1. Home
  2. Tag "india"

ઈન્ડિયા અને યુનાઈટેડ આરબ અમીરાત વચ્ચે ઈન્ટર-ગવર્નમેન્ટલ ફ્રેમવર્ક એગ્રીમેન્ટને સરકારની મંજૂરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે ભારત સરકાર અને સંયુક્ત આરબ અમીરાતની સરકાર વચ્ચે મધ્ય પૂર્વ યુરોપ ઇકોનોમિક કોરિડોર (IMEC)ના સશક્તીકરણ અને સંચાલન માટે સહકાર પર ઉચ્ચ સ્તરીય મુલાકાત દરમિયાન હસ્તાક્ષર કરાયેલ આંતર-સરકારી ફ્રેમવર્ક એગ્રીમેન્ટ (IGFA)ને તેની પૂર્વ-પોસ્ટ ફેક્ટો મંજૂરી આપી હતી. IGFAનો ઉદ્દેશ્ય દ્વિપક્ષીય સંબંધોને વધારવાનો અને બંદરો, દરિયાઈ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રોમાં […]

ચિપ ઉત્પાદન ભારતને આત્મનિર્ભરતા તરફ, આધુનિકતા તરફ લઈ જશેઃ વડાપ્રધાન

અમદાવાદઃ  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ‘ઇન્ડિયાઝ ટેકેડઃ ચિપ્સ ફોર વિકસિત ભારત’ કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું અને આશરે રૂ. 1.25 લાખ કરોડનાં મૂલ્યનાં ત્રણ સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ માટે શિલારોપણ કર્યું હતું. આજે જે સુવિધાઓનું ઉદઘાટન કરવામાં આવ્યું છે તેમાં, ગુજરાતમાં સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન સુવિધા ધોલેરા સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (ડીએસઆઇઆર), આસામના મોરીગાંવમાં આઉટસોર્સેડ સેમિકન્ડક્ટર એસેમ્બલી અને […]

Amazon Prime: કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે લોન્ચ કરી સ્વરાજની પહેલી સિઝન, વિકસિત ભારત પર મૂક્યો ભાર

નવી દિલ્હી: કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે આજે દિલ્હીમાં ઓટીટી પ્લેટફોર્મ અમેઝન પ્રાઈમ પર સ્વરાજની પહેલી સિઝન લોન્ચ કરી. અનુરાગ ઠાકુરે તેને અગણિત ગુમના નાયકો અને તેમના અદમ્ય સાહસની કહાની ગણાવી. લોન્ચ પર તેમણે કહ્યુ છે કે આજનો દિવસ આપણા માટે ગર્વની ક્ષણ છે અને આપણી આઝાદીના આ તમામ ગુમનામ મહાનાયકોને સાચી શ્રદ્ધાંજલિ […]

અમેરિકા, UNને સીએએથી મુશ્કેલી, પુછયું- શિયા મુસ્લિમોને કેમ લીધા નથી?

નવી દિલ્હી: અમેરિકાની સરકાર અને સંયુક્ત રાષ્ટ્રે મંગળવારે ભારતના વિવાદાસ્પદ નાગરિકતા કાયદાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. સંયુક્ત રાષ્ટ્રે ભારતના આ કાયદાને મૂળભૂત રીતે ભેદભાવપૂર્ણ પ્રકૃતિનો ગણાવ્યો છે. મહત્વપૂર્ણ છે કે કેન્દ્રની મોદી સરકારે 31 ડિસેમ્બર, 2014થી પહેલા ભારત આવેલા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના દસ્તાવેજ વગરના બિનમુસ્લિમ પ્રવાસીઓને ઝડપથી નાગરિકતા પ્રદાન કરવા માટે નાગરિકતા (સંશોધન) […]

500થી વધુ IITGN વિદ્યાર્થીઓ, ફેકલ્ટી અને સ્ટાફ ભારતના સેમિકન્ડક્ટર મિશન પર આધારિત કાર્યક્રમમાં જોડાશે

અમદાવાદઃ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી ગાંધીનગર (IITGN) 13 માર્ચ, 2024ના રોજ  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વર્ચ્યુઅલ વાર્તાલાપમાં ભાગ લેવા માટે તૈયાર છે. આ વાર્તાલાપ ભારતના સેમિકન્ડક્ટર મિશન અને તે શૈક્ષણિક સંસ્થાઓ માટે રજૂ કરતી વિવિધ તકો પર ધ્યાન કેન્દ્રિત કરશે. પ્રધાનમંત્રીની વર્ચ્યુઅલ વાતચીત પહેલા, IIT ગાંધીનગર સવારે 9.30 – 10.30 AM દરમિયાન ‘ભારતના સેમિકન્ડક્ટર મિશનની […]

