1. Home
  2. Tag "Gujarati Report"

પોલીસ સ્ટેશનમાં ફાઈલ કરાતી અરજીના સુપરવિઝન માટે 35 IPSને જવાબદારી

અમદાવાદ, 6 ફેબ્રુઆરી 2026:  દરેક પોલીસ સ્ટેશનમાં કોઈ સમસ્યા કે પ્રશ્ન માટે અરજી કરતા હોય છે. અને અરજી પરની તાપસ બાદ ફરિયાદ નોંધવામાં આવતી હોય છે. પરંતુ પોલીસ સ્ટેશનમાં કરાયેલી અરજી પર પોલીસ સમયસર એકશન ન લેતી હોવાની ફરિયાદો વારંવાર ઉઠતી રહે છે. ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા એક નવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજ્યના […]

આંગણવાડી-આશાવર્કર કર્મચારીઓ 12મી ફેબ્રુઆરીએ દેશવ્યાપી હડતાળમાં જોડાશે

રાજકોટ, 6 ફેબ્રુઆરી 2026:  રાજ્યમાં આંગણવાડી અને આશાવર્કર તેમજ ફીસીલીટેટર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી પગાર વધારાની માગણી કરી રહ્યા છે. ઓગસ્ટ મહિનામાં ગુજરાત હાઈકોર્ટે પણ 6 મહિનામાં આંગણવાડી બહેનોના પગારમાં વધારો કરવા હુકમ કર્યો હતો. જેની મુદત 20મી ફેબ્રુઆરીએ પૂર્ણ થઈ રહી છે. ત્યારે  16મી ફેબ્રુઆરીએ રજૂ થનારા ગુજરાતના બજેટમાં પગાર વધારાની […]

સુરતમાં ઘર પાસે રમી રહેલા બાળક પર 5 કૂતરાએ હુમલો કરતા બાળકને હોસ્પિટલ ખસેડાયો

સુરત, 6 ફેબ્રુઆરી 2026:  સુરત શહેરમાં રખડતા કૂતરાનો ત્રાસ વધતા જાય છે. શહેરના લસકાણા વિસ્તારમાં વાલક પાટિયા નજીક પોતાના ઘર પાસે રમી રહેલા 4 વર્ષના બાળક પર ચારથી પાંચ જેટલા શ્વાનોએ હુમલો કર્યો હતો.અને શરીરના જુદા જુદા અંગોમાં બચકા ભર્યા હતા. બુમાબુમ થતાં પરિવારના સભ્યો અને આજુબાજુના લોકો દોડી આવ્યા હતા.શ્વાનોના હુમલામાં ઈજાગ્રસ્ત અને લોહીલુહાણ […]

અમદાવાદમાં SG હાઈવેને ડસ્ટ ફ્રી અને આઈકોનિક બનાવવા UN મહેતા ફાઉન્ડેશન ખર્ચ કરશે

અમદાવાદ, 6 ફેબ્રુઆરી 2026:  શહેરના એસજી હાઈવેને નવિનીકરણ કરવાનું કામ ચાલી રહ્યું છે. જેમાં હાઈવેની આજુબાજુ ટ્રી પ્લાન્ટેશન અને વોક વે સહિતની સુવિધા સાથે બ્યુટિફિકેશનનું કામ કરવામાં આવી રહ્યું છે. પ્રથમ તબક્કામાં ઈસ્કોનથી પકવાન સુધીનો રોડ ડેવલોપ કરવામાં આવ્યો છે. આ રોડની ડિઝાઇનથી લઈ બ્યુટીફિકેશન સહિતની કામગીરી યુ.એન મહેતા ફાઉન્ડેશનને સોંપવાનો નિર્ણય સ્ટેન્ડિંગ કમિટીએ નિર્ણય […]

અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં લાગેલી આગ 3 કલાકે કાબુમાં આવી

અમદાવાદ, 6 ફેબ્રુઆરી 2026:  શહેરના નરોડા વિસ્તારમાં મુક્તિધામ નજીક આવેલા અમરનાથ એસ્ટેટમાં અગરબત્તીના કારખાનામાં ગત મોડી રાત્રે આગ લાગી હતા અને આગે જોતજોતામાં વિકરાળરૂપ ધારણ કર્યું હતું. આગ લાગ્યાની જાણ ફાયરબ્રિગેડને કરાતા ફાયર બ્રિગેડની 9 ગાડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અને ત્રણ કલાક પાણીનો સતત મારો કરીને આગને કાબૂમાં લીધી હતી. આગ એટલી વિકરાળ હતી […]

અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થી પર સાથે ભણતા 3 વિદ્યાર્થીઓએ કર્યો હુમલો

અમદાવાદ, 6 ફેબ્રુઆરી 2026:  શહેરમાં મણિનગર વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલનો સરકારે વહિવટ સંભાળ્યા બાદ પણ વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીનો વધુ એક બનાવ બન્યો છે. સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 7ના વિદ્યાર્થીને 3 વિદ્યાર્થીએ માર મારી શર્ટના બટન તોડી નાખ્યા હતા. વિદ્યાર્થીએ મોનિટર હોવાથી અન્ય વિદ્યાર્થીઓને લાઇનમાં આવવા કહ્યું હતું, જેની અદાવત રાખીને ત્રણ વિદ્યાર્થીએ એક વિદ્યાર્થીને […]

સાબરમતીમાં આસારામ આશ્રમની 45 હજાર ચો.મી જમીન પરત લેવા HCની મંજુરી

અમદાવાદ,5 ફેબ્રુઆરી 2026:   શહેરના સાબરમતીના મોટેરા વિસ્તારમાં આવેલી આસારામ આશ્રમની વિવાદિત જમીનના મુદ્દે રાજ્ય સરકાર વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. આ મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચતા કેસની સુનાવણી બાદ ગુજરાત હાઇકોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે રાજ્ય સરકારના પગલાને યોગ્ય ઠેરવતા આશ્રમ હસ્તકની 45,000 ચોરસ મીટરથી વધુ જમીન પરત લેવાને ગ્રીન સિગ્નલ મળી ગયું છે. આ […]

અમદાવાદ રેલવે ડિવિઝને 10 મહિનામાં પ્રવાસીઓ પાસેથી 25.72 કરોડનો દંડ વસૂલ્યો

અમદાવાદ, 5 ફેબ્રુઆરી 2026:  પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન દ્વારા છેલ્લા 10 મહિનામાં ટિકિટ વગર મુસાફરી કરતાં, ગંદકી ફેલાવતા તથા રેલવે સ્ટેશન- ટ્રેનમાં થૂંકતા પ્રવાસીઓ સામે કાર્યવાહી કરી કુલ 25.72 કરોડનો દંડ વસૂલ્યો હતો. જે ગત વર્ષની સરખામણીએ 54 ટકા વઘુ છે. એટલું જ નહીં જાન્યુઆરીમાં તો દર કલાકે તંત્રએ આવા 43 લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરી […]

ધોળકા-બગોદરા હાઈવે પર ટ્રક અજાણ્યા વાહનની પાછળ અથડાતા 3નાં મોત

અમદાવાદ, 5 ફેબ્રુઆરી 2026:  રાજ્યમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ આજે વહેલી ધોળકા-બગોદરા હાઈવે પર સર્જાયો હતો. પૂરફાટ ઝડપે આઈસર ટ્રક કોઈ અજાણ્યા વાહનની પાછળ અથડાતા ટ્રકમાં પ્રવાસ કરી રહેલા પતિ-પત્ની અને તેમના  પુત્રનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજતા સમગ્ર પંથકમાં અરેરાટી છવાઈ ગઇ છે. અકસ્માત એટલો ભયાનક હતો […]

સૌરાષ્ટ્રમાં વાહનોની અડફેટે સિંહ સહિત વન્ય પ્રાણીઓને બચાવવા એક્શન પ્લાન

રાજકોટ, 5 ફેબ્રુઆરી 2026:  સૌરાષ્ટ્રના 5 જિલ્લાઓના હાઈવે તેમજ રોડ-રસ્તાઓ પર અવાર-નવાર સિંહ સહિત વન્ય પ્રાણીઓ આવી જતા હોય છે. અને અકસ્માતનો ભોગ બનતા હોય છે. ત્યારે આવા અકસ્માતો રોકવા માટે વનવિભાગે કમર કસી છે. તાજેતરમાં અમરેલી જિલ્લામાં વાહન અકસ્માતમાં સિંહોના મૃત્યુની વધતી ઘટનાઓને પગલે પીસીસીએફ (PCCF) દ્વારા વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ વિડિયો કોન્ફરન્સ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code