1. Home
  2. Tag "farmers"

દેશમાં ચાલુ વર્ષે 260 લાખ મેટ્રીક ટન ઘઉંની ખરીદી, ખેડૂતોને રૂ. 47000 કરોડનો ફાયદો

નવી દિલ્હીઃ ચાલુ રવી માર્કેટિંગ સિઝન (RMS) 2023-24 દરમિયાન ઘઉંની ખરીદી સરળતાથી આગળ વધી છે. ચાલુ સિઝનમાં 30મી મે સુધી ઘઉંની પ્રગતિશીલ ખરીદી 262 લાખ મેટ્રિક ટન (LMT) છે જે ગયા વર્ષની 188 LMT ની કુલ ખરીદીથી 74 LMT વધુ છે. આશરે રૂ. 47,000 કરોડના લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) આઉટફ્લો સાથે ચાલી રહેલી ઘઉંની ખરીદીની […]

સીમાવર્તી ગામોમાં ખેડૂતો અન્નદાતાની સાથે સીમાના પ્રહરી પણ છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

અમદાવાદઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ બનાસકાંઠા જિલ્લાના પાકિસ્તાનની સરહદને અડીને આવેલા સૂઈગામ તાલુકાના સીમાવર્તી ગામો પાટણ, ભરડવા, સૂઈગામ, બોરુ, મસાલી અને માધપુરાની મુલાકાત લીધી હતી. રાજ્યના કોઈ રાજ્યપાલ બનાસકાંઠા જિલ્લાના આ અંતરિયાળ ગામોની મુલાકાતે આવ્યા હોય એવી આ પ્રથમ ઘટના હશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આ તમામ ગામોમાં ગ્રામજનો સાથે સીધો સંવાદ કર્યો હતો. દેશના અન્ય ભાગોમાં […]

ગુજરતમાં અત્યાર સુધીમાં ૪.૪૯ લાખ ખેડુતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી

અમદાવાદ: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ખરીફ સીઝન પહેલાં વધુમાં વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી પદ્ધતિની તાલીમ આપવા અનુરોધ કર્યો છે. પહેલી મેથી 10-10 ગામોના ક્લસ્ટર્સમાં ખેડૂતોને તેમના ગામમાં જઈને ઘર આંગણે તાલીમ આપવામાં આવી રહી છે. મે 2023ના પહેલા અઠવાડિયામાં આ રીતે 1,33,972 ખેડૂતોને પ્રાકૃતિક ખેતી પદ્ધતિની તાલીમ આપવામાં આવી છે. ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીની સ્થિતિની સમીક્ષા માટે […]

બીજ નિગમ દ્વારા બિયારણ માટે ખરીદાતા પાકના ખેડુતોને પુરતા ભાવ આપવા કૃષિમંત્રીની સુચના

ગાંધીનગરઃ ગુજરાત બીજ નિગમ દ્વારા ખેડુતોને પ્રામાણિત કરેલું બિયારણ આપવામાં આવે છે. બિયારણ માટે જીરૂ, મગફળી, દીવેલા, સહિતનો પાક ખેડુતો પાસેથી ખરીદવામાં આવે છે. પરંતુ ખેડુતો પાસેથી  જે ફસલ ખરીદવામાં આવે છે. તેના બીજ નિગમ દ્વારા પુરતા ભાવ અપાતા નહીં હોવાની ફરિયાદો ઊઠી છે. આથી રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા બીજ નિગમના અધિકારીઓને બોલાવીને ખેડુતોને […]

ભારતીય કપાસ નિગમ લિમિટેડએ ટેકાના ભાવે કપાસની ખરીદી,ખેડૂતોમાં ખુશીનો માહોલ

દિલ્હી : ભારતીય કપાસ નિગમ લિમિટેડ (CCI) એ ન્યૂનતમ ટેકાના ભાવ (MSP) હેઠળ કપાસની ખરીદીની કામગીરી હાથ ધરવા માટે ભારત સરકારની કેન્દ્રીય નોડલ એજન્સી છે. આ ન્યૂનતમ ટેકાના ભાવની (MSP) યોજના કપાસના ખેડૂતોને તેમના વાજબી સરેરાશ ગુણવત્તા (FAQ) ગ્રેડના કપાસને કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલ ન્યૂનતમ ટેકાના (MSP) દરો પર વેચવા માટે વૈકલ્પિક માર્કેટિંગ પ્રણાલી […]

