1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ધોરણ 10માં સ્ટાન્ડર્ડ ગણિતમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ બેઝિક ગણિતની પરીક્ષા આપી શકશે
ધોરણ 10માં સ્ટાન્ડર્ડ ગણિતમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ બેઝિક ગણિતની પરીક્ષા આપી શકશે

ધોરણ 10માં સ્ટાન્ડર્ડ ગણિતમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ બેઝિક ગણિતની પરીક્ષા આપી શકશે

0
Social Share

ગાંધીનગરઃ  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર કરાયા બાદ જે વિદ્યાર્થીઓ સ્ટાન્ડર્ડ ગણિત વિષયમાં નાપાસ  થયા છે. અને નાપાસ થયેલા વિદ્યાર્થીઓ જો પૂરક પરીક્ષા આપવા લાયક હોય તેવા વિદ્યાર્થીઓ બેઝિક ગણિતમાં પરીક્ષા આપી શકશે. જેના માટે વિદ્યાર્થીઓએ પૂરક પરીક્ષા માટે ઓનલાઇન આવેદનપત્ર ભરતી વખતે સ્ટાન્ડર્ડ ગણિતને બદલે બેઝિક ગણિત વિષય પસંદ કરીને આવેદનપત્ર ઓનલાઇન જમા કરાવવાનું રહેશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 અને 12ના સાયન્સ અને સામાન્ય પ્રવાહના પરીણામો જાહેર કરાયા છે. ધોરણ-10 અને ધોરણ-12 માં બે વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા આગામી જુલાઇ-2022 માસમાં લેવાની કામગીરી શરૂ કરી દીધી છે. ત્યારે ધોરણ 10માં સ્ટાન્ડર્ડ ગણિત વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને શિક્ષણ બોર્ડે નિર્ણય લીધો છે. જેમાં સ્ટાન્ડર્ડ ગણિતમાં નાપાસ વિદ્યાર્થી પૂરક પરીક્ષામાં બેઝિક ગણિતમાં પરીક્ષા આપી શકશે. તેના માટે શિક્ષણ બોર્ડના પૂરક પરીક્ષા માટે નિયત કરેલા નિયમોનું પાલન કરવામાં આવશે. જેમ કે સ્ટાન્ડર્ડ ગણિત સાથે બે જ વિષયમાં નાપાસ હોય અને પૂરક પરીક્ષા આપવા લાયક હોય તેવા વિદ્યાર્થીઓને જ આનો લાભ આપવામાં આવશે. જોકે જે વિદ્યાર્થી માત્ર સ્ટાન્ડર્ડ ગણિતમાં જ નાપાસ થયો હોય તેને પણ પૂરક પરીક્ષામાં બેઝિક ગણિતમાં પરીક્ષા આપવાની તક મળશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ધોરણ-10માં બેઝિક ગણિતમાં પાસ થયા હોય અને ધોરણ-11 સાયન્સમાં એ-ગૃપ કે એબી ગૃપમાં પ્રવેશ લેવા ઇચ્છતા હોય તેવા વિદ્યાર્થીઓ પણ બેઝિક ગણિતની પૂરક પરીક્ષા આપી શકશે. તેના માટે શિક્ષણ બોર્ડે પૃથ્થક ઉમેદવાર તરીકે પૂરક પરીક્ષા આપવાની વ્યવસ્થા શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવી છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code