1. Home
  2. Tag "Gujarati Samac ar"

આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર, મહાદેવજીના મંદિરમાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઊમટી પડ્યાં

સોમનાથમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ, ભક્તોએ શિવલિંગ પર જળાભિષેક, દુધાભિષેક અને બિલ્વપત્ર અર્પણ કરીને પૂજા-અર્ચના કરી, અમદાવાદઃ આજે શ્રાવણ મહિનાના બીજા સોમવારે રાજ્યભરના શિવ મંદિરોમાં દર્શન માટે ભાવિકોની વહેલી સવારથી ભારે ભીડ જોવા મળી હતી. ‘બમ બમ ભોલે’ અને ‘હર હર મહાદેવ’ના નાદથી મંદિરોનું વાતાવરણ ભક્તિમય બની ગયું છે. સોમનાથ મહાદેવ અને ભવનાથ […]

રાસાયણિક ખાતર અંગેની ફરિયાદ-રજૂઆત માટે જિલ્લા અને તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ કાર્યરત કરાયા

રાજ્ય કક્ષાના કંટ્રોલ રૂમ માટે079-23256080 હેલ્પલાઈન નંબર જાહેર, ખેડૂતો હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરીને ખાતર વિતરણ સંદર્ભે રજૂઆત કરી શકશે, ખેડૂતોની રજુઆત બાદ ત્વરિત પગલાં ભરાશે ગાંધીનગરઃ રાજ્યમાં ખાતર ઉપલબ્ધિ તેમજ વિતરણ સંદર્ભે સરળતા રહે અને ખેડૂત સંબંધી રજૂઆત તથા મુશ્કેલી ધ્યાને આવે તે અને તેના ત્વરિત નિરાકરણ માટે ખેતી નિયામકની કચેરી દ્વારા વિશેષ પહેલ કરવામાં […]

શ્રાવણ શુક્લ નવમી પર શ્રી સોમનાથ મહાદેવનો ‘સૂર્ય દર્શન શ્રૃંગાર કરાયો

સોમનાથ જ્યોતિર્લિંગને ચંદન તથા પુષ્પોથી નિર્મિત સૂર્ય પ્રતિકૃતિથી અલંકૃત કરાયા, શાસ્ત્રો કહે છે કે “શિવત્વ વગર ન તો જીવનનું સ્પંદન છે, ન ચેતનાનો ઉદય”, ભાવિકો સોમનાથ મહાદેવજીના દર્શન માટે ઉમટી પડ્યા સોમનાથઃ શ્રાવણ શુક્લ નવમીના પાવન દિવસે આદિ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવનો વિશેષ ‘સૂર્ય દર્શન શ્રૃંગાર’ કરવામાં આવ્યો હતો. પ્રાચીન શાસ્ત્રો અનુસાર, આજનું પવિત્ર પ્રભાસ […]

ગુજરાતમાં અમદાવાદ સહિત 12 કેન્દ્રો પર NEET PGની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે સંપન્ન

અમદાવાદમાં LJ યુનિવર્સિટીમાં એક જ સેન્ટર, ટ્રાફિક જામ થતા વિદ્યાર્થી મુશ્કેલીમાં મૂકાયા, NEET PGની પરીક્ષાના સરળ પેપરથી ઉમેદવારો ખુશ, પેપર સરળ રહ્યું હોવાથી મેરિટ ઊંચું જાય તેવી શક્યતા અમદાવાદઃ  આજે દેશભરમાં મેડિકલના વિદ્યાર્થીઓ માટેની NEET PGની પરીક્ષા યોજાઈ હતી. MBBS પછી માસ્ટર્સ માટેની આ પ્રવેશ પરીક્ષા સિંગલ સેશનમાં લેવામાં આવી હતી. સવારે 9:00 વાગ્યાથી પરીક્ષાનો […]

અમરેલી જિલ્લામાં સિંહબાળના મોતના વિવાદ વચ્ચે વધુ એક સિંહણનું મોત

ધારાસભ્યએ વનમંત્રીને પત્ર લખીને તપાસની માગ કરી, માંડરડી ગામના એક ખેડૂતની વાડીમાંથી સિંહણનો મૃતદેહ મળ્યો, ગાંધીનગરથી વન વિભાગના ઉચ્ચ અધિકારીઓની ટીમ પહોંચી અમરેલીઃ જિલ્લામાં સિંહની વસતીમાં વધારો થયો છે. ત્યારે ત્રણ સિંહબાળના મોતને લીધે વન વિભાગની બેદરકારી સામે સવાલો ઊઠ્યા છે. સિંહોના મોતની ઘટનાઓ વધતાં વન વિભાગમાં દોડધામ મચી ગઈ છે. ત્રણ-ત્રણ સિંહબાળના મોતના સમાચાર […]

