1. Home
  2. Tag "iran"

ઇઝરાયેલી જહાજમાં સવાર 5 ભારતીય ક્રૂ મેમ્બર્સને ઇરાને મુક્ત કર્યા, પાંચેય ક્રૂ મેમ્બર્સે છોડી દીધું ઇરાન

કેન્દ્રની મોદી સરકારની વિદેશ નીતિ ફરી એકવાર રંગ લાવી છે. ઈરાનમાં ભારતીય તેહરાન દ્વારા જપ્ત કરવામાં આવેલા ઈઝરાઇલી જહાજમાં સવાર પાંચ ભારતીય ખલાસીઓને મુક્ત કરવામાં આવ્યા છે, અને હવે તેઓએ ઇરાન છોડી દીધું છે. ભારતે ઇરાની અધિકારીઓનો આભાર માન્યો ભારતીય દૂતાવાસે તેમની મુક્તિ બદલ ઈરાની અધિકારીઓનો આભાર માન્યો હતો. વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા રણધીર જયસ્વાલે […]

જહાજ સાથે પકડાયેલા 17 ભારતીયોને ઈરાને મુક્ત કર્યા

નવી દિલ્હીઃ ઈરાને પોર્ટુગીઝ-ધ્વજવાળા કાર્ગો જહાજ MSC Ariesના સમગ્ર ક્રૂને મુક્ત કર્યા છે. ક્રૂમાં 17 ભારતીયો સહિત 25 લોકોનો સમાવેશ થાય છે. ભારતીય ક્રૂ મેમ્બર્સમાં એકમાત્ર મહિલા કેડેટ એન ટેસા જોસેફને ઈરાની સૈન્ય દ્વારા પહેલાથી જ મુક્ત કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈરાનના વિદેશ મંત્રી અમીર અબ્દુલ્લાયાને શુક્રવારે એસ્ટોનિયન વિદેશ મંત્રી માર્ગસ ત્સાહકાના સાથે […]

ઈરાન અને ઈઝરાયેલ પ્રવાસ કરતા ભારતીય નાગરિકો માટે માર્ગદર્શિકા જાહેર કરાઈ

નવી દિલ્હીઃ વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને ઈરાન અને ઈઝરાયેલના પ્રવાસ દરમિયાન સતર્ક રહેવા અને ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહેવાની સલાહ આપી છે. ઈરાન અને ઈઝરાયલના સંદર્ભમાં ટ્રાવેલ માર્ગદર્શિકા અંગેના મીડિયાના પ્રશ્નના જવાબમાં મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે તેઓએ નોંધ્યું છે કે ઈરાન અને ઈઝરાયેલે ઘણા દિવસોથી તેમની એરસ્પેસ ખોલી છે. તેમણે કહ્યું કે ભારત […]

ઈરાન સાથે કારોબાર કરતી 3 ભારતીય કંપનીઓ પર અમેરિકાએ ફરમાવ્યો પ્રતિબંધ

નવી દિલ્હીઃ વૉશિંગ્ટન ડીસી (અમેરિકા), 26 એપ્રિલ: અમેરિકાએએ ગુરુવારે ઈરાની સૈન્ય સાથે ગેરકાયદે વેપાર અને યુએવીના હસ્તાંતરણ કરવાના આરોપસર ભારતની ત્રણ સહિત ડઝનથી વધુ કંપનીઓ, વ્યક્તિઓ અને જહાજો પર પ્રતિબંધો લાદ્યા છે. યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે આ કંપનીઓ, વ્યક્તિઓ અને જહાજોએ યુક્રેનમાં રશિયાના યુદ્ધમાં ઈરાની માનવરહિત હવાઈ વાહનો (UAV) ના ગુપ્ત વેચાણને સુવિધાજનક […]

કાશ્મીર મામલે સાઉદી બાદ હવે ઈરાને પાકિસ્તાનને આપ્યો આંચકો

નવી દિલ્હીઃ ઈરાનના રાષ્ટ્રપતિ હાલ પાકિસ્તાનના પ્રવાસે છે. આ દરમિયાન પાકિસ્તાનના પીએમએ ગાઝા અને કાશ્મીરનો રાગ આલોપીને મુસ્લિમ એકતાની અપીલ કરી હતી. જો કે, ઈરાનના રાષ્ટ્રપતિએ કાશ્મીર મામલે બોલવાનું ટાળીને પાકિસ્તાનને 440 વોલ્ટનો આંચકો આપ્યો હતો. અગાઉ સાઉદી અરેબિયાએ પણ કાશ્મીર મામલે બારત સાથે બેસીને ચર્ચા કરવા માટે પાકિસ્તાનને સલાહ આપી હતી. ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહીમ […]

