બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે હિન્દુઓ ઉપર 3 હજારથી વધારે હુમલા થયા, ભારત સરકારનો ખુલાસો
નવી દિલ્હી, 13 માર્ચ 2026: પાડોશી દેશ બાંગ્લાદેશમાં લઘુમતી સમુદાયો, ખાસ કરીને હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારોને લઈને કેન્દ્ર સરકારે સંસદમાં ચોંકાવનારા આંકડા રજૂ કર્યા છે. રાજ્યસભામાં એક લેખિત જવાબમાં વિદેશ રાજ્ય મંત્રી પબિત્રા માર્ગેરીટાએ જણાવ્યું હતું કે, ઓગસ્ટ 2024 થી ફેબ્રુઆરી 2026 સુધીના માત્ર 18 મહિનાના ગાળામાં લઘુમતીઓ વિરુદ્ધ હિંસાની આશરે 3,100 જેટલી ઘટનાઓ […]


