1. Home
  2. Tag "gujarat"

ગુજરાતઃ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજી નવી દિલ્હી પરત જવા રવાના થયા 

અમદાવાદઃ રાષ્ટ્રપતિને ભાવભરી વિદાય આપવા અમદાવાદ એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, સંસદીય બાબતો અને આરોગ્ય મંત્રી ઋશિકેષ ભાઈ પટેલ તથા પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા અને અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભા જૈન ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય સચિવ રાજકુમાર, અમદાવાદ શહેર પોલીસ કમિશનર જ્ઞાનેન્‍દ્રસિંહ મલિક, અમદાવાદ કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી.કે. વગેરે એ પણ અમદાવાદ એરપોર્ટ […]

ભાદરવાના આગમન પહેલા જ તાપમાન 34 ડિગ્રીએ પહોંચતા ઉનાળા જેવી ગરમીનો અહેસાસ

અમદાવાદઃ  ગુજરાતમાં જુન-જુલાઈ દરમિયાન સારોએવો વરસાદ પડ્યા બાદ ઓગસ્ટ મહિનો એકંદરે કોરો રહ્યો હતો. અને સપ્ટેમ્બરના પ્રથમ 10 દિવસમાં કેટલાક વિસ્તારોમાં વરસાદના છૂટાછવાયા ઝાપટાં પડ્યા હતા. સાથે જ તાપમાનમાં પણ વધારો થતાં લોકોને ઉનાળા જેવી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. મંગળવારે અમદાવાદ, રાજકોટ અને ડીસા સહિતના શહેરોમાં તાપમાનનો પારો 33 ડિગ્રીને વટાવી ગયો હતો. તેમજ […]

સુખી જળાશય યોજનાઃ મુખ્ય, શાખા અને માઈનોર નહેરોનું આધુનિકરણ કરાશે

છોટાઉદેપુરઃ સુખી જળાશય યોજના આધારિત જમણા કાંઠા અને ડાબા કાંઠાની મુખ્ય નહેરો, શાખા નહેરો અને માઈનોર નહેરોનું અંદાજે રૂ. 225 કરોડના ખર્ચે સુધારણા તેમજ આધુનિકરણ કરવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના પરિણામે છોટાઉદેપુર અને પંચમહાલ જિલ્લામાં સિંચાઈની સુવિધાઓ વધુ સુચારૂ બનશે તેમ, જળ સંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા જણાવાયું હતું. જળ સંપત્તિ મંત્રીએ કહ્યું હતું […]

ગુજરાતમાં ઔદ્યોગિક રોકાણો માટે વધારે 7 MoU થયાં

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024ના પૂર્વાર્ધરૂપે રાજ્યમાં ઔદ્યોગિક રોકાણો માટેના MoUની શ્રેણીની છઠ્ઠી કડીમાં વધુ સાત MoU થયાં હતા. ટેક્ષટાઇલ સેક્ટર, કેમિકલ્સ સેક્ટર તેમજ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક માટે કુલ-7 MoU દ્વારા રૂ. 4067 કરોડનું સંભવિત રોકાણ આવશે અને 25 હજારથી વધુ રોજગારીની તકોનું સર્જન થશે. પીએમ નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં ગુજરાતને […]

ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોએ પડતર પ્રશ્નોના ઉકેલ માટે સરકાર સામે માંડ્યો મોરચો

અમદાવાદઃ  ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓના કર્મચારીઓ, શિક્ષકો અને સંચાલકો દ્વારા પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે ઘણા સમયથી આંદોલન ચાલી રહ્યું છે. જો કે રાજ્ય સરકારે ગ્રાન્ટેડ શાળાઓમાં પરિણામના આધારે ગ્રાન્ટ કાપના જે નિયમો હતા તે હટાવી લીધા છે. પરંતુ વર્ગદીઠ વિદ્યાર્થીઓની સંખ્યાના મુદ્દે હજુ કોઈ નિરાકરણ આવ્યું નથી આ ઉપરાંત શિક્ષકોને બઢતી, પગાર ધારણે અને કાયમી […]

