1. Home
  2. Tag "farmers"

ડુંગળી ખેડુતોને રડાવી રહી છે, પડતર કિંમત પણ ન ઉપજતા ખેડુતો મુશ્કેલીમાં મુકાયાં

ભાવનગર : ગોહિલવાડ પંથકમાં તળાજા અને મહુવા વિસ્તારમાં ડુંગળીનો સારોએવો પાક થાય છે. આ વર્ષે સારા ભાવ મળશે તેવી આશાએ ખેડુતોએ ડુંગળીનું સારૂએવું વાવેતર કર્યું હતું. હવે ડુંગળીનો પાક તૈયાર થઈ ગયો છે,ત્યારે ડુંગળીના ભાવ તળીયે બેસી જતા ખેડુતોને રડવાનો વારો આવ્યો છે. ભાવનગર અને મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ ગગડી રહ્યા છે. 250 થી 300 […]

ખેડુતોને આઠ કલાક વીજળી ન અપાતા સત્યાગ્રહ, ખેડુતોના સમર્થનમાં દીઓદર બંધ રહ્યું

પાલનપુર : ઉત્તર ગુજરાતમાં બોર-કૂવામાં પાણી હોવા છતાં ખેડુતો વીજળીના અભાવે સિચાઈ કરી શક્તા નથી. ખેડુતોને પુરા આઠ કલાક પણ વીજળી અપાતી નથી. ગાંધીનગરમાં ગઈકાલે કોંગ્રેસે વિધાનસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો, ભારતીય કિસાન સંઘ દ્વારા પણ રેલી કાઢવામાં આવી હતી. મુખ્યમંત્રીને રજુઆતકર્યા બાદ પણ પુરા 6 કલાક પણ વીજળી મળતી નથી. જેમાં બનાસકાંઠામાં  છેલ્લા કેટલાય […]

ગુજરાતમાં ખેડુતોને સિંચાઈ માટે પુરા આઠ કલાક વીજળી આપવાની માગ સાથે ટ્રેકટર રેલી યોજાશે

ગાંધીનગરઃ રાજ્યમાં રવિ સીઝન પૂર્ણ થઈ ગઈ છે. જે વિસ્તારમાં સિંચાઈની સુવિધા છે તેવા ખેડુતો ઉનાળુ પાકની વાવણી કરી રહ્યા છે. હાલ સિચાઈ માટેના પાણીની ખાસ જરૂર છે, પરંતુ વીજળીના ધાંધિયાને કારણે ખેડુતો બોર-કૂવાઓમાં પાણી હોવા છતાં સિંચાઈ કરી શક્તા નથી.  ખેતી માટે આઠ કલાક વીજળી નહી આપતા ખેડુતો લડી લેવાના મુડમાં હોય તેમ લાગી […]

ભારત માલા એક્સપ્રેસ હાઈવે માટે જમીન સંપાદન મામલે થરાદના પાંચ ગામના ખેડુતોનો વિરોધ

થરાદઃ કેન્દ્ર સરકાર દ્વારા ભારતમાલામાંથી એક્સપ્રેસ હાઇવેને જોડતા સિક્સલેન લિંક રોડનું જાહેરનામું બહાર પાડીને જમીન સંપાદન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેના સામે વાંધો દર્શાવી કાયમી ધોરણે જમીન સંપાદન કરવા સામે વાંધો દર્શાવી થરાદ તાલુકાના પાંચ ગામોના ખેડુતોએ જાહેરનામું રદ કરવાની માંગણી કરી હતી. ખેડુતોએ તેમની મહામુલી જમીન કપાત થવાની બિનખેડુત થઇ જવાનો ભય […]

અરવલ્લી જિલ્લામાં બટાકાના ઉત્પાદનમાં વિઘાદીઠ ઉતારો ઓછો આવતા ખેડુતો ચિંતિત

મોડાસાઃ  અરવલ્લી જિલ્લામાં બટાકાનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે. મોટેભાગે વેફર બનાવવામાં વપરાતા એલ.આર. બટાકાના વાવેતર બાદ ચાલુ વર્ષે ખેડૂતોને વિઘાદીઠ 40થી 50 મણનો ઉતારો ઓછો મળતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ અરવલ્લી જિલ્લામાં ખેડૂતોએ બટાકા કાઢવાની શરૂઆત કરી દીધી છે. જિલ્લાના મોડાસા, ધનસુરા, બાયડ સહિત જિલ્લાભરના તાલુકાઓમાં ખેડૂતોએ વાવેલા બટાકાનો […]

