1. Home
  2. Tag "Free"

લોકસભા ચૂંટણીઃ મહિસાગરના રિક્ષા ચાલકોની અનોખી પહેલ, મતદારોને ફ્રીમાં મતદાન કેન્દ્ર લઈ જશે

અમદાવાદઃ મહિસાગરના રિક્ષા ચાલકોએ મતદાનની જાગૃતિ માટે રેલી યોજી. રિક્ષા પર મતદાનની જાગૃતિ માટેનાં પોસ્ટર લગાવ્યા. કેલેક્ટર કચેરીથી રેલી યોજી. આ રેલીમાં 200 જેટલા રિક્ષા ચાલકો જોડાયા. આટલું જ નહીં તેમની રિક્ષામાં બેસતા મુસાફરોને રિક્ષા ચાલકો મત આપવા અંગે જાગૃત કરશે. રિક્ષા ચાલકોનું કહેવું છે કે જેને જે પક્ષને મત કરવો હોય તે કરે પરંતુ […]

ભારતમાં ડિજિટલ પેમેન્ટ્સ ઇકોસિસ્ટમને મફત જાહેર હિત તરીકે વિકસાવાઈ

નવી દિલ્હીઃ પીએમ નરેન્દ્ર મોદીએ  વીડીયો સંદેશ દ્વારા ભારતના G20 પ્રેસિડન્સી હેઠળ નાણા મંત્રીઓ અને સેન્ટ્રલ બેંકના ગવર્નરોની પ્રથમ બેઠકને સંબોધન કર્યું હતું. પીએમએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતની G20 પ્રેસિડેન્સી હેઠળ આ પ્રથમ પ્રધાન-સ્તરનો સંવાદ છે અને ફળદાયી બેઠક માટે તેમની શુભેચ્છાઓ પાઠવી હતી. વર્તમાન સમયમાં વિશ્વને જે પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે […]

કેન્દ્ર સરકારે 50 એલએમટી ઘઉં મુક્ત કરવાનો નિર્ણય કર્યો

નવી દિલ્હીઃ ભારત સરકારે નક્કી કર્યું છે કે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એફસીઆઈ) ઓએમએસએસ (ડી) 2023 હેઠળ પાછલા વર્ષો જેવા ઉત્પાદનોની જેમ ખુલ્લા બજારમાં 20 એલએમટી ઘઉંના વધારાના જથ્થાને લોટ મિલો/ખાનગી વેપારીઓ/બલ્ક ખરીદદારો/ઘઉંના ઉત્પાદકોને ઇ-હરાજી દ્વારા વેચાણ માટે મુક્ત કરી શકે છે. આમ, ઘઉંના અત્યાર સુધી 50 એલએમટી (30+20 એલએમટી) ને ઓએમએસ (ડી), 2023 હેઠળ […]

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો ઉદ્દેશ ગુલામીની માનસિકતામાંથી દેશને મુક્ત કરવાનો છેઃ વડાપ્રધાન

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના અડાલજમાં ત્રિમંદિર ખાતે મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સનો શુભારંભ કર્યો હતો. આ મિશન કુલ રૂ. 10,000 કરોડના ખર્ચે હાથ ધરવાની કલ્પના કરવામાં આવી છે. પીએમએ ત્રિમંદિર ખાતે આયોજિત કાર્યક્રમ દરમિયાન આશરે રૂ. 4,260 કરોડના મૂલ્યના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનો પણ શુભારંભ કર્યો હતો. આ મિશનથી રાજ્યમાં શાળાઓમાં નવા વર્ગખંડો, સ્માર્ટ વર્ગખંડો, કમ્પ્યુટર […]

પાલનપુરઃ નવી અંડરલાઇન વીજ લાઇન નાખી શહેરને વીજળીના થાંભલાઓથી મુક્ત કરાશે

અમદાવાદઃ પાલનપુર ખાતે ખાતે કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના રાજ્ય મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને UGVCLને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે અધિકારી અને પદાધિકારીઓની બેઠક યોજાઇ હતી. જેમાં સંસદ સભ્ય પરબતભાઇ પટેલ અને દિનેશભાઇ અનવાડીયા તથા ધારાસભ્યઓ અને પદાધિકારીઓ દ્વારા પુછવામાં આવેલા UGVCL ને લગતા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી.   આ પ્રસંગે મંત્રી મુકેશ પટેલે પાલનપુર […]

