1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં 137 જેટલાં કાયદાઓ અને જોગવાઈના અમલ માટે સરકારે બહાર પાડ્યો વટહુક્મ

ગાંધીનગરઃ 1લી જુલાઇથી સમગ્ર દેશમાં IPC, CrpC અને પુરાવા અધિનિયમ સંબંધિત સંસદ દ્વારા નવા કાયદા બનાવી નવીન જોગવાઇઓ લાગુ કરવામાં આવી છે. જેના સંદર્ભે રાજ્યપાલના વટહુકમ દ્વારા આ જોગવાઇઓ સંબંધે ગુજરાત રાજ્યના કાયદાઓમાં સંબંધિત સુધારા કરી તેને લાગુ કરનારૂ ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ રાજ્ય બન્યું છે. તેમ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી  ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ, રાજ્ય સરકારના […]

ગુજરાતમાં નર્સિંગ, ફિઝિયો સહિતના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશનનો પ્રારંભ

અમદાવાદઃ નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતાં ઈજનેરી, ફાર્મસી સહિત વિવિધ વિદ્યાશાખામાં પ્રવેશની કાર્યવાહી ચાલી રહી છે. જ્યારે નર્સિંગ, ફિઝોયો થેરાપી સહિત પેરા મેડિકલની વિદ્યાશાખાઓમાં પણ પ્રવેશ માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને નીટના મેરીટને આધારે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. રાજ્યમાં બીએસસી નર્સિંગની 400 સરકારી તથા 14115 સેલ્ફ ફાઇનાન્સ બેઠકો […]

ગુજરાતમાં ભારે વરસાદને લીધે 103 જેટલા રોડ-રસ્તાઓ વાહન-વ્યવહાર માટે બંધ કરાયા

અમદાવાદઃ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં છેલ્લા બે દિવસ દરમિયાન પડેલા ભારે વરસાદને લીધે રોડ-રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં 103 જેટલા રોડ-રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે. જેમાં પોરબંદર જિલ્લામાં 13 રસ્તાઓ તેમજ નવસારી જિલ્લામાં 10 રસ્તાઓનો સમાવેશ થાય છે. રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે, જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં […]

ગુજરાતઃ ઉનાળુ વેકેશનમાં પ્રસિદ્ધ પ્રવાસન સ્થળોની 1.35 કરોડથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી

દેશ-વિદેશના સહેલાણીઓમાં ગુજરાતના પ્રવાસન ક્ષેત્રો પ્રત્યે અનેરું આકર્ષણ છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં, ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને વિશ્વસ્તરે લઇ જવા તેમજ પ્રવાસીઓના અનુભવને અભૂતપૂર્વ બનાવવા માટે વિવિધ માળખાકીય સુવિધાઓ વિકસિત કરવામાં આવી છે. પરિણામે, ઉત્તરોતર બહોળી સંખ્યામાં પ્રવાસીઓ રાજ્યના અનેરા સોંદર્ય અને વિવિધતાને માણવા માટે પહોંચી રહ્યાં છે. આ વર્ષે ઉનાળા વેકેશનના સમયગાળા દરમિયાન, 1 […]

ગુજરાતમાં મહેસુલ વિભાગ દ્વારા 30 મામલતદારોની સાગમટે બદલી,

ગાંધીનગરઃ  રાજ્યમાં મહેસુલ વિભાગ દ્વારા જુદા જુદા તાલુકા અને કચેરીઓમાં ફરજ બજાવતા મામલતદારની બદલીઓ કરવામાં આવી છે. રાજ્ય સરકારે 30 મામલતદારની બદલીઓના આદેશ કર્યા છે. રાજકોટ, ખેડા, દેવભૂમિ દ્વારકા, દાહોદ, મોરબી, રાજકોટ, વડોદરા સહિતના અનેક જિલ્લાના મામલતદારોની બદલી કરવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સપ્તાહ પહેલા જ ખેડા મામલતદાર કચેરીની ઓચિંતી મુલાકાત લીધી હતી. […]