ભાવનગર યાર્ડમાં ડુંગળીના ભાવ ઘટતા ખેડુતોને ખર્ચ કરેલા રૂપિયા પણ પરત મળતા નથી

ભાવનગરઃ ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી હાલ તો ભાવ ઘટતા ખેડુતોને રડાવી રહ્યા છે. ભાવનગર માર્કેટ યાર્ડમાં ડુંગળી ભાવ તળીયે જતાં ખેડુતોની સ્થિતિ કફોડી બની છે.  સમગ્ર ગુજરાતમાં ભાવનગર જિલ્લામાં સૌથી વધુ ડુંગળીનું ઉત્પાદન થાય છે. હાલમાં ડુંગળીના વાવેત્તર બાદ હાલ ધીરેધીરે ડુંગળી તૈયાર થઈને ભાવનગર અને મહુવા યાર્ડમાં વેચાવા આવી રહી છે. આ વર્ષે ડુંગળીના […]

ગુજરાત બજેટ, ખેડુતો માટે પણ આકર્ષક જાહેરાતો, પાક કૃષિ યોજના માટે રૂ.2310 કરોડ ફાળવાયાં

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આઠ મહિના જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે સરકારે બજેટમાં ખેડુતો માટેની અનેક યોજનાની જાહેરાત કરી હતી. જેમાં પાક કૃષિ વ્યવસ્થાની વિવિધ યોજનાઓ માટે રૂ.2310 કરોડની જાગવાઈ કરવામાં આવી છે. તેમજ ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા યોજના અંતર્ગત જોગવાઇ રૂ. 81 કરોડ ફાળવવામાં આવશે. ઉપરાંત મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અંતર્ગત ખેતરમાં નાના ગોડાઉન […]

બનાસકાંઠામાં પાણીના પ્રશ્ને ખેડુતોની મૌન રેલીમાં કોંગ્રેસના ધારાસભ્યો જોડાયા, કલેકટરને આવેદનપત્ર

પાલનપુરઃ ઉનાલાના આગમન સાથે જ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પાણીની સમસ્યા ઊભી થઈ છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં લોકો પાણીની વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આથી પીવાના પાણીથી લઇ સિંચાઇના પાણી માટે આજે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો અને કોંગ્રેસના ધારાસભ્યોએ 5 કીલોમીટર સુધી મૌન રેલી યોજી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.. બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષ અપુરતા […]

ગુજરાતમાં ખેડુતો માટે એક સમાન વીજદર લાગુ કરવા ભારતીય કિશાન સંઘનું સરકારને અલ્ટિમેટમ

અમદાવાદઃ ભાજપની ભગીની સંસ્થા ભારતીય કિસાન સંઘે પણ સરકાર સામે મોરચો ખોલવાનું નક્કી કર્યું છે. ભારતીય કિસાન સંઘે રાજ્યમાં ખેડૂતો ને એકસમાન વીજદર  લાગુ કરવાની જર્ક તથા ગુજરાત સરકાર સમક્ષ માગણી કરી છે. કિસાન સંઘનું કહેવું છે કે અત્યારે ખેડૂતોને હોર્સપાવર દીઠ ઉચ્ચક દર અને મીટર દર એમ બે પદ્ધતિથી બિલો અપાય છે. ત્યારે હવે હોર્સપાવર દીઠ […]

ગીર સોમનાથમાં આ વર્ષે ઘઉંનું ઉત્પાદન ઓછું થવાની સંભાવના

કમોસમી વરસાદને કારણે ઘઉંના પાકને નુકશાન ફગ અને રાત્રડ સહિત અન્ય રોગો જોવા મળ્યા ઘઉંના ઉત્પાદનમાં જોવા મળી શકે છે ઘટાડો ગીર સોમનાથ: જિલ્લામાં ચોમાસા દરમિયાન વરસાદ ખેંચાતા ખેડૂતોના પાકને ભારે નુકશાન થયું હતું. ખેડૂતોએ ઘઉં, ચણા, બાજરી, ધાણા જેવા પાકોનું વાવેતર કર્યું હતું. પરંતુ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકમાં ફગ અને રાત્રડ સહિત અન્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code