જેટલું જલ્દી ઉકેલી લો, એટલું સારું: સીમા વિવાદ પર જયશંકરની ચીનને સલાહ

નવી દિલ્હી: ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે ભારત અને ચીન વચ્ચેના તણાવને લઈને ચિંતા વ્યક્ત કરતા કહ્યુ છે કે બંને દેશોની હાલની સ્થિતિથી કોઈપણ દેશને લાભ થયો નથી. તેમણે સોમવારે સાંજે એક પેનલ ચર્ચામાં ભારત અને ચીન વચ્ચે લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર સેનાની હાજરી ઘટાડવા અને હાલના કરારોને જાળવી રાખવા પર ભાર મૂક્યો છે. […]

ભારતને તોડવાનો પ્રોજેક્ટ હજીપણ ચાલુ, તમિલનાડુના રાજ્યપાલે જાણો શા માટે ઉચ્ચારી આ વાત?

ચેન્નઈ: તમિલનાડુના રાજ્યપાલ આર. એન. રવિએ કહ્યુ છે કે ભારતને તોડવાનો પ્રોજેક્ટ હજીપણ ચાલી રહ્યો છે. તેમણે કહ્યુ છે કે કેટલાક લોકો તો ભારતને એક દેશ માનવાથી પણ ઈન્કાર કરે છે. રાજ્યપાલના આ નિવેદનને ડીએમકેના નેતા એ. રાજાના એ નિવેદનનો જવાબ માનવામાં આવે છે, જેમાં એ. રાજાએ ભારતને એક દેશ માનવાથી જ ઈન્કાર કર્યો હતો […]

હવે પાકિસ્તાની હિંદુઓ ખુલ્લી હવામાં શ્વાસ લઈ શકશે, સીએએ લાગુ થયા બાદ પાકિસ્તાનના હિંદુ ક્રિકેટરનું રિએક્શન થયું વાયરલ

નવી દિલ્હી: નાગરિકતા સંશોધન કાયદો લાગુ થયો છે. સોમવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સીએએને લઈને નોટિફિકેશન જાહેર કર્યું. 2019માં સંસદમાં પારીત આ કાયદો હવે લાગુ થઈ ગયો છે. તેને લઈને દુનિયાભરમાંથી પ્રતિક્રિયા આવવાનું શરૂ થઈ ચુક્યું છે. આ દરમિયાન પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર દાનિશ કનેરિયાએ પણ સોશયલ મીડિયા પોસ્ટમાં સીએએના લાગુ થવા પર પોતાની પ્રતિક્રિયા આપી છે. […]

ભારત અને રશિયા વચ્ચે નોર્થ સી રુટ પર થઈ વાટાઘાટો, ગેમચેન્જર સાબિત થઈ શકે છે આ સમુદ્રી માર્ગ

નવી દિલ્હી : રશિયાના સરકારી એટોમિક એનર્જી કોર્પોરેશન રોસાતોમના સીઈઓએ ખુલાસો કર્યો છે કે ભારત અને રશિયા વચ્ચે થર્મોન્યૂક્લિયર ફ્યૂઝન અને નોર્થ સી રુટને સંયુક્તપણે વિકસિત કરવાની વાત થઈ રહી છે. રોસાતોમના સીઈઓ એ. ઈ. લિખાચેવાએ કહ્યુ છે કે બારત અને રશિયાની વ્ચચે આગામી સમયમાં પરમાણુ તકનીકના ક્ષેત્રમાં સહયોગ વધવાની સંભાવના છે અને તેમાં બિનઊર્જા […]

અરુણાચલ દેશનો અભિન્ન હિસ્સો હતું, છે અને રહેશે, પીએમ મોદીની મુલાકાતથી ચચરાટ અનુભવતા ચીનને ભારતની સલાહ

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અરુણાચલ પ્રદેશના પ્રવાસ દરમિયાન ચીનની ટીપ્પણીને લઈને ભારતે આકરી પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે અમે વડાપ્રધાનની અરુણાચલ પ્રદેશ યાત્રા સંદર્ભે ચીની પક્ષની ટીપ્પણીઓને નામંજૂર કરીએ છીએ. અરુણાચલ પવ્રદેશ રાજ્ય ભારતનું અભિન્ન અને અતૂટ હિસ્સો હતું, છે અને હંમેશા રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અરુણાચલ પ્રદેશના પ્રવાસને લઈને ચીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code