1. Home
  2. Tag "Gujarati Report"

મિશન 2036 ઓલિમ્પિક માટે ભારત વૈશ્વિક ફલક પર ચમકવા સજ્જ: માંડવીયા

અમદાવાદ, 9 જાન્યુઆરી 2026:  શહેરના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કેન્દ્રીય રમત ગમત મંત્રી  મનસુખ માંડવીયા અને ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી તથા રમતગમત મંત્રી  હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં સ્પોર્ટ્સ ગવર્નન્સ કોંકલેવ યોજાઈ હતી. અમદાવાદ ખાતે આયોજિત સ્પોર્ટ્સ ગવર્નન્સ કોન્ક્લેવમાં કેન્દ્રીય રમતગમત મંત્રી  મનસુખ માંડવીયાએ ગુજરાતના સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના […]

કચ્છ–સૌરાષ્ટ્ર માટે નિકાસ અને રોકાણની નવી દિશાઓ,1500થી વધુ MoU થશે

ગાંધીનગર, 9 જાન્યુઆરી 2026: રાજકોટમાં યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત રીજનલ એક્ઝિબિશન (VGRE) અને વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) દરમિયાન ગુજરાતના વિકાસ ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ અધ્યાય ઉમેરાવાની તૈયારી છે. 11 થી 15 જાન્યુઆરી, 2026 દરમિયાન યોજાનારી આ પાંચ દિવસીય મહાપ્રદર્શન દરમિયાન રિવર્સ બાયર્સ-સેલર મીટ (RBSM) અંતર્ગત 1500થી વધુ સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે, જ્યારે […]

ગાંધીનગરમાં ટાઈફોડના કેસમાં વધારો, કોંગ્રસ પ્રતિનિધિ મંડળે દર્દીઓના ખબર-અંતર પૂછ્યાં

ગાંધીનગર, 9 જાન્યુઆરી 2026: પાટનગર એવા ગાંધીનગરમાં પાણીજન્ય રોગચાળો વકરી રહ્યો છે. જેમાં ટાઈફોડના કેસમાં રોજબરોજ વધારો થઈ રહ્યો છે. ત્યારે સ્થિતિની ગંભીરતાને જોતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા આજે કોંગ્રેસના પ્રતિનિધિમંડળ સાથે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની મુલાકાત લઈ તેમની પૂછપરછ કરી હતી અને તંત્રની કામગીરી સામે […]

ગોધરા-અમદાવાદ હાઈવે પર બે ટ્રક વચ્ચે અકસ્માતમાં ટ્રકનો ચાલક જીવતો ભૂંજાયો

ગોધરા, 9 જાન્યુઆરી 2026: રાજ્યના હાઈવે પર અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ ગોધરા-અમદાવાદ હાઈવે પર સર્જાયો હતો. અમદાવાદ ગોધરા હાઈવે પર ડોકટરના મુવાડા નજીક બે ટ્રક વચ્ચે ભયંકર ટક્કર થતાં બંને ટ્રકમાં ભયાનક આગ લાગી હતી. આ અકસ્માતમાં એક ટ્રકના ડ્રાઇવરને બહાર નીકળવાનો મોકો ન મળતાં એ જીવતો ભૂંજાઇ ગયો […]

વડોદરામાં 14 વર્ષની સગીરા પર ગેન્ગરેપની ઘટનામાં બે આરોપીની ધરપકડ

વડોદરા, 9 જાન્યુઆરી 2026: શહેરના નવા યાર્ડ વિસ્તારમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મના બનાવ બાદ પોલીસે તાત્કાલિક પગલા લઈ બે આરાપીને દબોચી લીધા છે. શહેરના નવા યાર્ડ વિસ્તારમાં રહેતી 14 વર્ષથી સગીરા ગઈકાલે દુકાને કોઈ ચીજ વસ્તુ લેવા ગઈ હતી તે દરમિયાન ત્યાં બેઠેલા બે યુવકોએ તેની સાથે વાતચીત કરીને નજીકના મકાનમાં લઈ ગયા હતા. ત્રણથી […]

