1. Home
  2. Tag "jammu and kashmir"

અમેરિકાએ પોતાના નાગરિકોને મણિપુર અને જમ્મુ-કાશ્મીર ન જવાની સૂલાહ આપી

નવી દિલ્હીઃ અમેરિકાએ તેના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરતાં કહ્યું કે તે ભારતના જમ્મુ-કાશ્મીર અને મણિપુર જેવા વિસ્તારોની મુલાકાત લેવાનું ટાળે. આ એડવાઈઝરીમાં કહેવાયું છે કે ભારતના પ્રવાસ દરમિયાન અમેરિકન નાગરિકો એ વિસ્તારોમાં જતાં બચે જ્યાં નક્સલીઓ સક્રિયછે અને એ ક્ષેત્રોમાં પણ ન જાય જે આતંકી સંકટ સામે ઝઝૂમી રહ્યા છે.  અમેરિકાની ટ્રાવેલ એડવાઈઝરીમાં […]

ભારતીય સેના ઉપર હુમલો કરતા આતંકી સંગઠન કાશ્મીર ટાઈગર્સનો ખાતમો બોલાવવા આર્મીની કવાયત

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર આતંકવાદ ફેલાવા લાગ્યો છે. છેલ્લા એક મહિનામાં કેન્દ્રશાસિત પ્રદેશમાં અડધો ડઝનથી વધુ આતંકવાદી હુમલા થયા છે, જેમાં ભારતીય સેનાના ઘણા જવાનો શહીદ થયા છે. અત્યાર સુધી આતંકવાદી ઘટનાઓ માત્ર કાશ્મીર ખીણમાં જ જોવા મળતી હતી, પરંતુ હવે આતંકીઓએ જમ્મુ સુધી પોતાની નાપાક યોજનાઓને અંજામ આપ્યો છે. મંગળવારે ડોડામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં […]

જમ્મુ-કાશ્મીરમાં લેફ્ટનન્ટ ગવર્નર બન્યા વધુ શક્તિશાળી, ગૃહ મંત્રાલયે સત્તા વધારી

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે શનિવારે જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન કાયદામાં સુધારો કર્યો હતો. આ સાથે જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નરને હવે વધુ સત્તાઓ મળી ગઈ છે. કેન્દ્ર સરકાર દ્વારા આ અંગે નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે. સુધારેલા નિયમો જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ, 2019 ની કલમ 55 હેઠળ સૂચિત કરવામાં આવ્યા છે, જેમાં LGને વધુ […]

જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં આતંકવાદી હુમલામાં પાંચ જવાનો શહીદ

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં થયેલા આતંકવાદી હુમલામાં ઉત્તરાખંડના પાંચ જવાનો શહીદ થયાં છે. આ સમાચાર બાદ દેવભૂમિ શોકમાં ડૂબી ગઈ છે. પરિવારજનો આઘાતમાં છે ત્યારે શહીદોના ઘર અને ગામડાઓમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.કઠુઆના બિલવર ઉપજિલ્લામાં બદનોટાના બરનુદ વિસ્તારમાં જેંડા નાળા પાસે આતંકવાદીઓએ સેનાના વાહન પર હુમલો કર્યો હતો. આતંકવાદી હુમલામાં પાંચ જવાનો શહીદ થયા હતા […]

ચૂંટણીપંચે જમ્મુ-કાશ્મીર સહિત ચાર રાજ્યોમાં ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી

નવી દિલ્હીઃ દેશમાં સામાન્ય ચૂંટણીઓ કરાવ્યા બાદ હવે ચૂંટણી પંચે હરિયાણા, ઝારખંડ, મહારાષ્ટ્ર અને જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી કરાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પંચે ચૂંટણીની વિગતો અપડેટ કરીને આની શરૂઆત કરી છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, 1 જુલાઈની તારીખને ધ્યાનમાં લઈને વિધાનસભાની ચૂંટણી માટે મતદાર યાદી અપડેટ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ ત્રણેય […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશ્મીરી મહિલાઓ સાથે લીધી સેલ્ફી

નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ સેન્ટર (SKICC) ખાતે યોગ સત્રનું નેતૃત્વ કર્યું હતું. યોગ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશ્મીરી મહિલાઓ સાથે ફોટો ક્લિક કર્યા હતા. તેમજ આ તસવીરો તેમણે સોશિયલ મીડિયા પર પણ શેર કરી હતી. આ તસવીરોમાં કાશ્મીરી મહિલાઓ પીએમ મોદી સાથે ઘણી […]

જમ્મુ-કાશ્મીરના શ્રીનગર ખાતે નરેન્દ્ર મોદીએ યોગ દિવસની કરી ઉજવણી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યોગ દિવસની ઉજવણીમાં જ્મ્મુ- કાશ્મીરના શ્રીનગર ખાતે કરી હતી. તેમણે કાર્યક્રમમાં યોગ દિવસની શુભેચ્છા આપી હતી. અને સંબોધન કરતા જણાવ્યું હતું કે ભારતના યોગ દિવસના પ્રસ્તાવનું 117 દેશોએ યૂનાઇટેડ નેશન્સમાં સમર્થન કર્યું હતું. અને છેલ્લા  10 વર્ષથી  યોગ દિવસના ઉપક્રમે નવા રેકોર્ડ બની રહ્યા છે. અને વિશ્વમાં યોગ કરનારાઓની સંખ્યા […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરની સ્થિતિ પર કરી હાઈલેવલ બેઠક કરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રીએ જમ્મુ-કાશ્મીરમાં થયેલ આતંકવાદી ગતિવિધિઓની માહિતી મેળવી આતંકવાદીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈટલીના પ્રવાસે જતા પહેલા જમ્મુ-કાશ્મીરની સ્થિતિ પર હાઈલેવલ બેઠક કરી હતી. પ્રધાનમંત્રીએ જમ્મુ-કાશ્મીરમાં થયેલ આતંકવાદી ગતિવિધિઓની માહિતી મેળવી આતંકવાદીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા હતા. તેમણે NSA અજીત ડોભાલ અને અધિકારીઓને આતંકવાદી વિરોધી ક્ષમતાઓનો પૂરેપૂરો ઉપયોગ […]

આતંકવાદ મામલે પાકિસ્તાન સાથે વાતચીત કરવા માટે ફારૂક અબ્દુલ્લાએ સરકારને આપી સલાહ

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર 3 દિવસમાં આતંકવાદી હુમલાના 3 જેટલા બનાવો બન્યાં છે. સુરક્ષા એજન્સીઓએ આતંકવાદીઓનો ખાતમો બોલાવવા માટે અભિયાન શરૂ કર્યું છે. બીજી તરફ મોદી સરકારે પણ આતંકવાદીઓના ખાતમા માટે નિર્દેશ કર્યો છે. દરમિયાન જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલ્લાનો પાકિસ્તાન તરફી પ્રેમ સામે આવ્યો છે. અબ્દુલ્લાએ આતંકવાદ મામલે પાકિસ્તાન સાથે વાત કરવા માટે […]

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની પ્રક્રિયા શરૂ

ભારતના ચૂંટણી પંચે સત્તાવાર રીતે જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ચૂંટણી પંચે એક પ્રેસ નોટમાં જણાવ્યું હતું કે, “પંચે સંઘની વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ માટેની ચૂંટણીની પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ કરી છે. જમ્મુ અને કાશ્મીરનો પ્રદેશ માર્ક્સ (આરક્ષણ અને ફાળવણી) ઓર્ડર, 1968 ના પેરા 10B હેઠળ સામાન્ય ચિહ્નની ફાળવણી માટેની અરજીઓને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code