1. Home
  2. Tag "killed"

જમ્મુ-કાશ્મીરઃ સાંબા સેક્ટરમાં ઘુસખોરીનો પ્રયાસ કરનાર પાકિસ્તાની ઘુસણખોર ઠાર મારાયો

નવી દિલ્હીઃ દેશમાં આતંકવાદને નાથવા માટે સુરક્ષા દળોએ અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન જમ્મુ-કાશ્મીરના સાંબા સેક્ટરમાં સુરક્ષા દળોએ ઘુસણખોરીને નિષ્ફળ બનાવીને એક પાકિસ્તાની ઘુસણખોરને ઠાર માર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર જમ્મુ-કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પાસે આવેલા સાંબા સેક્ટરમાં બીએસએફના જવાનોએ પાકિસ્તાની ઘુસણખોરને ઠાર માર્યો હતો. આ ઘટના સાંબા જિલ્લાના રીગલ વિસ્તારમાં સીમા ચોકી પાસે ઘટના બની […]

પાકિસ્તાનમાં વધુ એક ભારત વિરોધી આતંકવાદી શાહિદ લતીફની અજાણ્યા શખ્સોએ હત્યા કરી

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી શાહિદ લતીફની હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. શાહિદ લતીફ પઠાણકોટ હુમલાનો માસ્ટર માઈન્ડ હતો. અજાણ્યા હુમલાખોરોએ સિયાલકોટમાં તેની ગોળીમારીને હત્યા કરી હતી. એનઆઈએ યુએપીએ હેઠળ શાહિદની સામે ગુનો નોંધ્યો હતો. તેમજ ભારતની સરકારની મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓની લીસ્ટમાં તેનો પણ સમાવેશ થાય છે. પંજાબના પઠાણકોટ સ્થિત એરબેઝ […]

મધ્યપ્રદેશમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, બે મહિલા નક્સલી ઠાર

ભોપાલઃ મધ્યપ્રદેશના બાલાઘાટમાં હોક ફોર્સ અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. જેમાં બે મહિલા કમાન્ડર ઠાર મરાઈ હતી. બંને પર 14-14 લાખ રૂપિયા એટલે કે કુલ 28 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. તેમની પાસેથી સુરક્ષા જવાનોએ મારક હથિયારો જપ્ત કર્યાં હતા. પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, શનિવારે ગઢી પોલીસ સ્ટેશન હેઠળના કંધલાના જંગલમાં […]

પાકિસ્તાનમાં સુરક્ષા જવાનોએ આઠ આતંકવાદીઓને ઠાર માર્યા, એક જવાન શહીદ

નવી દિલ્હીઃ પાકિસ્તાનના અશાંત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં આતંકવાદી ઠેકાણા પર કરાયેલી કાર્યવાહીમાં આઠ આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ કાર્યવાહીમાં એક પાકિસ્તાની સૈનિક પણ શહીદ થયો હતો. ઇન્ટર-સર્વિસ પબ્લિક રિલેશન્સ (ISPR) દ્વારા જેહાર કરાયેલા નિવેદન અનુસાર, દક્ષિણ વઝિરિસ્તાન જિલ્લાના શિનવરસાક વિસ્તારમાં એક ગુપ્ત માહિતી આધારિત ઓપરેશન (IBO) હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં સુરક્ષા કર્મચારીઓ અને આતંકવાદીઓ […]

છત્તીસગઢમાં નક્સલવાદીઓ અને સુરક્ષા જવાનો વચ્ચે અથડામણમાં દસ નક્સલી ઠાર મરાયાનો દાવો

નવી દિલ્હીઃ છત્તીસગઢમાં નક્સલવાદીઓ સાથે થયેલી અથડામણમાં ડીઆરડીના ત્રણ અધિકારીઓ શહીદ થયાં હતા. નક્સલવાદીઓ અને સુરક્ષાદળના જવાનો વચ્ચે ગોળીબારની ઘટના બની હતી. છત્તીસગઢના જગરગુંડા પોલીસ વિસ્તારમાં આવેલા જંગલમાં પેટ્રોલિંગ દરમિયાન સુરક્ષા જવાનો ઉપર નક્સલવાદીઓએ ગોળીબાર કર્યો હતો. જેથી સુરક્ષાજવનોએ પણ સામે ગોળીબાર કર્યો હતો. સામ-સામે ધાણીફુટ ગોળીબાર થયો હતો. જેમાં એએસઆઈ રામૂરામ નાગ, સહાયક કોન્સ્ટેબલ […]

જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલીંગની વધુ એક ઘટના, કાશ્મીરી પંડિતની ગોળીમારી હત્યા કરાઈ

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલીંગની ઘટનાઓમાં વધારો થયો છે. આતંકવાદીઓ હવે કાશ્મીરી પંડિતો અને બિનકાશ્મીરીઓને નિશાન બનાવતા હોવાથી સ્થાનિક પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. દરમિયાન ટાર્ગેટ કિલીંગની ઘટનામાં વધુ એક કાશ્મીરી પંડિતની હત્યા કરવાની ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર શોપિયા જિલ્લામાં આતંકવાદીઓ દ્વારા કાશ્મીરી પંડિતની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. […]

અમદાવાદના ઓગણજમાં દીવાલ ધરાશાયી થતા પાંચ શ્રમિક દટાયાઃ ત્રણ મહિલા શ્રમિકોનાં મોત

અમદાવાદઃ શહેરના છેવાડે આવેલા ઓગણજ ગામ નજીક એક ફાર્મની દીવાલ ધરાશાયી થતાં પાંચ મહિલા શ્રમિકો  દટાયા હતા. જેમાં ત્રણ મહિલા મજૂરનાં મોત નીપજ્યા હતા. જ્યારે બે શ્રમિક મહિલાઓને ગંભીર હાલમાં સારવાર માટે શહેરની સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરના ઓગણજ ગામ […]

જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલીંગની વધુ એક ઘટનાઃ બેંક મેનેજરની હત્યા કરાઈ

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલીંગની ઘટનામાં વધારો થયો છે. દરમિયાન કુલગામમાં ફરી એકવાર ટાર્ગેટ કિલીંગની ઘટના સામે આવી છે. આતંકવાદીઓએ બેંક મેનેજરની ગોળીમારીને હત્યા કરી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર જમ્મુ-કાશ્મીરમાં સાંબા ખાતે ટીચનર રજની બાલાની આતંકવાદીઓએ ગોળીમારીને હત્યા કરી હતી. આ ઘટના હજુ ભુલાઈ નથી ત્યાં ટાર્ગેટ કીલીંગની વધુ એક ઘટના સામે […]

મહારાષ્ટ્રઃ શ્વાનના 80થી વધારે ગલુડિયાઓની હત્યા કરનારા બે કપિરાજ પાંજરે પુરાયા !

મુંબઈઃ મહારાષ્ટ્રના બીડમાંધથી બે કપિરાજોને વનવિભાગે ઝડપી લીધા હતા. આ બંને કપિરાજે શ્વાનના 80 જેટલા બચ્ચાઓને મારી નાખ્યા હોવાનું જાણવા મળે છે. શ્વાનના ઝુંડએ થોડા સમય પહેલા વાંદરાના બચ્ચાને મારી નાખ્યું હતું. જેથી કપિરાજોએ એક-બે નહીં પરંતુ 80 જેટલા ગલુડિયાઓને મારી નાખ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. મહારાષ્ટ્રના બીડમાં શ્વાનના 80 જેટલા ગલુડિયાઓને મારનાર બે વાંદરાઓ […]

રશિયાની પર્મ સ્ટે યુનિવર્સિટીમાં અંધાધૂંધ ગોળીબાર, 8નાં મોત, વિદ્યાર્થીઓએ જીવ બચાવવા બિલ્ડિંગ પરથી લગાવી છલાંગ

રશિયાની પર્મ સ્ટે યુનિવર્સિટી પરિસરમાં અજાણ્યા બંદૂકધારી દ્વારા અંધાધૂંધ ગોળીબાર આ ગોળીબાર દરમિયાન 8 લોકોનાં થયા મોત જ્યારે અનેક લોકો ઘાયલ થયા નવી દિલ્હી: રશિયાની પર્મ સ્ટે યુનિવર્સિટી પરિસરમાં અંધાધૂંધ ગોળીબારની ઘટના ઘટી છે. જેમાં છેલ્લે મળેલી માહિતી અનુસાર આ અંધાધૂંધ ગોળીબારમાં 8 લોકોનાં મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. યુનિવર્સિટીને હાલમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code