1. Home
  2. Tag "Gujarati News Channel"

અમદાવાદમાં ‘વસુધૈવ કુટુંબકમ્’ની ભાવના સાથે મુસ્લિમ મહિલાઓ યોગાભ્યાસમાં બની સહભાગી

યોગ એ ધાર્મિક માન્યતાઓથી ઉપર માનવ સ્વાસ્થ્ય-કલ્યાણ સાથે જોડાયેલો છે, યોગ બોર્ડના કાર્યક્રમથી મેદસ્વિતા મુક્ત ગુજરાત‘ અભિયાનને સફળતા મળી મુસ્લિમ મહિલાઓની યોગમાં સહભાગી સમાજમાં એકતા અને સૌહાર્દનો મજબૂત સંદેશો આપે છે અમદાવાદઃ તંદુરસ્ત સ્વાસ્થ્યની પ્રાપ્તિ માટે ધર્મ કે જાતિ કોઈ અવરોધ બનતા નથી. સમગ્ર સૃષ્ટિ એક પરિવાર છે, ‘વસુધૈવ કુટુંબકમ્’ની આ જ ભાવના સાથે અમદાવાદ ખાતે […]

ગુજરાતના મત્સ્યઉદ્યોગમાં સૌરાષ્ટ્ર–કચ્છનો 80% ફાળો, આ વર્ષે 11. 71.353 મેટ્રિક ટનનું લક્ષ્યાંક

ભારત આજે વિશ્વના બીજા નંબરના સૌથી મોટા માછલીઉત્પાદક દેશ તરીકે સ્થાપિત,  ગુજરાતમાં છેલ્લા 4 વર્ષમાં માછલી ઉત્પાદન લગભગ30 લાખ મેટ્રિક ટન નોંધાયું, રાજકોટમાં જાન્યુઆરીમાં યોજાનારા બાઈબ્રન્ટ ગુજરાત રીજનલ કૉન્ફરન્સ (VGRC)માં મત્સ્ય ઉદ્યોગમાં તકો રજુ કરવાનો મંચ મળશે રાજકોટઃ વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ ના વિઝનને અનુરૂપ, ગુજરાત રાજ્ય મત્સ્યઉદ્યોગ ક્ષેત્રમાં નોંધનીય વૃદ્ધિ હાંસલ કરીને ભારતના વાદળી […]

ગુજરાતમાં ઈન્ડિગોની એક ડઝન ફ્લાઈટ રદ થતા એરપોર્ટ પર પ્રવાસીઓએ હોબાળો મચાવ્યો

રાજકોટથી ઈન્ડિગોની 8 ફ્લાઈટ્સ રદ કરતા પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા, વડોદરાથી મુંબઈ, દિલ્હી. પૂણે અને ગોવાની ફ્લાઈટ પણ રદ કરાઈ, અમદાવાદમાં ઈન્ડિગોની ફ્લાઈટ મોડી થતાં પ્રવાસીઓએ હોબાળો મચાવ્યો અમદાવાદઃ છેલ્લા કેટલાક દિવસથી ઈન્ડિગોની વિમાની સેવા અનિયમિત બની રહી છે. સ્ટાફની અછતને કારણે ઈન્ડિગો ફ્લાઈટની સેવાને અસર પડી રહી છે. રાજ્યમાં અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત એરપોર્ટ […]

મુરાદાબાદમાં અજાણ્યા વાહને ઓટો રિક્ષા ટક્કર મારી, ત્રણના મોત અને બે ઘાયલ

મુરાદાબાદ: મુરાદાબાદમાં એક દુ:ખદ ઘટનામાં, એક અજાણ્યા વાહને એક ઓટો રિક્ષાને ટક્કર મારી, જેમાં ત્રણ લોકોના મોત થયા અને બે અન્ય ગંભીર રીતે ઘાયલ થયા. આ અકસ્માત શહેરની બહાર થયો હતો, જ્યાં ઝડપી વાહને ઓટોને કચડી નાખ્યો હતો. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. કુંડાર્કી વિસ્તારમાં એક અજાણ્યા વાહને ઈ-ઓટોરિક્ષાને ટક્કર મારી. આ અકસ્માતમાં […]

ઉત્તરાખંડમાં કાર 200 મીટર ઊંડી ખીણમાં પડી, 5 લોકોના મૃત્યું

ચંપાવત: ઉત્તરાખંડના ચંપાવતમાં એક હૃદયદ્રાવક ઘટનામાં, લગ્નના મહેમાનોને લઈ જતી એક કાર ઊંડી ખાઈમાં ખાબકી ગઈ. આ અકસ્માતમાં માતા અને પુત્ર સહિત પાંચ લોકોના મોત થયા. અન્ય પાંચ લોકો ઘાયલ થયા. ઘાયલોને લોહાઘાટ સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. પિથોરાગઢ જિલ્લાના સેરાઘાટ વિસ્તારથી લગ્નના મહેમાનોને ચંપાવતના પાટી લઈ જતી કાર ગઈકાલે મોડી રાત્રે અકસ્માતનો ભોગ બની […]