સુરતની મ્યુનિ. શાળાની બે વિદ્યાર્થિનીઓ દૂબઈ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં પહોંચી

સુરત, 9 જાન્યુઆરી 2026: સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સુમન હાઈસ્કુલની બે વિદ્યાર્થિનીઓ સિલેક્ટ થતા આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવા માટે દૂબઈ પહોંચી છે. સુરતની સુમન મ્યુનિ. શાળામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), રોબોટિક્સ, ડ્રોન, 3-D પ્રિન્ટીંગ અને AR-VR ટેકનોલોજી સહિત શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આથી થોડા દિવસો પહેલાં અમદાવાદમાં યોજાયેલી WSRO 2025માં સુમન હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને ઉલ્લેખનીય સફળતા […]

ભારત-પાક સરહદ પર આવેલા નડાબેટમાં યાયાવર પક્ષીઓનો જમાવડો

થરાદ, 9 જાન્યુઆરી 2026: દર શિયાળાની સીઝનમાં વિદેશથી મોટી સંખ્યામાં પક્ષીઓ ગુજરાતની સહેલગાહે આવતા હોય છે. ત્યારે ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલા નડાબેટના રણમાં ભરાયેલા પાણીમાં છબછબિયા કરવા માટે મોટી સંખ્યામાં યાયાવર પક્ષીઓ મહેમાન બન્યા છે. 120થી વધુ પ્રજાતિના પક્ષીઓ લાખો કિલોમીટરનું અંતર કાપીને નડાબેટ પહોંચ્યા છે. આ યાયાવર પક્ષીઓ મુખ્યત્વે સેન્ટ્રલ એશિયન ફ્લાયવે (CAF) […]

થાનગઢના ખાખરાળી ગામ નજીક ગેરકાયદે કોલસાનું ખનન પકડાયું

સુરેન્દ્રનગર, 9 જાન્યુઆરી 2026: જિલ્લાના થાન તાલુકાના ખાખરાળી ગામ નજીક કોલસાના ગેરકાયદે ખનન સામે ચોટિલા પ્રાંત અધિકારી સહિત તેમની ટીમે દરોડો પાડતા કોલસા ખનન માટેના બે ચાલુ કૂવા મળી આવ્યા હતા. સ્થળ પરથી આશરે 70 ટન કોલસાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. ખનન માટે વપરાતો એક ચરખી સેટ પણ કબજે કરી તેને થાનગઢ મામલતદાર કચેરી […]

સોમનાથના સ્વાભિમાન પર્વ માટે રવિવારે એસટીની 1800 બસો ફાળવાશે

રાજકોટ, 9 જાન્યુઆરી 2026: બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ ગણાતા સોમનાથ ખાતે સોમનાથ સ્વાભિમાન પર્વની ઊજવણી કરવામાં આવી રહી છે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. 11મી જાન્યુઆરીને રવિવારે ઊજવણીમાં સહભાગી થશે. વડાપ્રધાનની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ત્યારે આ ઐતિહાસિક પર્વમાં સહભાગી થવા ગુજરાત સહિત દેશમાંથી ઉમટી પડનારા હજારો શ્રદ્ધાળુઓની સુવિધા માટે એસટી […]

અમદાવાદમાં પાણીના જગ વેચનારાઓએ પાણીને ક્લોરીનથી શુદ્ધ કરીને વેચવું પડશે

અમદાવાદ, 9 જાન્યુઆરી 2026: રાજ્યના મહાનગરોમાં પાણીજન્ય રોગચાળાએ માથુ ઉંચકતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અધિકારીઓને તકેદારીના પગલાં લેવાની સુચના આપવામાં આવી છે. તેમજ શહેરમાં પાણીનાં જગ (મોટી બોટલો)ના સપ્લાયરો માટે  પાણીનાં પ્યોરિફિકેશન થાય તેના માટે ક્લોરીનેશન કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. તેમના ધંધાકીય એકમોમાં ક્લોરિફિકેશન થાય તે પ્રકારનું ઇન્સ્ટોલેશન કરાવવાનું રહેશે. જો આ પ્રકારનું ક્લોરીન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code