1. Home
  2. Tag "farmers"

બનાસકાંઠાના વડગામ અને પાલનપુર તાલુકાના ખેડુતોની પાણીના પ્રશ્ને મહારેલી યોજાશે

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ છે. જિલ્લાના ડેમો અને જળાશયોમાં પાણીનો જથ્થો સરેરાશ 10થી 12 ટકા જ બચ્યો છે. સરકાર દ્વારા નર્મદા યોજનાથી બનાસકાંઠાના ડેમો અને જળાશયોમાં પાણી ઠાલવવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું પણ એનો અમલ થયો નથી, ત્યારે પાલનપુર અને વડગામના ખેડુતોએ કરમાવાદ તળાવ અને મુક્તેશ્વર ડેમમાં નર્મદાનું પાણી […]

મધમાખી ઉછેરથી નાના ખેડૂતોને મહત્તમ લાભ આપવાની મોદી સરકારની તૈયારી, હજારો ખેડૂતોને ફાયદો થવાની સંભાવના

દિલ્હી :કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા રાજ્યના નર્મદા જિલ્લામાં એકતા નગર, ટેન્ટ સિટી-૨ ખાતે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરના અધ્યક્ષપદે અને કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી કૈલાશ ચૌધરી અને શોભા કરંદલાજેની પ્રેરક ઉપસ્થિતિમાં “વિશ્વ મધમાખી દિવસ ”ની ઉજવણીના કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મુકાયો હતો. કેન્દ્રીય કૃષિ […]

ખરીફ સિઝન પહેલા ખેડૂતોને ખાતરનો પુરવઠો સુનિશ્ચિત કરવા પગલાં લેવાયાઃ ડો. માંડવિયા

નવી દિલ્હીઃ પીએમ મોદીની આગેવાની હેઠળની સરકાર ગરીબ તરફી અને ખેડૂત તરફી છે અને ખેડૂતોને ખાતરનો ખાતરીપૂર્વક પુરવઠો આપવા માટે પ્રતિબદ્ધ છે. દેશમાં ખાતરની કોઈ અછત નથી. તેમ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને રસાયણ અને ખાતર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, “અમે સ્થાનિક ઉત્પાદનમાં વધારો કરીને અને અન્ય દેશો સાથેની […]

સૌરાષ્ટ્રના તમામ માર્કેટયાર્ડમાં હવે ડુંગળી વેચનારા ખેડૂતોને પ્રતિ કિલોએ રૂ.2ની આર્થિક સહાય મળશે

ગાંધીનગરઃ સૌરાષ્ટ્રમાં ડુગળીનું સારૂએવું ઉત્પાદન થયુ છે. પણ ખેડુતોને પુરતા ભાવ ન મળતા તેમની હાલત કફોડી બની હતી. અને પોષણક્ષણ ભાવ આપવા ખેડુતોએ માગણી કરી હતી. આથી રાજ્ય સરકારે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓના માર્કેટ યાર્ડ્સમાં ડુંગળી વેચવા માટે આવનારા ખેડુતોને પ્રતિકિલોએ રૂપિયા બેની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, […]

ખેડૂતોને વ્યાજ સહાયનો કોઈ બોજો ન પડે તે માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય

અમદાવાદઃ રાજ્યના ખેડૂતોને વ્યાજ સહાયનો કોઈ બોજો ન પડે તે માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે રૂ.500 કરોડના રિવોલ્વીંગ ફંડ ઉપરાંત વધુ રૂ.135 કરોડનો ઉમેરો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યુ હતું કે, રાજ્ય સરકારની નીતિ અનુસાર રાજ્યના સમયસર ધિરાણ પરત ભરપાઇ કરતાં ખેડૂતોને રૂ. 3 લાખ સુધીનું પાક […]

ગુજરાતમાં ખેડૂતોને માટે ખૂશખબર, હવે વગર વ્યાજે પાક ધીરાણ અપાશેઃ કૃષિ મંત્રીની જાહેરાત

