શાખ બચાવવા ઈમરાન ખાનનો અંતિમ દાવઃ અવિશ્વાસ પ્રસ્તાવનો મામલો ફરીથી કોર્ટમાં પહોંચ્યો
નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ઈમરાન ખાન સરકાર ઉપર સંકટ વધારે ઘેરાઈ રહ્યું છે. તેમજ રાતના 8 વાગ્યાની આસપાસ સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ ઉપર મતદાન કરવામાં આવે તેવી શકયતા છે. દરમિયાન સમગ્ર મામલો ફરી એકવાર કોર્ટમાં પહોંચ્યો છે. પીએમ ઈમરાનખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફએ સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટીશન દાખલ કરી છે. સંસદમાં અવિશ્વાસના પ્રસ્તાવને ફગાવી દેવાના ડેપ્યુટી સ્પીકરના નિર્ણયને […]