1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં ટેટ-ટાટ ઉતિર્ણ થયેલા ચિત્ર શિક્ષકોની 10 ટકા ભરતી કરવા કલા સંઘની માગણી

ગાંધીનગરઃ ગુજરાત સરકારે તાજેતરમાં પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલોમાં 24,700 શિક્ષકોની કાયમી ભરતી કરવાનું નક્કી કર્યું છે, ત્યારે ટેટ અને ટાટ ઉતિર્ણ થયેલા ચિત્રના શિક્ષકોની 10 ટકા ભરતી કરવા માગ ઊઠી છે. રાજ્યમાં ઘણીબધી પ્રાથમિક અને માધ્યમિક શાળામાં ચિત્રના શિક્ષકો જ નથી. અને સરકારે 15 વર્ષથી ચિત્રના શિક્ષકોની ભરતી કરી નથી.  રાજ્ય કલા શિક્ષક સંઘ દ્વારા […]

અયોધ્યાની જેમ જ ગુજરાતમાં પણ ભાજપાને હરાવાશેઃ રાહુલ ગાંધી

અમદાવાદઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન તેઓ કોંગ્રેસના નેતાઓને મળ્યા હતા. તેઓ રાજકોટ ગેમ ઝોન અકસ્માત, મોરબી બ્રિજ અને સુરત અકસ્માતના પીડિતોને મળ્યા હતા. આ દરમિયાન તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યાં હતા. ભાજપ પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે ગુજરાતમાં ભાજપને હરાવવાના છીએ અને કોંગ્રેસનો કોઈ કાર્યકર […]

વિદ્યાર્થીજીવનનો સૌથી મોટો શત્રુ આળસ, વિદ્યાર્થીએ આળસથી દૂર રહેવુ જોઈએ : રાજ્યપાલ

અમદાવાદઃ ગુજરાત રાજ્યના રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં ગુજરાત વિદ્યાપીઠ ખાતે ગુરુપૂર્ણિમા સત્રનો દીક્ષારંભ કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યપાલએ ગુરુપૂર્ણિમા સત્રમાં 8 વિદ્યાશાખાના વિવિધ 18 વિષયોમાં કુલ 1146 વિદ્યાર્થીઓને દીક્ષારંભ કરાવ્યો હતો. આ દીક્ષારંભ પ્રસંગે રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે,  પ્રાચીન સમયમાં દેશમાં આ કાર્યક્રમ ‘વિદ્યારંભ સંસ્કાર‘ તરીકે ઓળખાતો હતો. […]

FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ FDI પ્રવાહ

અમદાવાદઃ ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (DPIIT) દ્વારા બહાર પાડવામાં આવેલા નવા ડેટા અનુસાર, ગુજરાતમાં આ વર્ષે પ્રત્યક્ષ વિદેશી રોકાણ (FDI) પ્રવાહમાં દેશમાં સૌથી વધારે ગ્રોથ જોવા મળ્યો છે. ગત નાણાકીય વર્ષમાં પ્રાપ્ત થયેલા $4.7 બિલિયન FDI પ્રવાહની સરખામણીએ નાણાકીય વર્ષ 2024માં ગુજરાતે 55 ટકાના વધારા સાથે $2.6 બિલિયન વધુ FDI પ્રાપ્ત કર્યું છે. આમ, ગુજરાતે નાણાકીય વર્ષ 2024માં $7.3 બિલિયન નવું FDI પ્રાપ્ત કરીને, કર્ણાટક અને દિલ્હીને આ […]

ગુજરાતમાં દૈનિક દૂધ કલેક્શન 62 લાખ લીટરથી વધીને 290 લાખ લીટર થયું

અમદાવાદઃ આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ એટલે વિશ્વભરમાં સહકારી ચળવળની વાર્ષિક ઉજવણી. વર્ષ ૧૯૨૩થી દર વર્ષે જુલાઈ માસના પ્રથમ શનિવારે આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ ઉજવવામાં આવે છે. ભારત દેશ અનેક વર્ષોથી સહકારી પ્રવૃત્તિ સાથે જોડાયેલો દેશ છે. સહકારી ક્ષેત્રની ક્ષમતાને ધ્યાને રાખીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૬ જુલાઈ, ૨૦૨૧ના રોજ ભારત સરકારના અલાયદા સહકારી મંત્રાલયની સ્થાપના કરી હતી. જોગાનુજોગ, આ વર્ષે […]

ગુજરાતમાં શુક્રવારે બપોર સુધીમાં 91 તાલુકામાં વરસાદ, સુરતમાં 4 ઈંચ, રોડ પર પાણી ભરાયા

સુરતઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. અને છેલ્લા એક સપ્તાહથી કેટલાક વિસ્તારોમાં સમયાંતરે વરસાદ પડી રહ્યો છે. આજે શુક્રવારે બપોર સુધીમાં 91 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સુરતમાં 4 ઈંચ વરસાદ પડતા રોડ-રસ્તાઓ પર પાણી ભરાય ગયો હતા. સુરતના ઉમરપાડામાં 4 ઈંચથી વધુ તેમજ નવસારીના ખેરગામ, વલસાડના કપરાડામાં ત્રણ ઈંચ તેમજ બાકીના તાલુકામાં ઝાપટાંથી લઈને […]

ગુજરાતઃ લમ્પી રોગથી રક્ષિત કરવા 62 લાખ પશુઓને રસી અપાઈ

અમદાવાદઃ ગુજરાતના પશુપાલકોની આવકને બમણી કરવા પ્રધાનમંત્રીા નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારથી જ રાજ્ય સરકાર દ્વારા વિવિધ પશુ કલ્યાણના પગલાઓ હાથ ધરવામાં આવ્યા હતા. રાજ્યના પશુપાલકો વધુ આવક મેળવી આર્થિક સમૃદ્ધતા તરફ આગળ વધે અને સ્વનિર્ભર બને તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારની નેમ છે.  પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, […]

ગુજરાતમાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની 136 જેટલી રથયાત્રાઓ યોજાશે

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણયો અંગે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતભરમાં આગામી તા. ૭ જુલાઈ અને અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથજીની ૧૩૬ રથયાત્રાઓ તેમજ અન્ય ૭૩ શોભાયાત્રાઓ મળી કુલ ૨૦૯ યાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું […]

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગની આગાહી

અમદાવાદઃ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. હવામાન વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે રાજ્યમાં સાયકલોનિક સર્કયુલેશન સક્રિય થયું છે. 24 કલાક દરમિયાન દરમિયાન દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. સુરત, નવસારી,  વલસાડ , દમણ અને  દાદરાનગરમાં અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં […]

ગુજરાત: પાણીની સંગ્રહ ક્ષમતામાં 11,523 લાખ ઘનફૂટનો વધારો

અમદાવાદઃ જળવ્યવસ્થાપન માટે દેશભરમાં પ્રસિદ્ધ ગુજરાતે જળ સંરક્ષણ માટેના તેના મહત્વાકાંક્ષી સુજલામ સુફલામ જળ અભિયાન (SSJA) નો સાતમો તબક્કો પૂર્ણ કર્યો છે, અને તે હેઠળ સફળતાપૂર્વક રાજ્યમાં પાણીની સંગ્રહ ક્ષમતામાં 11,523 લાખ ઘનફૂટનો વધારો કર્યો છે. આ વર્ષે આયોજિત જળ અભિયાન હેઠળ ઉત્તર ગુજરાતમાં 2831 લાખ ઘનફૂટ, મધ્ય ગુજરાતમાં 4946 લાખ ઘનફૂટ, દક્ષિણ ગુજરાતમાં 1046 લાખ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code