1. Home
  2. Tag "Gujarati Report"

અમિતાભ બચ્ચનને પગે લાગ્યા બાદ ખાલિસ્તાની આતંકવાદીઓએ દિલજીત દોસાંજને ધમકી આપી

નવી દિલ્હી: ખાલિસ્તાની સમર્થક આતંકવાદી સંગઠન શીખ્સ ફોર જસ્ટિસે અમિતાભ બચ્ચનના પગ સ્પર્શ કર્યા બાદ ઓસ્ટ્રેલિયામાં પંજાબી ગાયક દિલજીત દોસાંઝના આગામી કોન્સર્ટને રોકવાની ધમકી આપી છે. શીખ્સ ફોર જસ્ટિસ (SFJ) એ કહ્યું કે અમિતાભના પગ સ્પર્શ કરીને, દિલજીતે “1984ના શીખ હત્યાકાંડના દરેક પીડિત, દરેક વિધવા અને દરેક અનાથનું અપમાન કર્યું છે”. કૌન બનેગા કરોડપતિ પર […]

ઝીંઝુવાડાના રણમાં વછરાજ દાદાના દર્શને ગયેલા 100 શ્રદ્ધાળુઓ ફસાતા રેસ્ક્યુ કરાયુ

ઝીઝુવાડાના અફાટ રણમાં માવઠાને લીધે કાદવ-કીચડ થયો, દર્શનાર્થીઓની 8 કાર અને 1 બસ કાદવમાં ફસાઈ ગઈ, ઝીંઝુવાડાના યુવાનોએ ટ્રેકટરની મદદથી આખીરાત રેસ્ક્યુ કરીને કાદવમાંથી વાહનો બહાર કાઢ્યા સુરેન્દ્રનગરઃ કચ્છના નાના રણ તરીકે ઓળખાતા ઝીંઝુવાડા નજીક રણમાં વાછરડા દાદાનુ મંદિર આવેલુ છે. અને રોબરોજ અનેક શ્રદ્ધાળુઓ દર્શન માટે આવતા હોય છે. તાજેતરમાં પડેલા કમોસમી વરસાદને કારણે […]

સનાઈ તાકાઈચીએ જાપાનના પ્રધાનમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો, નરેન્દ્ર મોદીએ શુભેચ્છા પાઠવી

નવી દિલ્હીઃ ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાપાનના પ્રધાનમંત્રી સાથે ફોન પર વાત કરી. જાપાનને તાજેતરમાં જ તેના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી મળ્યા. સનાઈ તાકાઈચીએ જાપાનના પ્રધાનમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો. પ્રધાનમંત્રી મોદીએ જાપાનના પ્રધાનમંત્રી બનવા બદલ તાકાઈચીને અભિનંદન આપ્યા. પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી શેર કરતા લખ્યું, “જાપાનના પ્રધાનમંત્રી સનાઈ તાકાઈચી સાથે ઉષ્માભરી […]

નાગપુરમાં ખેડૂતોનો લોન માફી માટે વિરોધ યથાવત, ટ્રાફિક જામ કરીને ટ્રેનો રોકવાની ચીમકી આપી

નવી દિલ્હી: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મંત્રી અને પ્રહાર પાર્ટીના નેતા બચ્ચુ કડુના નેતૃત્વમાં નાગપુરમાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન બીજા દિવસે પણ ચાલુ રહ્યું. પ્રદર્શનકારીઓએ રાજ્યભરના દેવાગ્રસ્ત ખેડૂતો માટે તાત્કાલિક અને બિનશરતી લોન માફીની માંગ કરી છે. નાગપુર-હૈદરાબાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ (NH-44) પર સેંકડો ખેડૂતો એકઠા થયા હતા અને ટ્રાફિક રોકી દીધો હતો અને કૃષિ સંકટના ઉકેલમાં રાજ્ય સરકારની […]

દહેગામના સિનિયર સિટિઝનને ડિજિટલ એરેસ્ટ કરી ગઠિયાઓએ રૂપિયા 44.76 લાખ પડાવ્યા

વિડિયો કોલ કરીને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ઓળખ આપી, તમારા મોબાઈલના નંબર પર 24 ગુનો નોંધાયા હોવાનું કહીને ધમકી આપી, મ્યુચ્યુઅલ ફંડ અને બેંક ખાતામાંથી રકમ ટ્રાન્સફર કરાવી ગાંધીનગરઃ કેન્દ્ર કે રાજ્યના સરકારી વિભાગો કે અધિકારીઓ દ્વારા કોઈનેય ડિજિટલ એરેસ્ટ કરી શકાતા નથી એવી સરકારે સ્પષ્ટ સુચના અને જાહેરાતો કરી હોવા છતાંયે ઘણા લોકો સાયબર માફિયાની […]

વડોદરામાં વરસાદે વિરામ લીધા બાદ ઘરોમાં ભરાયેલા પાણી ન ઉતરતા લોકોનો મ્યુનિ. સામે આક્રોશ

