ગિરનાર પર્વતના જાહેર સ્થળોએ સફાઈને મુદ્દે તપાસ માટે હાઈકોર્ટએ કોર્ટ કમિશનની કરી નિમણૂંક
અમદાવાદઃ જુનાગઢના ગરવા ગિરનાર પર્વત પરના જાહેર સ્થળોએ સર્જાતી ગંદકીના મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં પીઆઈએલ થઈ હતી, જેમાં હાઈકોર્ટના આદેશ બાદ કલેકટર, વન વિભાગ અને જુનાગઢ મ્યુનિ.કોર્પોરેશનએ સંયુકત સોગંદનામું કર્યું હતું. પ્રથમ સોગંદનામામાં ગિરનાર પર્વતના દર 100 પગથિયે સફાઈ કર્મચારી મુકવાની જરૂરીયાત હોવાનું જણાવ્યું હતું. બાદમાં સફાઈ માટેની કામગીરી બે વર્ષમાં આઠ વાર જ કરવાની તૈયારી […]