1. Home
  2. Tag "india"

દિલ્હીઃ ભારત અને જાપાન વચ્ચે ત્રીજી બેઠક 20 ઓગસ્ટે યોજાશે

નવી દિલ્હીઃ ભારત અને જાપાનના સંરક્ષણ અને વિદેશ મંત્રીઓની ત્રીજી બેઠક મંગળવારે નવી દિલ્હીમાં યોજાશે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકર આ બેઠકમાં ભાગ લેશે. જાપાન તરફથી સંરક્ષણ પ્રધાન મિનોરુ કિહારા અને વિદેશ મંત્રી યોકો કામિકાવા બેઠકમાં ભાગ લેશે. બંને દેશોના સંરક્ષણ અને વિદેશ મંત્રીઓની છેલ્લી બે […]

ભારત પરત પહોંચી વિનેશ ફોગાટ, એરપોર્ટ ઉપર ભવ્ય સ્વાગત

દેશવાસીઓનો પ્રેમ જોઈ વિનેશ ફોગાટ થઈ ભાવુક ભારતીય ખેલાડીએ દેશવાસીઓનો માન્યો આભાર નવી દિલ્હી: ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટ પેરિસથી ભારત પરત ફરી છે. દિલ્હી એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વિનેશ ફોગાટ એરપોર્ટ પર પહોંચી ત્યારે દેશવાસીઓનો પ્રેમ મેળવીને ભાવુક થઈ ગઈ હતી. તેની આંખોમાં આંસુ સરી પડ્યાં હતા. દેશવાસીઓનો પ્રેમ જોઈને ભાવુક […]

ભારતે જુલાઈમાં રશિયા પાસેથી 2.8 બિલિયન ડોલરનું ક્રૂડ ઓઈલ આયાત કર્યું

ચીન બાદ ભારત રશિયન તેલનો સૌથી મોટો આયાતકાર ભારતે રશિયા પાસેથી ઓઈલની સાથે કોલસાની પણ કરી ખરીદી નવી દિલ્હીઃ વિશ્વના ત્રીજા સૌથી મોટા તેલ ઉપભોક્તા અને આયાતકાર ભારતે જુલાઈમાં રશિયા પાસેથી 2.8 બિલિયન ડોલરનું ક્રૂડ ઓઈલ ખરીદ્યું હતું. આ સંદર્ભમાં, ભારત ચીન પછી બીજા ક્રમે છે, જે રશિયન તેલનો સૌથી મોટો આયાતકાર છે. એક રિપોર્ટ […]

ભારતની વધુ એક સફળતા, ISROએ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ EOS-08 લોન્ચ કર્યો

શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી સ્મોલ સેટેલાઈટ લોન્ચ વ્હીકલ (SSLV)-D3 દ્વારા લોન્ચ કરાયો ઇઓએસ-08 મિશનના મુખ્ય હેતુઓમાં એક માઇક્રોસેટેલાઇટની ડિઝાઇન અને વિકાસ કરવો છે નવી દિલ્હીઃ ઈસરોનો લેટેસ્ટ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ ‘ઈઓએસ-08’ આજે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી 9:17 કલાકે સ્મોલ સેટેલાઈટ લોન્ચ વ્હીકલ (એસએસએલવી)-ડી3 દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો. ઇઓએસ-08 મિશનના મુખ્ય હેતુઓમાં એક […]

નરેન્દ્ર મોદીએ 78માં સ્વતંત્રતા દિવસના સંબોધનમાં ભારતના ભવિષ્ય માટે મહત્ત્વાકાંક્ષી વિઝન પ્રસ્તુત કર્યું

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 78માં સ્વતંત્રતા દિવસનાં તેમનાં ભાષણમાં ભવિષ્યનાં લક્ષ્યાંકોની શ્રેણીની રૂપરેખા રજૂ કરી હતી, જેનો ઉદ્દેશ ભારતની વૃદ્ધિને આકાર આપવાનો, નવીનતાને વેગ આપવાનો અને વિવિધ ક્ષેત્રોમાં દેશને વૈશ્વિક નેતા તરીકે સ્થાપિત કરવાનો છે. પ્રધાનમંત્રીના સંબોધનના મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છેઃ 1.ઇઝ ઓફ લિવિંગ મિશનઃ પીએમ મોદીએ મિશન મોડ પર ‘ઇઝ ઓફ લિવિંગ’ને પૂર્ણ કરવાના […]

