1. Home
  2. Tag "Health department"

દિલ્હીમાં કોવિડના કેસ વધતા આરોગ્ય વિભાગ સાબદુ બન્યું, હોસ્પિટલોને સતર્ક રહેવા તાકીદ કરાઈ

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં કોવિડ-૧૯ના કેસમાં થોડો વધારો થતાં સરકારે સાવચેતી રાખવાનું શરૂ કરી દીધું છે. પરિસ્થિતિની સમીક્ષા કરતી વખતે, દિલ્હીના આરોગ્ય પ્રધાન પંકજ સિંહે જણાવ્યું હતું કે દિલ્હીમાં અત્યાર સુધીમાં 23 સક્રિય કોવિડ-19 કેસ નોંધાયા છે, જેની પુષ્ટિ ખાનગી લેબોરેટરીઓ દ્વારા કરવામાં આવી છે. તેમણે એમ પણ કહ્યું કે આ ચેપગ્રસ્ત લોકો દિલ્હીના રહેવાસી […]

ગુજરાતના સરહદી જિલ્લાઓમાં પોલીસ સતર્ક, આરોગ્ય વિભાગે રજાઓ રદ કરી

અમદાવાદઃ પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારત દ્વારા ઓપરેશન સિંદૂર શરુ કરાયું છે. પાકિસ્તાન તેની નાપાક હરકતોથી પાછળ નથી હટતું. શુક્રવારે પાકિસ્તાને ફરી એકવાર ભારતના ઘણા ભાગોમાં ડ્રોનથી હુમલો કર્યો, પરંતુ ભારતીય સેનાએ બધા ડ્રોનને તોડી પાડ્યા. દરમિયાન, સાવચેતીના પગલા રૂપે ગુજરાતના ઘણા વિસ્તારોમાં તેમજ દેશના અન્ય રાજ્યોમાં બ્લેકઆઉટ લાદવામાં આવ્યો છે. ગુજરાતમાં ક્યાં ક્યાં બ્લેકઆઉટ […]

આરોગ્ય વિભાગના અધિક સચિવ સહિત બે અધિકારી રૂ. 15 લાખની લાંચ લેતા પકડાયા

સસ્પેન્ડ કરાયેલા બે તબીબો સામે કાર્યવાહી ન કરવા લાંચ માગી હતી બન્ને તબીબો પાસે 30 લાખની લાંચ માગી હતી, જેમાં પ્રથમ 15 લાખ લેતા પકડાયા લાંચમાં પકડાયેલો એક અધિકારી ડેન્ટલ કોલેજનો નિવૃત ડિન છે અમદાવાદઃ ગુજરાતમાં સરકારી કામો લાંચ આપ્યા વિના થતા નથી એવી ફરિયાદો ઊઠી છે. જોકે આ મામલે એબીસી એલર્ટ છે. ફરિયાદ મળે […]

સરકાર આરોગ્ય વિભાગમાં કાયમી અને આઉટસોર્સથી ખાલી જગ્યાઓ ભરે છે

રાજ્યના પ્રત્યેક નાગરિકને શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ કરાવવા સરકાર કટિબધ્ધ CHC કેન્દ્રોમાં વર્ગ-2ની 96 ટકા અને PHC કેન્દ્રમાં 76.75 ટકા ભરાયેલી છે 25 ખાનગી એજન્સીઓ મેન પાવર ઉપલબ્ધ કરાવી રહી છે  ગાંધીનગરઃ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે રાજ્યના P.H.C. અને C.H.C.માં આઉટસોર્સીંગ સેવાઓ સંદર્ભે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે, રાજ્યના પ્રત્યેક નાગરિકને ઉત્તમ, શ્રેષ્ઠ અને સઘન સારવાર મળી રહે તે માટે ખાલી જગ્યાઓએ […]

ગાંધીનગર: સિનિયર સિટિઝનનો ઝીકા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ થયું દોડતું

અમદાવાદઃ ગાંધીનગરના સેકટર-5માં રહેતા 75 વર્ષીય સિનિયર સિટિઝનમાં ઝીકા વાયરસનો કેસ નોંધાયા બાદ રાજ્યના આરોગ્ય તંત્રમાં ચિંતા વ્યાપી છે. આ સિનિયર સિટિઝનના સ્વાસ્થ્યમાં અસ્વસ્થતા જોવા મળતા તેમને તાત્કાલિક તપાસ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં શંકાસ્પદ લક્ષણોને કારણે તેમના બ્લડ સેમ્પલ પુણેની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા. તપાસમાં ઝીકા વાયરસ પોઝિટિવ આવતા તંત્રએ લોકહિત માટે તાત્કાલિક […]

