1. Home
  2. Tag "farmers"

હિમાચલ પ્રદેશઃ ગ્રામીણ વિસ્તારોમાં તૃષુ મેળાનું આયોજન, સારા પાક માટે ખેડૂતોએ રાખી માન્તા

નવી દિલ્હીઃ હિમાચલમાં વસંત ઋતુનું આગમન થતાં જ નવા પાકની વાવણી શરૂ થઈ જાય છે, આવી સ્થિતિમાં દેવી-દેવતાઓને પ્રસન્ન કરવા માટે દરેક ગામમાં તૃષુ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ મેળામાં સ્થાનિક લોક સંસ્કૃતિની ઝલક જોવા મળે છે. વાસ્તવમાં, જૂના જમાનામાં, જ્યારે સંદેશાવ્યવહારનું કોઈ સાધન ન હતું ત્યારે આ પ્રકારે મેળાનું આયોજન કરાતું હતું. આજે પણ […]

ગીર સોમનાથમાં કેસર કેરીના પાકમાં ઘટાડાની આશંકાને પગલે ખેડૂતો ચિંતામાં ગરકાવ

અમદાવાદઃ ગીરની પ્રખ્યાત કેસર કેરીના હબ ગણાતા તાલાલા મેંગો માર્કેટનાં ચેરમેને કેસર કેરીના પાકને બચાવવા સહાયની માંગ કરી છે. ચાલુ વર્ષે ગીરમાં 70 ટકા ફલાવરિંગ ન આવતા તેમજ છેલ્લા કેટલાક વર્ષોથી ગ્લોબલ વોર્મિંગની અસરનાં કારણે કેરીના પાક પર માઠી અસર પડતા આખરે મેંગો માર્કેટનાં ચેરમેનએ સરકારને પત્ર લખી કેસર પકવતા ખેડૂતોને સહાય આપવા વિનંતી કરી છે. […]

રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી રવિ પાકની ખરીદી કરશે

ખેડુતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવી માર્કેટિંગ સીઝન (RMS) ૨૦૨૪-૨૫ માં રાજય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ઘઉં, ઉનાળુ બાજરી, મકાઈ અને જુવારની ખરીદી ગુજરાત રાજય નાગરીક પુરવઠા નિગમ લી. ગાંધીનગર મારફતે કરવામા આવશે. ભારત સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા ભાવ પ્રમાણે રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી રવિ પાકની ખરીદી કરશે. ઘઉં […]

સાણંદ, બાવળા, વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારનાં 39 ગામોના ખેડૂતોને નર્મદાનું પાણી મળશે

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રૂ. 402 કરોડના ખર્ચે અમદાવાદ જિલ્લાના સાણંદ, બાવળા, વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારમાં સિંચાઈ સુવિધા માટેનાં કામોનું ખાતમુહૂર્ત તેમજ રૂપિયા 300 કરોડથી વધુના ખર્ચે સાણંદ વિધાનસભા મતવિસ્તારના વિવિધ પ્રકારનાં વિકાસનાં કામોનું ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ સાણંદ ખાતેથી કરાયું હતું. આ પ્રસંગે જનસભાને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે,  દેશના વડાપ્રધાન નરેન્દ્ર […]

ખેડૂતોની દિલ્હી તરફની કુચને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો, અનેક સ્થળો ઉપર ટ્રાફિક જામ

નવી દિલ્હીઃ પંજાબના ખેડૂતો આજે દિલ્હી તરફ કૂચ કરશે. સોમવારે ચંદીગઢમાં ત્રણ કેન્દ્રીય મંત્રીઓ અને ખેડૂત નેતાઓ વચ્ચે યોજાયેલી બેઠકનું કોઈ પરિણામ આવ્યું ન હતું. જે બાદ ખેડૂતોએ દિલ્હી તરફ કૂચ કરવાની જાહેરાત કરી હતી. મંગળવારે ખેડૂતોના ટ્રેક્ટર અંબાલાની શંભુ બોર્ડર પર પહોંચવા લાગ્યા હતા. જોકે પોલીસે અહીં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. ભારે સુરક્ષા […]

