મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેમ્પના હનુમાનજી મંદિરમાં આરતી કરીને શોભાયાત્રાનો પ્રારંભ કરાવ્યો
અમદાવાદઃ શહેરમાં આવતી કાલે 6ઠ્ઠી એપ્રિલના રોજ હનુમાનજી જ્યંતિ હોવાથી તમામ હનુમાનજીના મંદિરોમાં ભવ્ય ઊજવણીઓ કરવામાં આવશે. શહેરના સુપ્રસિદ્ધ ગણાતા કેમ્પના હનુમાનજી મંદિરથી આજે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સવારે કેમ્પના હનુમાનજીના મંદિર પહોંચીને આરતી કરીને યાત્રાનો શુભારંભ કરાવ્યો હતો. અમદાવાદ સહિત ગુજરાતભરમાં આવતીકાલે 6ઠ્ઠી એપ્રિલે હનુમાન જ્યંતી હોવાથી […]