર્મ પોલીસી નાબુદ કરવાનો નિર્ણય લેવાયો છે. તા. 26મી એપ્રિલથી […]

Education: પરીક્ષામાં ઉત્સાહ હોય તો સારું પરીણામ આવી શકે છે

શિક્ષણ નિષ્ણાતો દ્વારા તમામ વિદ્યાર્થીઓને સલાહ  “આત્મવિશ્વાસ રાખો અને ઉત્સાહિત રહો” ઉત્સાહ હોય તો સારું પરીણામ અપાવી શકે છે “આત્મવિશ્વાસ રાખો અને ઉત્સાહિત રહો” – શિક્ષણ નિષ્ણાતો દ્વારા તમામ વિદ્યાર્થીઓને આપવામાં આવેલી આ સૌથી મહત્વપૂર્ણ સલાહ છે. ભારે અને સખત તૈયારી કર્યા પછી, પરીક્ષામાં કેટલાક વિદ્યાર્થીઓએ આત્મવિશ્વાસ ગુમાવતા હોય છે જેના કારણે પરિણામ તેમનું ધાર્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code