1. Home
  2. Tag "Gujarat Vidyapith"

ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા થલતેજમાં અદ્યતન વાંચનાલય બનાવાશે

સ્નાનાગારમાં નવો ફિલ્ટરેશન પ્લાન્ટ નખાશે, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષપદે મળેલી બેઠકમાં લેવાયો નિર્ણયો, અમદાવાદઃ ગૂજરાત વિદ્યાપીઠના અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા ગ્રામ વિસ્તરણ કેન્દ્રના પુસ્તકાલયને અદ્યતન બનાવાશે. યુવાનો આ વાંચનાલયનો મહત્તમ ઉપયોગ કરે એ પ્રકારે તેનો વિકાસ કરાશે. ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ અને રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં આજે યોજાયેલી ગૂજરાત વિદ્યાપીઠ મંડળની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. […]

ગૂજરાત વિદ્યાપીઠ ખાતે બે દિવસીય જ્ઞાનકુંભ પ્રદર્શનનું આયોજન

રાજયપાશ્રી આચાર્ય દેવવ્રતજીએ જ્ઞાનકુંભ પ્રદર્શન ખુલ્લું મૂક્યું, ગુજરાત સહિત 6 રાજ્યોનું જ્ઞાનકુંભ પ્રદર્શન, રાજ્યપાલે તમામ સ્ટોલની મુલાકાત લીધી અમદાવાદઃ શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ અને ગૂજરાત વિદ્યાપીઠના સંયુક્ત ઉપક્રમે ગૂજરાત વિદ્યાપીઠ પરિસરમાં ભારતના ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, રાજસ્થાન, છત્તીસગઢ, ગોવા અને મધ્યપ્રદેશ રાજ્યોનો જ્ઞાનકુંભ યોજાઈ રહ્યો છે, જે અંતર્ગત ગુજરાત વિદ્યાપીઠ પરિસરમાં દ્વિ-દિવસીય જ્ઞાનકુંભ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યપાલ  આચાર્ય […]

વિદ્યાર્થીજીવનનો સૌથી મોટો શત્રુ આળસ, વિદ્યાર્થીએ આળસથી દૂર રહેવુ જોઈએ : રાજ્યપાલ

અમદાવાદઃ ગુજરાત રાજ્યના રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં ગુજરાત વિદ્યાપીઠ ખાતે ગુરુપૂર્ણિમા સત્રનો દીક્ષારંભ કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યપાલએ ગુરુપૂર્ણિમા સત્રમાં 8 વિદ્યાશાખાના વિવિધ 18 વિષયોમાં કુલ 1146 વિદ્યાર્થીઓને દીક્ષારંભ કરાવ્યો હતો. આ દીક્ષારંભ પ્રસંગે રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે,  પ્રાચીન સમયમાં દેશમાં આ કાર્યક્રમ ‘વિદ્યારંભ સંસ્કાર‘ તરીકે ઓળખાતો હતો. […]

ગુજરાત વિદ્યાપીઠમાં પ્રથમવાર હવે સવાર અને બપોરની પાળીમાં વિદ્યાર્થીઓને ભણાવાશે,

અમદાવાદઃ ગાંધીવાદી ગણાતી શૈક્ષણિક સંસ્થા ગુજરાત વિદ્યાપીઠમાં પરંપરા અને પ્રણાલી મુજબ વર્ષોથી સવારની સમૂહ પ્રાર્થના બાદ શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થતો હતો. અને સાંજ સુધી વર્ગો ચાલતા હતા. પરંતુ જેમાં વિદ્યાર્થીઓ ભણવા સાથે કોઈ પણ અન્ય પ્રવૃત્તિ કે નોકરી કરી શકતા ન હતા .પરંતુ હવે ચાલુ શૈક્ષણિક વર્ષથી ગૂજરાત વિદ્યાપીઠ પ્રથમવાર બે પાળીમાં ચાલશે એટલે કે […]

ગુજરાત વિદ્યાપીઠમાં નવી શિક્ષણ નીતિ મુજબ અભ્યાસક્રમના પુસ્તકોનું રાજ્યપાલે કર્યું વિમાચન

અમદાવાદઃ ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલપતિ અને પૂર્વ પ્રધાનમંત્રી ભારતરત્ન  મોરારજીભાઈ દેસાઈની 129 મી જન્મજયંતીએ રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ  આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાપીઠ પરિસરમાં આવેલા મુખ્ય સભાગૃહનું ‘મોરારજી દેસાઈ મંડપમ્’ નામાભિધાન કર્યું હતું. નવી શિક્ષણ નીતિ અંતર્ગત વર્ષ 2023-24થી ગુજરાત વિદ્યાપીઠમાં અમલી થનારા નવા અભ્યાસક્રમના પુસ્તકનું આચાર્ય દેવવ્રતજીએ વિમોચન કર્યું હતું. પૂજ્ય ગાંધીજીના વિચારો સામાન્યજન સુધી […]