વરસાદી પાણીનો સંગ્રહ કરતા ખેડૂતોને ખેતીવાડીમાં સૂક્ષ્મ સિંચાઈ માટે પાંચ હોર્સ પાવરનુ અલાયદું વીજ જોડાણ અપાશે

અમદાવાદઃ વરસાદી પાણીનો સંગ્રહ કરતા ખેડૂતોને ખેતીવાડીમાં સૂક્ષ્મ સિંચાઈ માટે પાંચ હોર્સ પાવરનુ અલાયદું વીજ જોડાણ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, આ નિર્ણયથી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લાના ખેડૂતોને લાભ મળશે. ખેતરમાં બનાવેલ હોજ, સંપ, ટાંકા, ખેત-તલાવડીમાંથી પાણી ઉદ્દવહન કરી સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ માટે મહત્તમ 5 હોર્સ પાવરનું […]

દિલ્હી કૂચ કરી રહેલા ખેડૂતો નોઈડામાં થયા એકઠા, દલિત પ્રેરણા સ્થળ પાસે પોલીસે રોક્યા

નવી દિલ્હી: ઉત્તરપ્રદેશથી દિલ્હી કૂચ કરવા જઈ રહેલા ખેડૂતોને પોલીસે નોઈડામાં રોકી લીધા છે. મહામાયા ફ્લાઈઓવરની પાસે નોઈડાના દલિત પ્રેરણા સ્થળની નજીક આ ખેડૂતોને રોકી લેવામાં આવ્યા છે. અહીં ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા થયા છે અને તેને કારણે ભીષણ ટ્રાફિક જામ પણ જોવા મળી રહ્યો છે. મહત્વપૂર્ણ છે કે પોલીસે અહીંના રુટ્સને પહેલા જ ડાયવર્ટ […]

બનાસકાંઠામાં માવઠાથી અસરગ્રસ્ત ખેડુતોને વળતર નહીં મળે તો ભારતીય કિસાન સંઘ આંદોલન કરશે

પાલનપુરઃ બનાસકાંઠામાં બે-અઢી મહિના પહેલા યાને ગત તા. 27મી નવેમ્બરના રોજ પડેલા માવઠાને કારણે કૃષિપાકને સારુએવું નુકશાન થયું હતું. જેમાં સૌથી વધુ  એરંડાનો પાક માવઠાને લીધે નાશ પામ્યો હતો. તત્કાલિન સમયે સરકારે સર્વે કરાવીને ખેડુતોને વળતર આપવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે કરાવીને મામુલી વળતરની ઓફર કરવામાં આવી છે. જેની સામે ખેડુતોમાં […]

જ્યારે ગરીબો, ખેડૂતો, મહિલાઓ અને યુવાનો સશક્ત થશે, ત્યારે દેશ શક્તિશાળી બનશે: PM મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનાં લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને સ્થાનિક સ્તરના પ્રતિનિધિઓ સહિત દેશભરના હજારો વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ જોડાયા હતા. અહીં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા વડાપ્રધાનએ નોંધ્યું હતું કે, વીબીએસવાયએ તાજેતરમાં 50 દિવસ પૂર્ણ કર્યા છે અને આશરે 11 […]

ગુજરાતના ખેડુતોને રાત્રે ઉજાગરા નહીં કરવા પડે, હવે દિવસે વીજળી મળશે, મુખ્યમંત્રીએ કરી જાહેરાત

ગાંધીનગરઃ ગુજરાતમાં હાલ રવિ સીઝનના ટાણે ખેડુતોને રાતના સમયે વીજળી અપાતી હોવાથી ખેડુતોને બોર-કૂવામાંથી પાણી મેળવીને પાકને પાણી પીવડાવવા માટે આખીરાતના ઉજાગરા કરવા પડે છે. ખેડુતોએ દિવસે વીજ પુરવઠો આપવા માટે રાજ્ય સરકારને અનેક વખત રજુઆતો કરી હતી. ત્યારે રાજ્ય સરકારે ખેડુતોને દિવસ દરમિયાન વીજ પુરવઠો આપવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને દિવસે મળી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code