અમદાવાદમાં રખડતા ઢોરનો ત્રાસ, ઘાસચારો વેચનાર સામે AMC કરશે કાર્યવાહી
અમદાવાદઃ શહેરમાં રખડતા ઢોરનો ઉપદ્રવ વધ્યો છે. આ મુદ્દે અગાઉ પણ હાઈકોર્ટે મનપાની સામે લાલ આંખ કરી હતી. દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રખડતા ઢોરના ત્રાસને દૂર કરવા માટે એકશન પ્લાન તૈયાર કર્યો છે. હવે રખડતા ઢોરના માલિકોને બદલે શહેરના વિવિધ વિસ્તારમાં ઘાસચારો વેચનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. મનપાના આ નિર્ણયથી શ્રમજીવીઓમાં નારાજગી ફેલાઈ છે. […]