વડોદરાના નવાપુરાના 56 ક્વાર્ટસ ખાતે વરસાદને લીધે ઘરોમાં બબ્બે ફૂટ પાણી ભરાયા છે, વરસાદે વિરામ લીધા બાદ કલાકો સુધી પાણી ન ઉતરતા કોર્પોરેટર સામે રોષ વ્યક્ત કર્યો, છેલ્લા 10 વર્ષ કરતા વધુ સમયથી લોકો સમસ્યાથી લોકો પીડાઇ રહ્યા છે, વડોદરાઃ  શહેરમાં બે દિવસ પહેલા એટલે કે ગત સોમવારે રાત્રે પાંચ ઈંચ જેટલો કમોસમી વરસાદ પડતા […]

એપીજે અબ્દુલ કલામ બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ફાઇટર જેટમાં ઉડાન ભરી

નવી દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અંબાલા એરબેઝ પરથી રાફેલ ફાઇટર જેટમાં ઉડાન ભરી હતી. ભારતીય સશસ્ત્ર દળોના સુપ્રીમ કમાન્ડર મુર્મુએ 8 એપ્રિલ, 2023 ના રોજ આસામના તેઝપુર એરફોર્સ સ્ટેશન પર સુખોઈ-30 ફાઇટર એરક્રાફ્ટ ઉડાડ્યું હતું. અગાઉ, રાષ્ટ્રપતિ હતા ત્યારે, એપીજે અબ્દુલ કલામે 8 જૂન, 2006ના રોજ સુખોઈ-30 MKI ફાઇટર એરક્રાફ્ટમાં ઉડાન ભરી હતી અને પ્રતિભા […]

અમદાવાદની શહેર જિલ્લા શિક્ષણાઅધિકારીની કચેરીનું વિભાજન કરવા શાળા સંચાલકોની માગ

અમદાવાદના પશ્વિમ અને પૂર્વ એમ બે ડીઈઓની કચેરી હોવી જોઈએ, શહેરના બાપુનગર કે ખોખરામાં નવી ડીઈઓની કચેરી શરૂ કરવા માગ, ખાનગી સ્કૂલોમાં ત્રણ ગણો વધારો થતાં ડીઈઓ કચેરીમાં કામગીરીનું ભારણ વધ્યું છે, અમદાવાદઃ શહેરમાં ખાનગી શાળાઓની સંખ્યામાં વધારો થતા શહેરની જિલ્લા શિક્ષણાધિકારી (DEO) કચેરીમાં કામનું ભારણ વધતું જાય છે. તેમજ પૂર્વ વિસ્તારની શાળાઓને વહિવટી કામગારી […]

ગાંધીનગર સ્પીપા ખાતે ‘અટલ સંસ્મરણ વ્યાખ્યાનમાળા’ના બીજા સત્રનું આયોજન કરાયું

ગાઇડેડ બાય વિઝન, ગવર્ન્ડ બાય વેલ્યુઝ’ વિષય પર ગોષ્ઠિ યોજાઈ, વાજપેયીજી એક બુદ્ધિજીવી, કવિ, ફિલોસોફર અને ઉમદા રાજકારણી હતાઃ ચિનોય, રાજકીય બાબતોને તેમના દૃષ્ટિકોણ પર ક્યારેય હાવી થવા દીધી ન હતી, ગાંધીનગરઃ દેશના પૂર્વ વડાપ્રધાન અને ભારતરત્ન સ્વ.  અટલ બિહારી વાજપેયીજીની 100મી જન્મજયંતિ પ્રસંગે  રાજ્ય સરકાર દ્વારા ‘અટલ સંસ્મરણ વ્યાખ્યાનમાળા’નું સમગ્ર વર્ષ દરમિયાન આયોજન કરવામાં આવી રહ્યું છે. જે […]

મુંબઈથી જાલના જતી લક્ઝરી બસમાં આગ, ડ્રાઈવરની સતર્કતાને કારણે 12 મુસાફરોનો જીવ બચ્યાં

નવી દિલ્હી: છેલ્લા કેટલાક અઠવાડિયાથી, દેશના વિવિધ ભાગોમાંથી બસ અકસ્માતોના સમાચાર આવી રહ્યા છે. આમાંની સૌથી દુ:ખદ ઘટના આંધ્રપ્રદેશના કુર્નૂલમાં બની હતી. તાજેતરની ઘટના મહારાષ્ટ્રના મુંબઈની છે. મુંબઈથી જાલના જતી એક ખાનગી લક્ઝરી બસમાં આગ લાગી હતી. જોકે, ડ્રાઇવરની સતર્કતાને કારણે બસમાં સવાર મુસાફરોનો જીવ બચી ગયો. મુંબઈથી જાલના જતી ખાનગી બસમાં નાગપુર લેન પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code