1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાંથી છઠ્ઠના પૂજન માટે જતા પરપ્રાંતના લોકો માટે 65 એક્સ્ટ્રા ટ્રેનો દોડાવાશે

પ્રવાસીઓના ધસારાને લીધે રેલવે દ્વારા કરાયુ ખાસ આયોજન, રેલવેના ટિકિટ કાઉન્ટરો પર થતી ભીડને સંભાળવા માટે ખાસ ધ્યાન અપાયુ, ગત વર્ષ કરતા આ વર્ષે 40 ટકા પ્રવાસીઓનો વધારો અમદાવાદઃ બિહાર, ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં છઠ્ઠના પર્વનું વિશેષ મહાત્મ્ય હોવાથી ગુજરાતમાં રોજગાર-ધંધામાં સ્થાયી થઈને વસવાટ કરતા લોકો છઠ્ઠના પર્વની ઊજવણી માટે પોતાના માદરે વતન જતા હોય છે. […]

ગુજરાતમાં સસ્તા અનાજના દૂકાનદારો 1લી નવેમ્બરથી હડતાળ પર ઉતરશે

રેશનીંગના દૂકાનદારો સરકારી પરિપત્રનો વિરોધ કરવા પરમિટ જનરેટ નહીં કરે, હયાતીમાં વારસાનો પરિપત્ર હતો તે સરકારે રદ કરતા વિરોધ, અનાજ ઉતારતી વખતે 8 લોકોને ફરજિયાત રાખવાનો પરિપત્રનો પણ વિરોધ અમદાવાદઃ રાજ્યમાં સસ્તા અનાજ (રેશનિંગ)ના દૂકાનદારો પોતાના પડતર પ્રશ્નો અંગે રજુઆત કરવા છતાંયે પ્રશ્નો ન ઉકેલાતા તેમજ અન્ન અને પુરવઠા વિભાગ દ્વારા વિવાદિત પરિપત્ર કરાતા તેના […]

ગુજરાતમાં ઈજનેરી કોલેજોના 200 એડહોક અધ્યાપકોને છૂટા કરી દેવાતા વિરોધ

દિવાળી ટાણે જ કોન્ટ્રાક્ટ બેઝ અને એડહોક અધ્યાપકોને છૂટા કરવાના નિર્ણય સામે રોષ, એડહોક અધ્યાપકોને ટેકનિકલ શિક્ષણ વિભાગે શો કોઝ નોટિસ આપી, સરકાર પોઝિટિવ વલણ દાખવે તેવી રજુઆત કરવામાં આવી, અમદાવાદઃ રાજ્યમાં 200 જેટલા એડહોક અધ્યાપકોને દિવાળીમાં નોકરી ગુમાવવાના માઠા સમાચાર મળ્યા છે.  વિવિધ સરકારી ઈજનેરી કોલેજોમાં કોન્ટ્રાક્ટ બેઝ અને એડહોક આધારિત અધ્યાપકોને નોકરીમાંથી એકાએક […]

ગુજરાતમાં ડિગ્રી-ડિપ્લોમાના 580 અધ્યાપકોને હવે એડહોક સેવા, રજા- પેન્શનનો લાભ મળશે

ડિગ્રી ઇજનેરી કોલેજના 216 અને ડિપ્લોમા કોલેજના 364 અધ્યાપકોને લાભ મળશે, સરકારના નિર્ણયથી 2004 પહેલાના અધ્યાપકોને જૂની પેન્શન યોજનાનો લાભ મળી શકશે, એડહોક અધ્યાપકોને લાંબા ગાળાના વહીવટી અને નાણાકીય લાભો પણ પ્રાપ્ત થશે, અમદાવાદ:  રાજ્યમાં ટેકનીકલ શિક્ષણના 580 અધ્યાપકો માટે એડહોક સેવા, રજા અને પેન્શન અંગે ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. જેને લઈને અધ્યાપકોમાં […]

ગુજરાતમાંથી નૈઋત્યનું ચોમાસાએ વિદાય લીધી છે, ત્યારે 5 દિવસ વરસાદની આગાહી

અરબી સમુદ્રમાં નવી સિસ્ટમ સક્રિય થતાં વરસાદ પડી શકે છે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં હળવા ઝાપટાં પડી શકે છે, ઉત્તર-પૂર્વ તરફથી પવન ફુકાતા હવે ઠંડીમાં પણ વધારો થશે અમદાવાદઃ ગુજરાતમાંથી નૈઋત્યનું ચોમાસાએ વિદાય લીધા બાદ અરબી સમુદ્રમાં નવી સિસ્ટમ સક્રિય થતાં આગામી 5 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદના હળવા ઝાપટાં […]

ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રી મંડળના પુનઃ ગઠનની ચાલતી અટકળો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીથી પરત ફર્યા બાદ હવે મંત્રી મંડળના વિસ્તરણની અટકળો, કોને પડતા મુકાશે અને કોનો સમાવેશ કરાશે તે અંગે ચર્ચા, 10થી વધુ મંત્રીઓને પડતા મુકવામાં આવે તેવી શક્યતા ગાંધીનગરઃ રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રી મંડળના વિસ્તરણની અટકળો છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. એમાંયે જ્યારે મુખ્યમંત્રી દિલ્હીની મુલાકાતે જાય ત્યારે રાજ્કીય નેતાઓ, […]

ગુજરાતમાં રાત્રે 8થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે, સરકારે કર્યો નિર્ણય

વધુ ઘોંઘાટ કરતા ફટાકડા ફોડવા પર પ્રતિબંધ, નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી, સુપ્રીમ કોર્ટના આદેશોનું પાલન ફરજિયાત અમદાવાદઃ દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે ગુજરાત સરકારે ફટાકડા ફોડવાની ગાઈડલાઈન જાહેર કરી છે. મહાનગરોથી લઈને તમામ શહેરો અને ગામડાંઓમાં રાત્રે 8:00થી 10:00 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે, વધુ ઘોંઘાટ કરતા ફટાકડા […]

ગુજરાતના અમદાવાદ આંગણે ફિલ્મ ફેર એવોર્ડ યોજાયો

ગુજરાતના અમદાવાદ આંગણે ફિલ્મ ફેર એવોર્ડ યોજાયો હતો. અમદાવાદના મણિનગર સ્થિત ટ્રાન્સટેડિયા ખાતે ફિલ્મી ઝાકઝમાળ વચ્ચે આ કાર્યક્રમ યોજાયો હતો. ગઇકાલે મોડી સાંજે યોજાયેલો આ કાર્યક્રમ મોડીરાત સુધી ચાલ્યો હતો. શાહરૂખ ખાન, કરણ જોહર, અભિષેક બચ્ચન સહિતના સ્ટાર અમદાવાદમાં ઉપસ્થિત રહ્યાં હતા. ગુજરાતી કલાકારોએ પણ આ એવોર્ડ સમારંભમાં ખાસ્સુ આકર્ષણ જમાવ્યું હતું. 70મો ફિલ્મફેર એવોર્ડ્સ […]

કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રીએ ગુજરાતના પ્રથમ ગ્રીન રેલવે સ્ટેશન એકતાનગરની મુલાકાત લીધી

વડોદરાઃ કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી તથા જળશક્તિ મંત્રી વી. સોમન્નાએ ભારતના સૌથી સુંદર અને આધુનિક ગ્રીન રેલવે સ્ટેશનોમાંના એક તથા ગુજરાતના પ્રથમ ગ્રીન રેલવે સ્ટેશન એકતાનગરની મુલાકાત લીધી હતી. સોમન્નાએ સ્ટેશન પરિસરનું નિરીક્ષણ કરીને સમગ્ર તયા સ્વચ્છતા, આધુનિક સુવિધાઓ અને ગ્રીન ટેકનોલોજી અંગે વિગતવાર માહિતી મેળવી હતી. તેમણે રેલવે અધિકારીઓ સાથે સંવાદ સાધી જરૂરી માહિતી અને માર્ગદર્શન […]

ગુજરાતમાં સિદ્દી સમુદાયે 72 ટકાથી વધુ સાક્ષરતા દર હાંસલ કર્યો, રાષ્ટ્રપતિએ કરી પ્રશંસા

જૂનાગઢઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈકાલે ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં આફ્રિકન મૂળના આદિજાતિ સિદ્દી સમુદાયના સભ્યો સાથે વાતચીત કરી હતી. તેમણે આદિવાસી લોકોને સશક્તિકરણ અને પ્રગતિના સાધન તરીકે શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે આનંદ વ્યક્ત કર્યો કે ખાસ કરીને હાંસિયામાં ધકેલાઈ ગયેલા સિદ્દી સમુદાયે 72 ટકાથી વધુ સાક્ષરતા દર હાંસલ કર્યો છે. રાષ્ટ્રપતિએ સમુદાયને કેન્દ્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code