ગાંધીનગરઃ ગુજરાતના ખેડુતોને વગર વ્યાજે પાક ધિરાણ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. ખેડુતોને પાક માટે જે ધિરાણ મેળવ્યું હશે તે ધિરાણનું વ્યાજ સરકાર ભાગવશે. રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે ગાંધીનગરમાં જાહેરાત કરી હતી. રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોને વગર વ્યાજે પાક ધિરાણ મળશે ખેડૂતોને વ્યાજ ન ભરવું પડે તે માટે […]

ખેડૂતોએ ટામેટા મોંઘા થવાની આપી ચેતવણી, જાણો તે પાછળનું કારણ

લીંબુ બાદ ટામેટા મોંઘા થવાની સંભાવના ખેડૂતોએ આપી આ બાબતે ચેતવણી જાણો શું છે તે પાછળનું કારણ અમદાવાદ:હાલના સમયમાં લીંબુના ભાવ એટલા વધી ગયા છે કે તે કોઈને પોસાય તેમ નથી. લીંબુના ભાવ કેમ વધી ગયા છે તેની પાછળનું સટીક કારણ જાણવા મળ્યું નથી પણ હવે ખેડૂતો દ્વારા એવી પણ ચેતવણી આપવામાં આવી છે કે […]

દિયોદરની સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ કરાતા ખેડૂતોએ મામલતદાર કચેરીએ નારા લગાવ્યા

પાલનપુરઃ ઉનાળાના પ્રારંભથી જ બનાસકાંઠામાં પાણીનો કકળાટ શરૂ થયો છે. જિલ્લાના જળાશયોમાં પાણીનો 10 ટકા જથ્થો બચ્યો નથી. બીજીબાજુ સુઝલામ-સુફલામની કેનાલોમાં પાણી આપવાનું બંધ કરાતા ખેડુતો વિરોધ કરી રહ્યા છે. ઉનાળામાં જયાં પાકને પાણીની જરૂર હોય ત્યાં જ કેનાલમાં પાણી બંધ કરવામાં આવતા સિંચાઈ વિભાગ સામે ખેડૂતો લાલઘૂમ થયા છે.મોટી સંખ્યામાં ખેડૂતોએ ભેગા થઈને ઢોલ […]

ડુંગળી ખેડુતોને રડાવી રહી છે, પડતર કિંમત પણ ન ઉપજતા ખેડુતો મુશ્કેલીમાં મુકાયાં

ભાવનગર : ગોહિલવાડ પંથકમાં તળાજા અને મહુવા વિસ્તારમાં ડુંગળીનો સારોએવો પાક થાય છે. આ વર્ષે સારા ભાવ મળશે તેવી આશાએ ખેડુતોએ ડુંગળીનું સારૂએવું વાવેતર કર્યું હતું. હવે ડુંગળીનો પાક તૈયાર થઈ ગયો છે,ત્યારે ડુંગળીના ભાવ તળીયે બેસી જતા ખેડુતોને રડવાનો વારો આવ્યો છે. ભાવનગર અને મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ ગગડી રહ્યા છે. 250 થી 300 […]

ખેડુતોને આઠ કલાક વીજળી ન અપાતા સત્યાગ્રહ, ખેડુતોના સમર્થનમાં દીઓદર બંધ રહ્યું

પાલનપુર : ઉત્તર ગુજરાતમાં બોર-કૂવામાં પાણી હોવા છતાં ખેડુતો વીજળીના અભાવે સિચાઈ કરી શક્તા નથી. ખેડુતોને પુરા આઠ કલાક પણ વીજળી અપાતી નથી. ગાંધીનગરમાં ગઈકાલે કોંગ્રેસે વિધાનસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો, ભારતીય કિસાન સંઘ દ્વારા પણ રેલી કાઢવામાં આવી હતી. મુખ્યમંત્રીને રજુઆતકર્યા બાદ પણ પુરા 6 કલાક પણ વીજળી મળતી નથી. જેમાં બનાસકાંઠામાં  છેલ્લા કેટલાય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code