રાષ્ટ્રપતિ મુર્મુ 13 સપ્ટેમ્બરે ગુજરાત આવશે,ઇ-વિધાનસભાનું કરશે લોકાર્પણ

ગુજરાત વિધાનસભામાં ગયું કાગળિયા રાજ 13 સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિ મુર્મૂ ગુજરાતની મુલાકાતે રાષ્ટ્રપતિના હસ્તે પેપરલેસ વિધાનસભાનું ઉદ્ઘાટન દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુજરાત વિધાનસભાના નેશનલ ઈ-વિધાન એપ્લિકેશન (એનઈવીએ) પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે અને 13 સપ્ટેમ્બરે ધારાસભ્યોને સંબોધશે. એક અધિકારીએ શનિવારે આ જાણકારી આપી. ગુજરાત વિધાનસભાના સચિવ ડી.એમ. પટેલે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ એસેમ્બલીને પેપરલેસ બનાવવાના ઉદ્દેશ્ય સાથે વડા […]

ગુજરાતઃ ‘કાંટાળા તારની વાડ બનાવવાની યોજના‘ની મર્યાદા ઘટાડીને લઘુત્તમ બે હેક્ટર કરાઈ

અમદાવાદઃ ગુજરાત સરકારે ફરી એક વાર રાજ્યના ખેડૂતોના પ્રશ્નોને હકારાત્મક વાચા આપતો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ સંદર્ભે જણાવ્યું હતું કે, રાજ્યના વિવિધ વિસ્તારોના ખેડૂતો અને ખેડૂત સંગઠનો દ્વારા ‘કાંટાળા તારની વાડ બનાવવાની યોજના‘ની મર્યાદામાં સુધારો કરવા રજૂઆતો મળી હતી. રાજ્યના વધુમાં વધુ ખેડૂતો આ યોજનાનો લાભ મેળવી શકે તે માટે […]

ગુજરાતઃ ધો-1થી 8ના વિદ્યાર્થીઓમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટીને 2.8 ટકા પર પહોંચ્યો

અમદાવાદઃ સમાજમાં સાક્ષરતાના મહત્વને ઉજાગર કરવાના ઉદ્દેશથી દર વર્ષે 8 સપ્ટેમ્બરના રોજ ‘આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ’ ની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે ‘પ્રમોટિંગ લિટરસી ફોર અ વર્લ્ડ ઇન ટ્રાન્ઝિશન: બિલ્ડીંગ અ ફાઉન્ડેશન ફોર સસ્ટેનેબલ એન્ડ પીસફુલ સોસાયટીઝ’ (પરિવર્તનશીલ વિશ્વ માટે સાક્ષરતાને પ્રોત્સાહન આપવું: ટકાઉ અને શાંતિપૂર્ણ સમાજ માટે પાયાનું નિર્માણ) ના થીમ સાથે વિશ્વમાં આંતરરાષ્ટ્રીય […]

ગુજરાતમાં જન્માષ્ટમીના દિને 127 તાલુકામાં વરસાદ પડ્યો, ડાંગના વઘઈમાં 5 ઈંચ, ઉંમરપાડામાં 4 ઈંચ

અમદાવાદઃ રાજ્યમાં જુન-જુલાઈ મહિનામાં એકંદરે સારો વરસાદ પડ્યા બાદ ઓગસ્ટ મહિનો કોરો રહ્યા હતા. ખેડુતો ખરીફ પાકને બચાવવા વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યા હતા ત્યારે જન્માષ્ટમીના દિને જ રાજ્યના 127 તાલુકામાં પાંચ ઈંચથી લઈને ભારે ઝાપટાં સુધી વરસાદ પડ્યો હતો. વરસાદને લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ડાંગના વધઈમાં 130 મીમી, સુરતના ઉંમરપાડામાં 98 […]

ગુજરાતમાં નદી અને તળાવમાં ડૂબી જવાના બે બનાવોમાં ત્રણ યુવાનો સહિત પાંચના મોત

અમદાવાદઃ ગુજરાતમાં નદી, ડેમ, કેનાલો અને દરિયાઈ બીચ પર નહાવા જતાં ડુબી જવાના બનાવો વધી રહ્યા છે. જેમાં આજે જન્માષ્ટમીના દિને નહાવા જતાં ડૂબી જવાના બે બનાવોમાં પાંચના મોત નિપજ્યા હતા. જેમાં છોટાઉદપુરના કવાંટ તાલુકાના ભેખડીયા ગામે બે વિદ્યાર્થીઓ તળાવમાં નહાવા પડતા ડુબી ગયા હતા. જ્યારે બીજા બનાવમાં મહેસાણાના વડનગરના વલાસણા ગામ નજીક સાબરમતી નદીમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code