1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં ચાલુ મોસમના સરેરાશ વરસાદ 70 ટકા, સૌથી વધુ કચ્છમાં 130 ટકા વરસાદ

અમદાવાદઃ રાજ્યમાં 24 કલાકમાં ભાવનગરમાં સૌથી વધુ 5 ઇંચ એટલે કે, 118 મિ.મી વરસાદ વરસ્યો હતો. જ્યારે રાજ્યના અન્ય 7 તાલુકાઓમાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકામાં 94 મિ.મી અને લોધિકા તાલુકામાં 82 મિ.મી., જામનગરના લાલપુરમાં 84 મિ.મી., અમરેલીના બાબરામાં 83 મિ.મી, દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં 81 મિ.મી. કચ્છના ગાંધીધામમાં 79 […]

દિલ્હી-ગુજરાતમાં પૂરની તબાહી, શાહે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને એલજી સક્સેના સાથે કરી વાત … પરિસ્થિતિ વિશે માહિતી લીધી

દિલ્હી: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રવિવારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી અને રાજ્યના વિવિધ ભાગોમાં પૂર જેવી સ્થિતિ વિશે પૂછપરછ કરી. શાહે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના સાથે યમુના નદીના જળસ્તર અંગે પણ ચર્ચા કરી હતી. ગૃહમંત્રીએ ટ્વીટ કર્યું, “તાજેતરના ભારે વરસાદને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં સર્જાયેલી પૂર જેવી સ્થિતિ અંગે ગુજરાતના […]

મણિપુર ઘટનાના વિરોધમાં આજે રવિવારે ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં બંધનું એલાન

અમદાવાદઃ મણિપુર રાજ્યમાં બે મહિલાઓને નિર્વસ્ત્ર કરી જાહેરમાં જુલુસ કાઢી પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ શર્મશાર કરતી ઘટનાને તમામ રાજકીય પક્ષો, સામાજિક સંસ્થાઓએ વખોડી કાઢી છે. ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ઘટનાને વખોડીને આદીવાસી પટ્ટીના વિસ્તારોમાં આજે રવિવારે બંધનું એલાન આપવામાં આવ્યું છે. તમામ આદિવાસી સમાજના રાજકીય નેતાઓને બંધના એલાનને સફળ બનાવવા […]

ગુજરાતમાં છેલ્લા નવ વર્ષથી મેઘરાજા મહેરબાનઃ મોસમના સરેરાશ વરસાદમાં 10 ટકાનો વધારો

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષથી એટલે કે, વર્ષ-2019થી ચોમાસાની સિઝનના સરેરાશ વરસાદની સરખામણીએ 100 ટકા કે તેનાથી વધુ વરસાદ પડવાનો સિલસિલો રહ્યો છે. અને આ વખતે પણ આ સિલસિલો યથાવત રહે તેવા સંકેતો  છે. રાજ્યના મોસમના સરેરાશ વરસાદની ટકાવારી ઊંચી જઇ રહી છે. છેલ્લા 9 વર્ષમાં ગુજરાતના ચોમાસાની મોસમના વરસાદની સરેરાશમાં 10 ટકાનો વધારો નોંધાયો […]

ગુજરાતના 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ અપાયુ, NDRFના જવાનો તૈનાત

અમદાવાદ:  ગુજરાતના 6 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લીધે સ્થિતિ બદતર બની રહી છે. રાજ્ય હવામાન વિભાગે રવિવાર સુધીમાં રાજ્યના છ જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી છે અને છ જિલ્લામાં હવામાન વિભાગનું રેડ એલર્ટ અપાયું છે. શનિવારે જુનાગઢ અને નવસારીમાં અતિભારે વરસાદ પડ્યો હતો. જ્યારે અમદાવાદ […]

ગુજરાતના 44 જળાશયો છલકાયાં, સરદાર સરોવર ડેમમાં 67 ટકા જળસંગ્રહ

અમદાવાદઃ ગુજરાતમાં સતત વરસાદને પગલે નવા પાણીની આવક થઈ રહી છે. રાજ્યના જળાશયોમાં લગભગ 64 ટકા જેટલા પાણીનો સંગ્રહ થયો છે. રાજ્યના લગભગ 44 ડેમ ઓવરફ્લો થયા છે. સતત વરસાદને પગલે સૌરાષ્ટ્રના 34 જેટલા જળાશયો છલકાયાં છે. સૌરાષ્ટ્રના ડેમમાં એક જ મહિનામાં જળસંગ્રહમાં વધારો થયો છે. એક મહિનામાં જળસંગ્રહ 19% થી વધીને 73% થયો છે. […]

રાજ્યમાં આગામી 3 દિવસમાં વરસાદની આગાહી, અત્યાર સુધી 65 ટકા થી વધુ વરસાદ નોંધાયો

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. દરમિયાન હવામાન વિભાગે આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઇસ્ટ વેસ્ટ ટ્રફ, મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બ્સ સક્રિય જેના કારણે ભારે વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 65 ટકા જેટલો વરસાદ વરસ્યો છે.   […]

ગુજરાતમાં યુરિયા ખાતરનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે, અફવાથી દુર રહેવા કૃષિમંત્રીની અપીલ

ગાંધીનગરઃ કૃષિ મંત્રી  રાઘવજી પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં ખેડૂતલક્ષી કોઇપણ સમસ્યાનો ત્વરિત ઉકેલ લાવી ખેડૂતોને જરૂરી તમામ મદદ પૂરી પાડવા મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. રાજ્યમાં યુરીયા ખાતરની ઉપલબ્ધતા અંગે ખેડૂતો તરફથી મળેલા સૂચનોને ધ્યાને લઇ કૃષિ મંત્રીએ ગાંધીનગર ખાતે ખેતીવાડી ખાતાના ઉચ્ચ અધિકારીઓ તેમજ મુખ્ય ખાતર વિતરક સંસ્થાઓ સાથે […]

ગુજરાતમાં ઓવરસ્પીડિંગ અને રોંગ સાઈડને લીધે 4 વર્ષમાં અકસ્માતોમાં 26553 લોકોના મોત થયાં

અમદાવાદઃ ગુજરાતમાં જે પ્રકારે ગમખ્વાર અકસ્માતોમાં નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે  તે સમાજ અને સરકાર બંને માટે ચિંતાનો વિષય છે. રાજ્યના ચાર મહાનગરોમાં એનસીઆરબીના આંકડા મુજબ ત્રણ વર્ષમાં  18,287 મૃત્યુ થયા છે. ગુજરાતમાં સૌથી વધુ અકસ્માતમાં મૃત્યુના કેસમાં  સુરત મોખરે છે. સુરત શહેરમાં ત્રણ વર્ષમાં અકસ્માતમાં 6760 મૃત્યુ થયા છે. જ્યારે અમદાવાદમાં ત્રણ વર્ષમાં […]

2400થી વધુ અમૃત સરોવરના નિર્માણ સાથે, ગુજરાતમાં 100 ટકા કામગીરી પૂર્ણ

અમદાવાદઃ પાણીના સંવર્ધનની દિશામાં એક મહત્વપૂર્ણ પ્રયત્નના ભાગરૂપે, એપ્રિલ 2022ના મન કી બાત કાર્યક્રમમાં  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર બનાવવાનું દેશવાસીઓને આહ્વાન કર્યું હતું. “આઝાદી કા અમૃત મહોત્સવ” નિમિત્તે તેમણે પાણી બચાવવાની પ્રતિજ્ઞા લેવા માટે અનુરોધ કર્યો હતો. ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં તે દિશામાં નોંધપાત્ર કામગીરી કરીને, રાજ્ય સરકારે 100 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code