1. Home
  2. Tag "flight"

કોરોના :હોંગકોંગે એર ઈન્ડિયાની ફ્લાઈટ પર લગાવ્યો પ્રતિબંધ,24 એપ્રિલ સુધી જારી રહેશે પ્રતિબંધ

ચીનમાં કોરોનાનો કહેર હોંગકોંગે એર ઈન્ડિયાની ફ્લાઈટ પર લગાવ્યો પ્રતિબંધ 24 એપ્રિલ સુધી પ્રતિબંધ ચાલુ રહેશે દિલ્હી:કેટલાક મુસાફરો કોરોનાથી સંક્રમિત જણાયા બાદ હોંગકોંગે નવી દિલ્હી અને કોલકાતાથી આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટ પર 24 એપ્રિલ સુધી પ્રતિબંધ લગાવી દીધો છે.અહીં કોરોના કેસ વધ્યા બાદ હોંગકોંગ સરકાર દ્વારા કેટલાક નિયમો જારી કરવામાં આવ્યા છે. હવે ભારતના પ્રવાસીઓ […]

જબલપુરમાં ડુમના એરપોર્ટ ઉપર મોટી દૂર્ઘટના ટળી, ફ્લાઈટ રન-વે પરથી લપસી નીચે ઉતરી

ભોપાલઃ મધ્યપ્રદેશના જબલપુરમાં ડુમના એરપોર્ટ ઉપર મોટી દૂર્ઘટના થતા ટળી હતી. દિલ્હીથી આવતી ફ્લાઈટ લેન્ડિંગ સમયે રન-વે પરથી લપસી હતી અને નીચે રેતીમાં ઉતરી ગઈ હતી. ફ્લાઈટમાં 55થી વધારે પ્રવાસી હતા. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ના હતી. પ્રાપ્ત માહિતી અનુસાર બપોરના સમયે દિલ્હથી આવેલી એરઈન્ડિયાની ફ્લાઈટ ડુમના એરપોર્ટ ઉપર લેન્ડ કરતી હતી. ફલાઈટ […]

ફ્લાઈટ એન્જિન કવર વિના જ મુંબઈથી ભૂજ પહોંચી, DGCAએ આપ્યા તપાસના આદેશ

ભૂજઃ મુંબઈથી ભૂજ વચ્ચે ચાલતી એલાયન્સ એરલાયન્સની એટીઆર ફ્લાઈટએ આજે એન્જિનના કવર (એન્જિન કાઉલિંગ) વિના જ ઉડાન ભરીને ભૂજ પહોંચી હતી.  સદનસીબે ભૂજમાં ફ્લાઈટનું સલામત લેન્ડિંગ થયું હતું. જો કે, સમગ્ર મામલો અતિ ગંભીર હોય ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આજે એલાયન્સ એરલાઈન્સની ફ્લાઈટ જ્યારે મુંબઈથી ભુજ આવવા […]

કુવૈતથી અમદાવાદ આવતી ફ્લાઈટ ગાઢ ધૂમ્મસને લીધે 13 કલાક મોડી પડી

અમદાવાદઃ કુવૈતના એરપોર્ટ પર ગાઢ ધુમ્મસ સર્જાતા અનેક ફ્લાઈટોનું સંચાલન ખોરવાઈ ગયું હતું. જેમાં કુવૈતથી મોડી રાતે લગભગ 1.45 વાગે ઉપડી સવારે 8.15 વાગે અમદાવાદ આવતી ઈન્ડિગોની ફ્લાઈટ નં.6-ઈ 1754 લગભગ 13 કલાકથી વધુ મોડી પડી હતી. જેના પગલે આ ફ્લાઈટમાં અમદાવાદ આવી રહેલા 150થી વધુ પેસેન્જરો સવારના બદલે રાતે 9 વાગ્યા બાદ અમદાવાદ પહોંચ્યા […]

કોરોનાને કારણે ફ્લાઇટમાં મુસાફરોની સંખ્યામાં 30 ટકાનો ઘટાડો

કોરોનાની એવિયેશન સેક્ટર પર અસર મુસાફરોની સંખ્યા 30 ટકા ઘટી ફ્લાઈટ કેન્સલ થવાની સંખ્યા વધી અમદાવાદ: ઓમિક્રોન વેરિયન્ટ અત્યારે એટલો ગંભીર જોવા મળી રહ્યો નથી, પણ આવામાં તેની અસર કેટલાક ક્ષેત્રો પર જોરદાર જોવા મળી રહી છે, તેનું મોટું ઉદાહરણ છે ફ્લાઈટમાં મુસાફરી કરનારાની સંખ્યા. જાણકારી અનુસાર ઓમિક્રોનના કારણે કેટલાક લોકો હવે ફ્લાઈટમાં મુસાફરી કરવાનું […]