પાકિસ્તાન અને ઈરાને આતંકવાદી સંગઠનો પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો

ઈસ્લામાબાદ: પાકિસ્તાનના ગૃહ મંત્રાલયે કહ્યું કે, પાકિસ્તાન અને ઈરાને પોતપોતાના દેશોમાં આતંકવાદી સંગઠનો પર પ્રતિબંધ મૂકવાનો સૈદ્ધાંતિક નિર્ણય લીધો છે. મંત્રાલયે મોડી રાત્રે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાનના ગૃહ પ્રધાન મોહસિન નકવી તેમના ઈરાની સમકક્ષ અહેમદ વાહિદી અને ઈરાનના ન્યાય પ્રધાન અમીન-હુસૈન રહીમી સાથેની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. મંત્રાલયે જણાવ્યું હતું કે, […]

ઈરાન-ઇઝરાયલ વચ્ચે તણાવને પગલે એર ઈન્ડિયાએ ઈઝરાયલની હવાઈ સેવા બંધ કરી

નવી દિલ્હીઃ ઈઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા તણાવને ધ્યાનમાં રાખીને ભારતીય એરલાઈન કંપની એર ઈન્ડિયાએ 30 એપ્રિલ સુધી તેલ અવીવ માટે તેની તમામ ફ્લાઈટ્સ બંધ કરી દીધી છે. એર ઈન્ડિયાએ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, મધ્ય પૂર્વની સ્થિતિને ધ્યાનમાં રાખીને અમે 30 એપ્રિલ, 2024 સુધી તેલ અવીવ જતી અને જતી ફ્લાઈટ્સ સ્થગિત […]

ભારતીય કુટનીતિની જીતઃ ઈરાનમાં જપ્ત જહાજના 17 ભારતીયો પૈકી એક મહિલા સ્વદેશ પરત ફરી

બેંગ્લોરઃ ઈરાનના કબ્જાવાળા ઈઝરાયલી અરબપતિના જહાજમાં સવાર 17 ભારતીયોમાં સામેલ કેરળની એન ટેસા જોસેફ સુરક્ષિત ભારત પરત આવી છે. કેરળના ત્રિશૂરમાં રહેનારી એન ટેસા કોચીન હવાઈ એરપોર્ટ પહોંચી હતી. જ્યાં તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. એન ટેસા જોસેફ પરત ભારત ફરવી તે ભારત સરકારની કુટનીતિની જીતના રૂપમાં જોવામાં આવી રહી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું […]

જોર્ડેન ઇઝરાયેલને આપ્યો સાથ, ઈરાની ડ્રોન અને મિસાઈલોને નષ્ટ કરવા માટે તેના ફાઈટર જેટ્સ લોન્ચ કર્યા

નવી દિલ્હીઃ ઈરાનના ઈઝરાયેલ પર હુમલા બાદ અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ જેવા પશ્ચિમી દેશો ઈઝરાયેલના સમર્થનમાં આવ્યા છે. દુનિયાના ઘણા નવા દેશોએ પણ ઈરાનના હુમલાની નિંદા કરી છે. જો કે આ દરમિયાન એક મુસ્લિમ દેશ પણ ઈઝરાયેલને મદદ કરી રહ્યો છે. આ મુસ્લિમ દેશ ઈઝરાયેલનો પાડોશી જોર્ડન છે. જોર્ડને ઈરાની ડ્રોન અને મિસાઈલોને નષ્ટ કરવા […]

ઈઝરાયલ અને ઈરાન વચ્ચે સંઘર્ષને પગલે ભારતની તમામને સંયમ જાળવવા અપીલ

નવી દિલ્હીઃ પશ્ચિમ એશિયાની સ્થિતિને ધ્યાનમાં રાખીને વિદેશ મંત્રાલય દ્વારા, એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે,’ ઈઝરાયલ અને ઈરાન વચ્ચે વધી રહેલી દુશ્મનાવટથી ભારત ગંભીર રીતે ચિંતિત છે. તેનાથી પ્રદેશમાં શાંતિ અને સુરક્ષા જોખમાય છે. અમે તાત્કાલિક તણાવ દૂર કરવા, સંયમ, હિંસાથી પીછેહઠ અને મુત્સદ્દીગીરીના માર્ગ પર પાછા ફરવાનું આહ્વાન કરીએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code