ગુજરાતભરમાં આજે જન્માષ્ટમીનું પર્વ ભારે આનંદોલ્લાસથી ઊજવાશે, સૌરાષ્ટ્રમાં અનેરો ઉત્સાહ
અમદાવાદઃ ગુજરાતભરમાં આજે જન્માષ્ટમીનું પર્વ ભારે આનંદોલ્લાસથી મનાવવામાં આવશે. ઈસ્કોન સહિત તમામ મંદિરોમાં કૃષ્ણ જન્મોત્સવ ઊજવવા માટેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ડાકોર, દ્વારકા, અને શામળાજી મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રભરમાં જન્માષ્ટમી પર્વને લઇને થનગનાટ અનુભવતાં ઠેર ઠેર ભાતીગળ મેળા યોજાયા છે. ભવ્ય શોભાયાત્રા, ધર્મસભા સહિત ધર્મમય કાર્યક્રમો સાથે […]