પશ્ચિમ બંગાળઃ ઓમિક્રોન સંક્રમણ વિદેશથી ફ્લાઈટમાં આવેલા પ્રવાસીઓના કારણે ફેલાયોનો મમતા બેનર્જીનો આક્ષેપ

દિલ્હીઃ દેશમાં ઓમિક્રોનના સંકટ વચ્ચે કોરોનાના કેસોમાં રેકેટ ગતિએ વધારો થયો છે. દિલ્હી અને મુંબઈમાં મોટી સંખ્યામાં કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. દરમિયાન, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ લોકોને કોરોના નિયમોનું પાલન કરવાની અપીલ કરી હતી. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે કેન્દ્રએ એવા દેશોની ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવો જોઈએ જ્યાં […]

સુરતમાં પોલીસની મોક-ડ્રીલના સમયે જ ફ્લાઈટને લેન્ડિંગની મંજુરી મળી, પણ પાઈલોટે લેન્ડિંગ ન કર્યું

સુરત:  શહેરના એરપોર્ટ પર મોટી દુર્ઘટના થતાં રહી ગઈ હતી. શહેરના એરપોર્ટ પર પોલીસની મોક-ડ્રીલ ચાલતી હતી. ત્યારે જ  ATCએ પ્લેન લેન્ડિંગને મંજૂરી આપી દીધી હતી. જેના કારણે એન્ટી હાઇજેક મોકડ્રીલ વખતે વેન્ચુરા એર કનેક્ટની ફ્લાઇટ પોલીસ વાન સાથે અથડાતા બચી ગઈ હતી. પાઇલટે 800 ફૂટ ઊંચાઈએથી પાંચ જીપ જોતાં લેન્ડિંગ અટકાવ્યું હતું. આ ઘટનામાં […]

પશ્ચિમ બંગાળઃ મુંબઈ જતી ફ્લાઈટના કાર્ગો હોલ્ડમાંથી નીકળ્યો સાપ, સ્ટાફમાં ફેલાયો ભય

વન વિભાગની ટીમે કર્યું રેસ્ક્યું સાપ બિનઝેરી હતોઃ વન વિભાગ એક કર્મચારીએ સાપને જોયો હતો દિલ્હીઃ પશ્ચિમ બંગાળના કોલકતા એરપોર્ટ ઉપર મુંબઈ જતી ફ્લાઈટના કાર્ગો હોલ્ડમાંથી સાપ મળી આવતા ફ્લાઈટના સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. તેમજ આ અંગે મુસાફરોને જાણ થતા તેમનામાં પણ ભય ફેલાઈ ગયો હતો. જો કે, આ અંગેની જાણ થતા સ્થળ પર […]

કોરોનાવાયરસ: કેનેડાએ ભારતથી આવનારી ફ્લાઈટ પર મુક્યો 30 દિવસનો પ્રતિબંધ

 કેનેડાએ ભારતથી સાથે આવતી ફ્લાઈટ પર મુક્યો પ્રતિબંધ આગામી 30 દિવસ સુધી ભારતથી કોઈ ફ્લાઈટ કેનેડા જશે નહી ભણવા જતા વિદ્યાર્થીઓને થશે અસર દિલ્લી: ભારતમાં બેફામ રીતે વધતા કોરોનાવાયરસના કેસને ધ્યાનમાં રાખીને કેનેડાની સરકારે ભારત સાથે આગામી 30 દિવસ સુધી ફ્લાઈટ સર્વિસને બંધ રાખવાનો નિર્ણય લીધો છે. મીડિયાના રિપોર્ટ પ્રમાણે ભારત અને પાકિસ્તાનથી આવનારા લોકોમાં […]

વિમાનયાત્રીઓ હવે ચેતી જજો – જો કોરોનાના નિયમોનો ભંગ કરશો તો કાનૂની કાર્યવાહી સહીત યાત્રા પર આજીવન પ્રતિબંઘ લાગી શકે છે

ફ્લાઈટમાં કોરોનાનું નિયમ ન કરવું ભારે પડશે આજીવન યાત્રા પર લાગી શકે છે પ્રતિબંધ દિલ્હી – દેશમાં કોરોનાના કેસ ફરીથી વધી રહ્યા છે, તમામ રાજ્યો પહેલેથી જ કોરોનાને રોકવાની તૈયારી કરી રહ્યા છે. બીજી તરફ, જો કોઈ યાત્રી મુસાફરી દરમિયાન કોરોનાના નિયમોનું પાલન કરશે નહીં, તો એરલાઇન્સ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે. તાજેતરમાં, જુદા જુદા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code