1. Home
  2. Tag "Government of Gujarat"

ગુજરાત સરકાર બજેટમાં ઓટો સેક્ટરને વિશેષ રાહત આપીને વાહન રજિસ્ટ્રેશન ખર્ચમાં કરે તેવી માગ

અમદાવાદ: ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રનો પ્રારંભ માર્ચના પ્રારંભથી થઈ રહ્યો છે. આ વર્ષ ચૂંટણીનું હોવાથી દરેકને ફિલગુડ બજેટની આશા છે. ત્યારે ઓટોમોબાઈલ ઈન્ડ્રસ્ટ્રીઝ પણ સરકાર પાસે વિશેષ રાહત મળે તેવી આશા રાખી રહી છે.કોરોના કાળથી મંદીમાં રહેલી ઓટો મોબાઈલ ઇન્ડસ્ટ્રીઝએ  હવે ગુજરાત સરકાર પાસે પોતાની માંગ મૂકી છે. કેન્દ્રીય બજેટમાં GSTમાં કોઈ રાહત ઓટો ક્ષેત્રને […]

ગુજરાત સરકારમાં નિવૃત થયા બાદ 30 જેટલા આઈએએસ અધિકારીઓ ફરજ બજાવી રહ્યા છે

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા એકથી 15 વર્ષમાં નિવૃત થયેલા 30 જેટલા આઈએએસ યાને સનદી અધિકારીઓ નિવૃતી બાદ પણ સરકારમાં સેવા આપી રહ્યા છે. નિવૃત્તિ બાદની નિમણૂકોના નિયમો હેઠળ તેમને જુદા જુદા વિભાગોમાં મુકવામાં આવે છે. કેટલાક અધિકારીઓને વિવિધ આયોગમાં પદ આપવામાં આવે છે. ગાંધીનગરના સચિવાલયના સૂત્રોના જણાવ્યા મુજબ હાલ રાજ્ય સરકારમાં 30 નિવૃત થયેલા સનદી અધિકારીઓ […]

ગુજરાત સરકાર કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે જરૂરી તમામ પગલાં ભરશેઃ કેબીનેટમાં લેવાયા નિર્ણયો

ગાંધીનગરઃરાજ્યમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. સરકાર પણ વધતા જતાં કોરોનાના કેસને લઈને તિંતિત બની છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબીનેટની બેઠક  મળી હતી. આ બેઠકમાં રાજ્યમાં કોરોનાની સ્થિતિ સહીત અનેક મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. કેબિનેટની બેઠકમાં અનેક મહત્વના નિર્ણયો પણ લેવામાં આવ્યા હતા. કોરોના સામે મક્કમતાથી લડવાનો નિર્ધાર કરવામાં આવ્યો […]

ગુજરાત સરકારનું નાણા વિભાગ બજેટ-22ની તૈયારીમાં લાગ્યું, અંદાજપત્ર સંપૂર્ણ ચૂંટણીલક્ષી હશે

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે એક વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે આગામી વિધાનસભા સત્રમાં રજુ થનારૂં ચૂંટણી પહેલાનું છેલ્લુ બજેટ હશે. એટલે બજેટમાં વધુને વધુ લોકોને લાભ આપવામાં આવે તે માટે આકર્ષક બજેટ રજુ કરવામાં આવશે. બજેટમાં નવી અનેક યોજનાઓનો સમાવેશ કરવા તેમજ ઓબીસી અને નબળા વર્ગના લોકોને સરકારી યોજનાનો વધુ લાભ મળે […]

વાવાઝોડામાં અસરગ્રસ્ત થયેલા માછીમારોને રાજ્ય સરકારે જાહેર કર્યું રૂપિયા 265 લાખનું પેકેજ

ગાંધીનગરઃ ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તાઉતૈ નામના વાવાઝોડાને કારણે દરિયા કાંઠા વિસ્તારને ભારે નુકશાન થયું હતું. જેમાં અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં કાંઠા વિસ્તારના ગામોને અને માછીમારોને ભારે નકશાન થયું હતું. આથી રાજ્ય સરકારે દરીયાકાંઠાના વિસ્તારમાં નુકશાન પામેલા માછીમારોને આર્થિક રીતે સહાયપ થવા માટે 265 લાખનું સહાય પેકેજ મહેસૂલ મંત્રી અને પ્રવકતા મંત્રી રાજેન્દ્ર […]

આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રજાનો વિશ્વાસ જીતવા તમામ મંત્રીઓની કાલથી જન આશીર્વાદ યાત્રા

ગાંધીનગરઃ ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલે તમામ મંત્રીઓને લોકસંપર્ક વધારવા માટે સુચના આપી છે. રાજ્યમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. એવામાં પાટીદારોની નારાજગી અને કોરોનાની બીજી લહેરમાં સરકારની કામગીરી સામે લોકોમાં રોષને જોતા સરકારના તમામ 24 મંત્રીઓ આવતીકાલ તા.30મી સપ્ટેમ્બરથી જન આશીર્વાદ યાત્રા કાઢીને લોક સંપર્ક વધારશે. ગુજરાતમાં તત્કાલિન સરકાર સામે લોકોની નારાજગી વધતા ભાજપ હાઈ […]

ગુજરાત વિધાનસભા:બે દિવસના ચોમાસું સત્રનો આજથી પ્રારંભ

ગુજરાત વિધાનસભાની જાણકારી બે દિવસના ચોમાસા સત્રનો આજથી પ્રારંભ સરકારમાં મોટા ભાગના નવા નેતા ગાંધીનગર: ગુજરાતમાં થોડા સમય પહેલા સરકારમાં મોટો બદલાવ જોવા મળ્યો છે, વિજયભાઈ રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધુ છે અને હવે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલે જવાબદારી સંભાળી છે. મંત્રીમંડળને પણ બદલી દેવામાં આવ્યું છે. ત્યારે આજથી હવે ગુજરાત વિધાનસભાના ચોમાસું […]

ગુજરાત સરકાર અને એમેઝોન વચ્ચે MOU થતા ઉદ્યોગો માટે ઈ-કોમર્સ એક્સપોર્ટના દ્વાર ખૂલશે

ગાંધીનગરઃ રાજ્યના એમ.એસ.એમ.ઈ વિશ્વના 200થી વધુ દેશોમાં પોતાની પ્રોડક્ટ એક્સપોર્ટ કરી શકે તે હેતુથી રાજ્ય સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ અને એમેઝોન ઈન્ડિયા વચ્ચે મેમોરેન્ડમ ઓફ અન્ડર્સ્ટેન્ડીંગ MOU થયા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં ગુજરાત સરકારના MSME કમિશનર રણજીત કુમાર અને એમેઝોનના ગ્લોબલ સેલિંગ હેડ અભિજીત કામરાએ આ એમ.ઓ.યુ. પર હસ્તાક્ષર કર્યા હતા. ગાંધીનગરમાં આજે […]

ગુજરાત સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 11 ટકાનો વધારોઃ DyCM નીતિન પટેલ

અમદાવાદઃ ગુજરાત સરકારના કર્મચારીઓને પવિત્ર શ્રાવણ મહિનાના અંતિમ દિવસે જ વિજય રૂપાણી સરકારે મોટી રાહત આપી હતી. સરકારે મોંઘવારી ભથ્થામાં 11 ટકા વધારો કરવાનો નિર્ણય લીધો છે. સરકારના નિર્ણયને કારણે લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શન ધારકોને રાહત મળશે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 11 ટકાનો વધારો કરવામાં આવ્યો […]

સી-પ્લેનના ભાડાના બાકી રૂ.47 લાખ ચૂકવી દેવા કેન્દ્રનો ગુજરાત સરકારને પત્ર

અમદાવાદઃ શહેરની સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા સુધી શરૂ કરાયેલી સી પ્લેન સેવા હાલમાં કોવિડ મહામારીને કારણે બંધ છે. પરંતુ  1લી નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી ઓપરેટ થયેલા સી પ્લેનના ભાડા પેટે રાજ્ય સરકારનો વાયાબિલીટી ગેપ ફંડિંગ (વીજીએફ)માંથી બાકી નીકળતો 47 લાખ રૂપિયાનો હિસ્સો ઝડપથી ચુકવી દેવા કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code