ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં થયેલા નુકશાન માટે ખાસ પેકેજ જાહેર કરવા કોંગ્રેસની માગ
અમદાવાદઃ સરદાર સરોવર નર્મડા ડેમમાંથી એક સાથે લાખો ક્યુસેક પાણી છોડાતા માનવસર્જિત આ આફતથી દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, ભરૂચ, સહિતના જિલ્લાઓમાં નર્મદાના નીરથી ભયાવહ પુરની સ્થિતિ સર્જાતા મોટા પાયે નુકસાન-તારાજી થઈ છે. પશુધન, ખેતી, ધંધા-ઉદ્યોગ અને માનવજીવનને થયેલા નુકશાન માટે ગુજરાત ભાજપ સરકાર સ્પેશીયલ પેકેજ જાહેર કરે, સરકાર દ્વારા સત્વરે સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવે, તેમજ માનવસર્જિત પુરને કારણે અસરગ્રસ્તોને તાત્કાલિક […]