ગુજરાતના તમામ 252 તાલુકામાં નિશુલ્ક ડાયાલિસીસ સુવિધા શરૂ કરાશેઃ સરકારનો નિર્ણય

ગાંધીનગરઃ  રાજ્યમાં કિડનીના રોગથી પીડાતા દર્દીઓ માટે જીવાદોરી સમાન ‘વન ગુજરાત, વન ડાયાલિસીસ’ કાર્યક્રમ અંતર્ગત હાલમાં 82 નિઃશુલ્ક ડાયાલિસીસ કેન્દ્રો કાર્યરત છે.વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના સક્ષમ નેતૃત્વ અને મુખ્ય મંત્રી  ભૂપેન્દ્ર પટેલના દિશા-નિર્દેશ હેઠળ નવા 162 ડાયાલિસીસ કેન્દ્રો કાર્યાન્વિત કરવાની દિશામાં સરકાર સતત કાર્યરત છે. આ ઉપરાંત રાજ્યના તમામ 252 તાલુકામાં નિ:શુલ્ક ડાયાલિસીસ સુવિધા આગામી સમયમાં […]

આઝાદી કા અમૃત મહોત્સવઃ કેન્દ્ર સરકાર દ્વારા કેટલાક કેદીઓને મુક્ત કરવાની વિચારણા

નવી દિલ્હીઃ દેશમાં હાલ સરકાર દ્વારા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જેથી સરકાર આ યોજનાનો લાભ 60 વર્ષથી વધુ ઉંમરના પુરૂષ કેદીઓ અને વિકલાંગ કેદીઓને કે જેમણે પોતાની અડધાથી વધુ સજા પૂરી કરી છે તેમને મુક્ત કરવાનું વિચારી રહી છે. એટલું જ નહીં 50 વર્ષથી વધુ ઉંમરના મહિલા અને ટ્રાન્સજેન્ડર કેદીઓની સજાને […]

પાકિસ્તાનની જેલમાં બંધ 20 ભારતીય માછીમારો 19મી જૂને થશે મુક્ત

અમદાવાદઃ ગુજરાત પડોશી દેશ પાકિસ્તાન સાથે જમીન અને દરિયાઈ સીમાથી જોડાયેલો છે. દરમિયાન અવાર-નવાર પાકિસ્તાન સિક્યુરિટી એજન્સી ભારતીય જળસીમામાં પ્રવેશીને માછીમારોનું બોટ સાથે અપહરણ કરતા હોવાની ઘટના સામે આવે છે. દરમિયાન પાકિસ્તાન દ્વારા વિવિધ જેલમાં બંધ 20 જેટલા ગુજરાતી માછીમારોને આગામી 20મી જૂનના રોજ મુક્ત કરવામાં આવશે. આ અંગેની જાણકારી મળતા માછીમાર પરિવારમાં ખુશી ફેલાઈ […]

પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને PM મોદીની આગેવાનીમાં મુક્ત કરાવાશેઃ કેન્દ્રીય મંત્રીનો દાવો

નવી દિલ્હીઃ કાશ્મીરમાં 1990ના દાયકામાં કાશ્મીરી પંડિતો ઉપર થયેલા અત્યાચારને લઈને તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ લોકોને ખુબ પસંદ આવી રહી છે અને કાશ્મીર અને કાશ્મીરી પંડિતો અંગે ચર્ચાઓ કરી રહ્યાં છે. દરમિયાન કેન્દ્રીય મંત્રીએ દાવો કર્યો હતો કે, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર ભારતનો જ હિસ્સો છે અને તેને ઝડપથી પાકિસ્તાનના કજબામાં મુક્ત કરવીને […]

ગુજરાતમાં મહિલાઓને સર્વાઈકલ કેન્સરની વેક્સિન નિશુલ્ક અપાશેઃ આરોગ્ય મંત્રી

ગાંધીનગરઃ રાજ્યમાં મહિલાઓમાં સર્વાઈકલ કેન્સરના વધતા જતા કેસથી સરકાર ચિંતિત બની છે. અને સર્વાઈકલ કેન્સરની વેક્સિન નિશુલ્ક આપવા સરકાર વિચારી રહી છે, તાજેતરમાં એફડીસીએ–ગુજરાત અને યુએસએફડીએ વચ્ચે માહિતી અને નોલેજના આદાનપ્રદાન માટે એફડીસીએ, ગુજરાત–યુએસએફડીએ રેગ્યુલેટરી ફોરમનું ગઠન થયું છે. આ ફોરમની મીટિંગમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ન્યૂમોકોકલ વેકિસન અને સર્વાઈકલ કેન્સર વેકસીન જનતાને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code