ખેડુતોને ખરીફ પાકના બિયારણની ખરીદી માટે વધુ સાવચેતી રાખવા સરકારની અપીલ

ગાંધીનગરઃ  ગુજરાતમાં ચોમાસાના વિધિવત આગમનને હવે દોઢ મહિના જેટલો સમય બાકી છે. ત્યારે ખેડુતોએ ખરીફ પાકના વાવણા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. મોટાભાગના ખેડુતો વાવણીના પખવાડિયા પહેલા જ બિયારણની ખરીદી કરી લેતા હોય છે. કૃષિ પાક માટે કેવું બિયારણ છે. તે મહત્વનું હોય છે. ઘણા ખેડુતોને કેટલાક વેપારીઓ દ્વારા હલકી કક્ષાનું બિયારણ પધરાવી દેવામાં […]

ખેડૂતોને ખરીફ ઋતુ માટે ગુણવત્તા યુક્ત બીયારણો સમયસર મળી રહેશેઃ રાઘવજી પટેલ

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર  પટેલના માર્ગદર્શનમાં ગુજરાતના ખેડૂતોને ખરીફ-2023 ઋતુ માટે ગુણવત્તા યુક્ત બીયારણોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા તેમજ બીયારણ સમયસર મળી રહે તે માટે રાજ્યના કૃષિ વિભાગ દ્વારા આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે તેમ કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલે જણાવ્યું હતું. ગુજરાતમાં ખરીફ ઋતુ માટે ગુણવત્તાયુક્ત બીયારણ ખેડૂતોને સમયસર મળી રહે તે માટે કૃષિ મંત્રી રાઘવજી પટેલની […]

દેશના બાયોટેક કિસાન યોજના હેઠળ 1.60 લાખ ખેડૂતોને લાભ મળ્યો

નવી દિલ્હીઃ દેશમાં ખેડૂતોની આવકમાં વધારો થાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. ખેડૂતોને આર્થિક સહાયની સાથે તેમના પાકને પુરતા ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવે ઘઉં, ચોખા, કપાસ, કઠોળ અને મગફળી  સહિતના પાકની ખરીદી કરવામાં આવે છે. દરમિયાન દેશના 1.60 લાખ ખેડૂતોને બાયોટેક કિસાન યોજના હેઠળ લાભ મળ્યો […]

ધ્રોલ માર્કેટીંગ યાર્ડમાં ચણા-રાયડા ખરીદ કેન્દ્રની કૃષિમંત્રીએ મુલાકાત લીધી, ખેડૂતોની સમસ્યા સાંભળી

અમદાવાદઃ રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, ગ્રામ ગૃહ નિર્માણ, મત્સ્ય ઉદ્યોગ તથા ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે ધ્રોલ માર્કેટિંગ યાર્ડ ખાતે ચાલતા ચણા તથા રાયડા ખરીદ કેન્દ્રની મુલાકાત લઇ ખરીદ-વેંચાણ વ્યવસ્થાઓની ચકાસણી કરી હતી. મંત્રીએ ચણા તથા રાયડાની થયેલ આવક, થયેલ નોંધણી, ખેડૂતોને ચૂકવવામાં આવતી રકમ વગેરેની તલસ્પર્શી વિગતો મેળવી હતી તેમજ માર્કેટિંગ યાર્ડની […]

બાયોમાસ પેલેટ્સનો ઉપયોગથી રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં પ્રદૂષણ ઘટાશે અને ખેડૂતોની આવક વધશેઃ કેન્દ્રીય ઉર્જા રાજ્ય મંત્રી

નવી દિલ્હીઃ ઉર્જા મંત્રાલય, નેશનલ મિશન ઓન યુટિલાઈઝેશન ઓફ બાયોમાસ ઇન થર્મલ પાવર પ્લાન્ટ્સ (SAMARTH) અને નેશનલ પાવર ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટ (NPTI)ના નેજા હેઠળ નવી દિલ્હીમાં બાયોમાસ “3P- પેલેટ્સ ટુ પાવર ટુ પ્રોસ્પરિટી” પર રાષ્ટ્રીય પરિષદનું આયોજન કર્યું હતું. કોન્ફરન્સનો ઉદ્દેશ્ય ભારતમાં થર્મલ પાવર પ્લાન્ટ્સમાં બાયોમાસ પેલેટ્સના સહ-ફાયરિંગને પ્રોત્સાહન આપવાનો તેમજ આ ક્ષેત્રના તમામ હિતધારકોને બાયોમાસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code