ભારત, માલદીવે સિવિલ સર્વિસ અધિકારીઓને તાલીમ આપવા માટે સમજૂતી કરારનું નવીનીકરણ કર્યું

નેશનલ સેન્ટર ફોર ગુડ ગવર્નન્સ એન્ડ સિવિલ સર્વિસીસ કમિશન પાર્ટનરશિપ 2024-2029 સુધીના પાંચ વર્ષના સમયગાળામાં તાલીમ માટે MoU ભારતનાં વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને માલદીવનાં વિદેશ મંત્રી મૂસા ઝમીરે 2024-2029નાં ગાળા દરમિયાન માલેનાં માલેમાં માલેનાં માલેમાં 9 ઓગસ્ટનાં રોજ બંને દેશો વચ્ચે વિકાસ ભાગીદારીની ચર્ચાનાં ભાગરૂપે માલેનાં 1000 અધિકારીઓનાં ક્ષમતા નિર્માણ માટે સમજૂતીકરાર (એમઓયુ)નું […]

બાંગ્લાદેશ સંકટની આર્થિક અસર ભારત ઉપર પણ પડીઃ નિર્મલા સીતારમણ

નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં ઉભી થયેલી પરિસ્થિતિની આર્થિક અસર ભારત ઉપર પણ જોવા મળી રહી છે. ખાસ કરીને ગારમેન્ડ અને નિટેડ સેક્ટર બાંગ્લાદેશ સંકટને પગલે અનિશ્ચિતતાનો શિકાર થઈ રહ્યાં છે. તેમ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું. જો કે, કેટલી અસર થઈ રહી છે તે અંગે વધારે કહેવાનું ટાળ્યું હતું. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ રિઝર્વ બેંકની […]

એડિલેડ ટેસ્ટ પહેલા ભારત ડે-નાઈટ વોર્મ અપ ટેસ્ટ રમશે

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા સામે એડિલેડમાં રમાનારી ડે-નાઈટ ટેસ્ટ પહેલા ભારત બે દિવસીય પિંક બોલ વોર્મ-અપ મેચ રમશે. કેનબેરામાં રમાનારી આ વોર્મ-અપ મેચમાં ભારતનો સામનો ઓસ્ટ્રેલિયાની પ્રાઈમ મિનિસ્ટર ઈલેવન સામે થશે. આનાથી ભારતને ફ્લડલાઇટ હેઠળ રમવાની પ્રેક્ટિસ મળશે. આ મેચ 30 નવેમ્બરથી 1 ડિસેમ્બર દરમિયાન યોજાશે. પ્રથમ અને બીજી ટેસ્ટ મેચ વચ્ચેના ગેપ દરમિયાન મેચનું આયોજન કરવાની […]

ભારતમાં નક્સવાદી પ્રવૃતિઓ ઘટી, 14 વર્ષમાં હિંસના બનાવમાં 73 ટકાનો ઘટાડો

નવી દિલ્હીઃ ભારતમાં નક્સલી પ્રવૃતિઓમાં સતત ઘટાડો થયાનો સરકારે દાવો કર્યો છે. 14 વર્ષમાં ભારતમાં નક્સલવાદીઓ હુમલાની ઘટનાઓમાં 73 ટકાનો ઘટાડો થયો છે. તેમ ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું. લોકસભામાં સાંસદ સતીશ ગૌતમના પ્રશ્નના જવાબમાં ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે કહ્યું કે 2010ની સરખામણીમાં ઉગ્રવાદીઓની હિંસાની ઘટનાઓમાં 73 ટકાનો […]

બાંગ્લાદેશમાં હિંસાને પગલે ભારતે પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી

નવી દિલ્હીઃ ભારતના વિદેશ મંત્રાલય (MEA)એ તેના તમામ નાગરિકોને આગામી આદેશ સુધી બાંગ્લાદેશની મુસાફરી ટાળવાની સલાહ આપી છે. બાંગ્લાદેશમાં ચાલી રહેલા હિંસક વિરોધ વચ્ચે આ એડવાઈઝરી જારી કરવામાં આવી છે. ભારતે રવિવારે રાત્રે બાંગ્લાદેશમાં રહેતા તેના તમામ નાગરિકોને પડોશી દેશમાં હિંસા વચ્ચે “અત્યંત સાવધાની” રાખવા અને તેમની હિલચાલ મર્યાદિત કરવાની સલાહ આપી હતી. ઢાકાના અહેવાલો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code