ગુજરાત વિદ્યાપીઠના કૂલપતિ તરીકે ડો. હર્ષદ પટેલની રાજ્યપાલે કરી નિમણૂંક

અમદાવાદઃ ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે ડો. હર્ષદ પટેલની નિમણૂક કરી છે. ગુજરાત વિદ્યાપીઠના કૂલાધિપતિ એવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા આ નિર્ણય લેવામાં આવતા ડો. હર્ષદ પટેલ ગુજરાત વિદ્યાપીઠના 17મા કુલપતિ બન્યા છે. ડો. હર્ષદ પટેલ કાર્યભાર સંભાળે ત્યારથી પાંચ વર્ષની મુદત માટે તેમની નિમણૂક કરવામાં આવી છે. ગાંધીવાદી એવી ગુજરાત વિદ્યાપીઠ મંડળના મંત્રી તરીકે સેવાઓ […]

ગાંધીજીના મૂળ આદર્શને અનુરૂપ તમામ ગાંધી સંસ્થાઓને ‘નવજીવન’ આપવા રાજ્યપાલે કર્યું આહ્વાન

અમદાવાદઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાત વિદ્યાપીઠ મંડળની બેઠકમાં સભ્યોને ભારપૂર્વક જણાવ્યુ કે ગાંધી વિચારો પર કાર્યરત આ સંસ્થાઓમાં ગાંધીજીના મૂળ આદર્શોનું મજબૂતાઈ સાથે પાલન થાય; એ સુનિશ્ચિત કરવાની જરૂર છે. તેમણે તમામ સભ્યોને આ સંસ્થાઓમાં ગાંધીજીના વિચાર-દર્શનને અનુરૂપ તમામ ગાંધી સંસ્થાઓને ‘નવજીવન’ આપવાની અપીલ કરી હતી. ગુજરાત વિદ્યાપીઠ મંડળની વર્ષ 2023-24ની ચોથી બેઠક આજે […]

ગુજરાત વિદ્યાપીઠના 69માં પદવીદાન સમારોહમાં રાજ્યપાલના હસ્તે પદવીઓ-પારિતોષિક એનાયત

અમદાવાદઃ ગૂજરાત વિદ્યાપીઠના 69માં પદવીદાન સમારોહમાં રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ  આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં 61 પીએચડી, 10 એમ.ફિલ.,  434  એમ.એ.,  397  બી.એ. અને 51 પી.જી. ડિપ્લોમાની પદવીઓ અપાઈ હતી.  રાજ્યપાલના હસ્તે 43 વિદ્યાર્થી ભાઈ-બહેનોને 62 પારિતોષિકો એનાયત કરાયા હતા. રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ દીક્ષાંત ઉદબોધનમાં કહ્યું હતું કે,  104 વર્ષ પહેલાં પૂજ્ય મહાત્મા ગાંધીજીએ ઉચ્ચ આદર્શો અને […]

ગુજરાત વિદ્યાપીઠમાં સર્વધર્મ પ્રાથના બંધ કરાતા વિદ્યાર્થીઓએ કાળી પટ્ટી બાંધીને કર્યો વિરોધ

અમદાવાદઃ ગુજરાત વિદ્યાપીઠમાં ગાંધીવાદીઓની કથિત વિદાય બાદ વહિવટમાં પણ પરિવર્તન કરાયું છે. દરમિયાન વિદ્યાપીઠમાં દર શુક્રવારે યોજાતી સર્વ ધર્મ પ્રાથના બંધ કરાતા વિદ્યાર્થીઓ દ્વારા ગાંધીગીરી કરીને વિરોધ કરવામાં આવ્યો હતો. વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, દર શુક્રવારે સર્વ ધર્મ પ્રાર્થના કરવામાં આવતી હોય છે, પરંતુ હવે વિભાગના એક ડીન દ્વારા સર્વ ધર્મ પ્રાર્થના કરતા રોકવામાં […]

ગુજરાત વિદ્યાપીઠના કર્મચારીઓનો કોન્ટ્રાક્ટ પૂરો થતા મકાન ખાલી કરવા નોટિસ, કેન્ટીનને તાળાં લાગ્યા,

અમદાવાદઃ ગુજરાત વિદ્યાપીઠમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓનો કોન્ટ્રાક્ટ પૂરો થતાં તેમના મકાન ખાલી કરવા નોટિસ આપવામાં આવી છે. બીજી તરફ કેન્ટીનનો પણ કોન્ટ્રાક્ટ પૂરો થતો હોવાથી કેન્ટીન પણ બંધ કરી દેવામાં આવી છે. આ બન્ને મામલે વિદ્યાર્થીઓ અને કર્મચારીઓનો વિરોધ જોવા મળ્યો છે. વિદ્યાર્થીઓ તો એવો આક્ષેપ કરી રહ્યા છે. કે, વિદ્યાપીઠમાં હવે ગાંધીવાદી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code