સુરત મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ગ્રીન વ્હીકલ પોલીસી માટે ડ્રાફ્ટ તૈયાર

દેશમાં ગ્રીન પોલિસી અમલી કરનારૂ સુરત પહેલું શહેર બનશે, સુરત શહેરમાં 2030 સુધીમાં 50 ટકા સુધી ઈ-વ્હીકલ હોય તે પ્રમાણે આયોજન કરાશે, પોલીસીના અમલ માટે ગ્રીન વ્હીકલ સેલ બનાવાશે સુરતઃ શહેરની મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગ્રીન વ્હીકલ્સ પોલીસી માટે ડ્રાફ્ટ તૈયાર કરી દેવાયો છે. મ્યુનિ.કોર્પોરેશને વર્ષ 2021 માં ભારતની સૌથી પહેલી ઈ-વ્હીકલ પોલીસી બનાવી હતી. આ […]

ગુજરાતમાં વરસાદી સીઝનમાં મહાનગરો અને નાના શહેરોમાં રખડતા ઢોરની સમસ્યા વકરી

મહેસાણામાં આખલાએ એક વૃદ્ધનો લીધો ભોગ, નાના શહેરોમાં રખડતા ઢોર પકડવાની કાયમી કોઈ વ્યવસ્થા નથી, તળાજામાં પણ રખડતા આખલાને કારણે મુસાફરો ભરેલી રિક્ષાનો અકસ્માત અમદાવાદઃ  રાજ્યના અમદાવાદ, વડોદરા સુરત સહિત તમામ મહાનગરો અને નાના શહેરોમાં ચોમાસાની વરસાદી સીઝનને લીધે રખડતા ઢોરની સમસ્યા વકરી રહી છે. રોડ પર રખડતા ઢોર અડિંગો જમાવીને બેસી રહેતા હોવાથી રાહદારીઓ […]

ગીર સોમનાથ જિલ્લામાં પખવાડિયાથી વરસાદ ખેંચાતા ખરીફ પાક બચાવવા ખેડૂતોની મથામણ

ગીર સોમનાથ જિલ્લામાં 1.47 લાખ હેકટરમાં ખરીફ પાકનું વાવેતર જોખમમાં, ખેડૂતો ફુવારા અને ડ્રિપ ઈરિગેશનથી પાક બચાવવાના પ્રયાસો, હાલ વરસાદની જરૂર છે, ત્યારે મેઘરાજા રિસાયા વેરાવળઃ  ગીર સોમનાથ જિલ્લામાં અષાઢ પ્રારંભથી સારોએવો વરસાદ પડતા મોટાભાગના ખેડૂતોએ ખરીફ પાકનું વાવેતર પૂર્ણ કર્યું છે. ખરીફ પાકને હાલ પાણીની ખાસ જરૂર છે, ત્યારે છેલ્લા પંદર-વીસ દિવસથી વરસાદ ન […]

અંબાજીમાં ભાદરવી પૂનમના દર્શને જતા પદયાત્રીઓ માટેના સેવાકેમ્પની નોંધણી ફરજિયાત

અંબાજી મંદિરની વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી, અંબાજી ખાતે 1લી સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમનો મહામેળો યોજાશે, ઓનલાઇન નોંધાયેલા સેવા કેમ્પોની ચકાસણી કરી પ્રાંત અધિકારી દ્વારા મંજૂરી અપાશે, અંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો 7 દિવસનો મહામેળો યોજાય છે. ભાદરવી પૂનમના દિને અંબાજી માતાજીના દર્શનનું વિશેષ મહાત્મ્ય છે. અને લાખોની સંખ્યામાં યાત્રાળુઓ દર્શન માટે ઉમટી પડતા હોય છે. […]

સુરેન્દ્રનગર જિલ્લો કપાસના વાવેતરમાં મોખરે, 3.66 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર

કપાસમાં ચુસિયા, મગફળીમાં સુકારાના રોગનો ઉપદ્રવ, જિલ્લામાં અત્યારસુધીમાં કુલ 5,07,250 કુલ હેકટરમાં ખરીફ પાકનું વાવેતર થયુ, નર્મદાના નીરથી સંચાઈનો લાભ મળતા કપાસના વાવેતરમાં વધારો સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં સિંચાઈ માટે નર્મદા યોજનાનો લાભ મળ્યા બાદ કપાસના વાવેતરમાં વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં અત્યારસુધીમાં કુલ 5,07,250 કુલ હેકટરમાં ખરીફ વાવેતર થયુ છે. જેમાં ખેડૂતોએ સૌથી વધુ 3,66,919 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code