મેલેરિયા સહિત વિવિધ રોગોને અટકાવવા આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ

અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં ભારે વરસાદના પગલે ચોમાસામાં મચ્છરજન્ય રોગો જેવા કે મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા વગેરેનો ઉપદ્રવ વધુ પ્રમાણમાં જોવા મળે છે. તેનાથી બચવા આપણે સૌએ તકેદારી રાખવી જરૂરી છે. મેલેરિયા રોગ ચેપી માદા એનોફીલીસ મચ્છર દ્વારા જ્યારે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા માદા એડીસ મચ્છરોના કરડવાથી થાય છે. જેથી આ રોગના નિયંત્રણ માટે આપણે સૌએ સહિયારા […]

ગુજરાતઃ જીવન રક્ષક આરોગ્ય દવાઓના એસેન્સિયલ ડ્રગ લીસ્ટમાં નવી 665 દવાનો ઉમેરો

અમદાવાદઃ રાજ્ય સરકારે જીવન રક્ષક આરોગ્ય દવાઓના એસેન્સિયલ ડ્રગ લીસ્ટ (EDL) ૨૦૨૪-૨૫માં નવી ૬૬૫ દવાનો ઉમેરો કર્યો છે. આ અંગે માહિતી આપતાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે  જણાવ્યું હતું કેઅગાઉ રાજ્ય સરકારના એસેન્સિયલ ડ્રગ લીસ્ટમાં ૭૧૭ દવાઓ હતી, જે હવે વર્ષ ૨૦૨૪-૨૫માં વધીને ૧૩૮૨ થઇ છે. રાજ્યના પ્રત્યેક દર્દીને શ્રેષ્ઠતમ સારવાર અને ગુણવત્તાયુક્ત દવાઓ ઉપલબ્ધ કરાવવી, એ […]

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો હાહાકાર, મૃત્યુઆંક 44ને પાર

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા ત્રણ સપ્તાહથી ચાંદીપુરા વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. વહીવટીતંત્ર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કારણે અત્યાર સુધીમાં 44 દર્દીઓનાં મૃત્યુ થયા છે.  ગુજરાતમાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના 124 કેસ નોંધાયા છે. હાલમાં, ચાંદીપુરા વાયરસથી સંક્રમિત 54 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે જ્યારે 26 દર્દીઓને રજા આપવામાં […]

કેરળમાં નિપાહ વાયરસનો કહેર, આરોગ્ય વિભાગ આવ્યું હરકતમાં

બેંગ્લોરઃ મલ્લપુરમ જિલ્લાના એક 14 વર્ષના છોકરાનું નિપાહ વાયરસથી મૃત્યુ થયું છે. પુણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV) દ્વારા તેની ખરાઈ કરવામાં આવી છે. એક્યુટ એન્સેફાલીટીસ સિન્ડ્રોમ (AES)ના લક્ષણો દર્શાવનાર છોકરાને કોઝિકોડના ઉચ્ચ આરોગ્ય કેન્દ્રમાં સ્થાનાંતરિત કરવામાં આવે તે પહેલાં શરૂઆતમાં પેરીન્થાલમન્નામાં આરોગ્યસંભાળ સુવિધામાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાં તબીબી પ્રયત્નો છતાં તબીબી પ્રયત્નો સફળ […]

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનાં કેસનો આંકડો વધી 58ને પાર પહોંચ્યો

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વાયરલ એનકેફેલાઇટીસ કે ચાંદીપુરા વાયરસના કેસ વિવિધ જિલ્લાઓમાં જોવા મળી રહ્યા છે.ચાંદીપુરા કે વાયરલ એનકેફેલાઇટીસ રોગથી ગભરાવવાની જરૂર નથી પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે. રાજ્યભરમાં ચાંદીપુરા વાઇરસથી સંક્રમિત દર્દીઓના કેસમાં દિવસે ને દિવસે ઉછાળો આવી રહ્યો છે. ત્યારે સરકારે જાહેર કરેલા આંકડા મુજબ, ચાંદીપુરા વાઇરસના કુલ કેસની સંખ્યા વધીને 58 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code