કચ્છના ધોરડો ખાતે રણોત્સવ 2025-26નો મુખ્યમંત્રીએ કરાવ્યો પ્રારંભ

ધોરડો ખાતે રણોત્સવમાં સંસ્કૃતિને ઉજાગર કરતી કૃતિઓનો રંગારંગ કાર્યક્રમ યોજાયો, કચ્છના પ્રવાસનને વેગ આપવા વિવિધ વિકાસકાર્યોનાં મુખ્યમંત્રીએ ઈ-લોકાર્પણ કર્યું રણોત્સવમાં પ્રવાસીઓની સુવિધા માટે ઈન્ફ્રાસ્ટ્રચર ડેવલપમેન્ટની રાજ્ય સરકારની નેમઃ મુખ્યમંત્રી ભૂજઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે કચ્છ રણોત્સવ 2025નો સફેદ રણ ધોરડોથી પ્રારંભ કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું કે, કચ્છના રણને પ્રવાસનનું તોરણ અને વિશ્વ માટે ફેવરીટ ટુરીઝમ ડેસ્ટીનેશન બનાવવાનું […]

મિશેલ સ્ટાર્કે પિંક બોલ ડે-નાઈટ ટેસ્ટમાં ઈતિહાસ રચ્યો, વસીમ અકરમના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી

નવી દિલ્હી: મિશેલ સ્ટાર્ક પિંક બોલ ડે નાઈટ ટેસ્ટ: ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કે આજે ગાબા ખાતે શરૂ થયેલી બીજી એશિઝ ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે શાનદાર શરૂઆત કરી હતી. સ્ટાર્કે પહેલી ઓવરમાં બેન ડકેટને ગોલ્ડન ડક પર આઉટ કર્યો અને પછી બીજી ઓવરમાં ઓલી પોપને આઉટ કર્યો. આનાથી ઇંગ્લેન્ડ માટે શરૂઆતથી જ મુશ્કેલીઓ ઊભી થઈ. બે […]

ત્રણ દિવસથી સતત મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રદ થવા બદલ ઈન્ડીગોએ મુસાફરોની માફી માંગી

નવી દિલ્હી: દેશની સૌથી મોટી એરલાઇન, ઇન્ડિગોની ઘણી ફ્લાઇટ કામગીરી દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ અને અન્ય શહેરોમાં રોકી દેવામાં આવી હતી, જેના કારણે મોટી સંખ્યામાં મુસાફરોને અસુવિધા થઈ હતી. આજે પણ મોટી સંખ્યામાં ઇન્ડિગો ફ્લાઇટ્સ પ્રભાવિત છે. ઇન્ડિગો દિલ્હીથી ઉપડનારી 30 થી વધુ ફ્લાઇટ્સ રદ કરી રહી હોવાના અહેવાલ છે. જોકે, આ પાછળના કારણો અંગે કોઈ […]

કોંગ્રેસ દ્વારા ‘નશા મુક્ત ગુજરાત’ અભિયાનનો પ્રારંભ, હેલ્પલાઈન નંબર જાહેર કરાયો

ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સની બેફામ બદી સામે કોંગ્રેસ આંદોલન કરશે, નાગરિકો 99090 89365 પર મિસ્ડ કોલ કરી શકશે, એન.એસ.યુ.આઈ. દ્વારા ગુજરાત યુનિવર્સિટીથી બાઈક રેલી યોજાઈ  અમદાવાદઃ  ‘નશા મુક્ત ગુજરાત’ અભિયાન હેઠળ ગુજરાત એન.એસ.યુ.આઈ. દ્વારા ગુજરાત યુનિવર્સિટીથી વિવિધ કેમ્પસો આવરી લઈને બાઈક રેલી યોજાઈ હતી. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા, કાર્યકારી પ્રમુખ ઈન્દ્રવિજયસિંહ ગોહિલ […]

ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં 1.20 લાખ હેક્ટર વિસ્તારને સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ હેઠળ આવરી લેવાયો

ગુજરાતમાં સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિના વ્યાપમાં સતત વધારો, છેલ્લા બે દાયકામાં રાજ્યના 16.28 લાખથી વધુ ખેડૂતોએ સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અપનાવી, સૂક્ષ્મ સિંચાઈ યોજના હેઠળ ખેડૂતોનેરૂ. 9224.27 કરોડથી વધુની પ્રોત્સાહક સહાય અપાઈ ગાંધીનગરઃ આજના કૃષિ વૈશ્વિકરણ અને વૈવિધ્યતાના સમયમાં કૃષિને વધુ નફાકારક બનાવવા માટે સિંચાઈમાં પાણીનો અસરકારક ઉપયોગ અને વ્યવસ્થાપન થવું ખૂબ જ જરૂરી છે. એટલા માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code