ગુજરાતમાં આજે સોમવારે બપોર સુધીમાં 154થી વધુ તાલુકાઓમાં વરસાદ, ખંભાળિયામાં 5 ઈંચ

અમદાવાદઃ ગુજરાતભરમાં સાર્વત્રિક વરસાદી માહોલ સર્જાયો છે. આજે સોમવારે સવારથી બપોર સુધીમાં 154 તાલુકામાં વરસાદ પડ્યો છે. અને કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યાના વાવડ મળ્યા છે. ખંભાળિયામાં 5.3 ઈંચ વરસાદ પડ્યો છે. મેઘરાજાએ સૌરાષ્ટ્રમાં સપાટો બોલાવ્યો છે.  અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે. ખંભાળિયામાં ચાર કલાકમાં સવા પાંચ ઈંચ વરસાદથી પાણી જ પાણી છે. તો […]

ગુજરાતમાં વરસાદી માહોલ, 135થી વધુ તાલુકામાં વરસાદ, સુરતમાં 6 ઈંચ, અનેક વિસ્તારો જળબંબોળ

અમદાવાદઃ ગુજરાતભરમાં વરસાદી માહોલ જામ્યો છે. આજે રવિવારે સવારે સવારના 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સુરતના પલસાણામાં 6 ઈંચ, તથા બારડોલી, વાપી, મહુવા, અને ઓલપાડ અને સુરત શહેરમાં ચાર ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો, જ્યારે વલસાડ, કામરેજ, ખેરગામમાં ત્રણ ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. બાકીના તાલુકામાં ઝાપટાંથી […]

ગુજરાતઃ તબીબે આયુષ્માન પોર્ટલ પર ફેક ડોક્યુમેન્ટ અપલોડ કરી કરોડોનું કૌભાંડ આચર્યું

રાજકોટના તબીબ ડૉ. હિરેન મશરૂએ આયુષ્માન પોર્ટલથી ફેક ડોક્યુમેન્ટ અપલોડ કરી કરોડોનું કૌભાંડ સામે આવ્યું છે. રાજકોટના લક્ષ્મીનગર મેઈન રોડ પર આવેલી વિવાદાસ્પદ નિહિત બેબી કેર હોસ્પિટલને, રાજ્યના આરોગ્ય કમિશનર વિભાગ દ્વારા રૂપિયા 6,54,79,500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. હોસ્પિટલ દ્વારા બાળકોના ખોટા દસ્તાવેજો આયુષ્યમાન પોર્ટલ પર મૂકી કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. ખોટા દસ્તાવેજો […]

શહેરોમાં અર્બન ફોરેસ્ટ ઊભા કરીને, ગ્રીન કવર વધારીને ગ્લોબલ વૉર્મિંગ સામે લડવું પડશે: ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ‘ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટાઉન પ્લાનર્સ, ઇન્ડિયા – ગુજરાત ચેપ્ટર‘ ની કૉન્ફરન્સનો અમદાવાદમાં પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનતાં આગામી પાંચ વર્ષમાં આપણે દરેક ક્ષેત્રે આત્મનિર્ભર બનીશું. અને આત્મનિર્ભરતા માટે સસ્ટેનેબિલિટી પાયાની શરત છે. વિકાસ તમામ કાર્યોના પાયામાં સસ્ટેનેબિલિટી જરૂરી […]

ગુજરાતમાં મેઘમહેરને પગલે જળાશયોમાં નવા પાણીની આવક

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અને આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. દરમિયાન આજે રાજ્યના અનેક વિસ્તારોમાં આકાશ વાદળછાયું રહ્યું હતું. દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં મેઘરાજા મનમુકી વરસ્યાં હતા. રાજ્યમાં વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે. રાજ્યમાં મેઘમહેરને કારણે જળાશયોમાં પણ નવા પાણીની આવક થઈ રહી છે.  રાજ્યભરમાં વરસાદી વાતાવરણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code