1. Home
  2. Tag "Landslide"

2024માં પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત આસામ અને ગુજરાતને રૂ. 707.97 કરોડની વધારાની કેન્દ્રીય સહાયને મંજૂરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સમિતિએ 2024માં પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત આસામ અને ગુજરાતને રૂ. 707.97 કરોડની વધારાની કેન્દ્રીય સહાયને મંજૂરી આપી છે. આ કેન્દ્રીય સહાય રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ ભંડોળ (NDRF) માંથી પૂરી પાડવામાં આવે છે, જે વર્ષની શરૂઆતમાં રાજ્ય આપત્તિ પ્રતિભાવ ભંડોળ (SDRF) માં ઉપલબ્ધ બેલેન્સના […]

દાર્જિલીંગમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે 20થી વધુના મોત-પ્રધાનમંત્રીએ દુર્ઘટના અઁગે દુઃખ વ્યક્ત કર્યું

દાર્જિલિંગ જિલ્લામાં, ગઈકાલ સાંજથી ઉત્તર બંગાળના ગોરખાલેન્ડ ટેરિટોરિયલ એડમિનિસ્ટ્રેશનમાં સતત વરસાદ અને ભૂસ્ખલનને કારણે 20 થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મિરિક, કુર્સિઓંગ, રંગભાંગ, પુલ બજારમાં સતત ભારે વરસાદ પડ્યો છે. કાલિમપોંગ હિલ ડિસ્ટ્રિક્ટ અને પહાડીઓના અન્ય ભાગોમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના અહેવાલો છે, તિસ્તા નદી અનેક સ્થળોએ નેશનલ હાઇવે ઉપરથી વહેતી થઈ છે […]

દાર્જિલિંગમાં ભૂસ્ખલન અને ભારે વરસાદ વચ્ચે બાલાસોન નદી પરનો બ્રિજ ધરાશાયી, 14ના મોત

પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ અને સિક્કિમમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા મુશળધાર વરસાદે વિનાશ વેર્યો છે. ભારે વરસાદ અને ભૂસ્ખલનની ઘટનાઓને કારણે દાર્જિલિંગમાં એક મુખ્ય બ્રિજ તૂટી પડ્યો છે, જેમાં અત્યાર સુધીમાં 14 લોકોના મોત થયા છે અને ઘણાં લોકો ગુમ છે. અધિકારીઓએ મૃત્યુઆંક વધવાની સંભાવના વ્યક્ત કરી છે. વ્યાપક નુકસાનના કારણે સમગ્ર ઉત્તર બંગાળનું જનજીવન […]

ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે મંડીમાં 10 ફૂટ સુધી પાણી ભરાયા, 3 લોકોના મોત

હિમાચલ પ્રદેશના મંડીમાં ફરી એકવાર કુદરતે તબાહી મચાવી છે. ભારે વરસાદને કારણે મંડી જિલ્લાના ધર્મપુર બસ સ્ટેન્ડમાં 10 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે, જેના કારણે નજીકના ઘરોને નુકસાન થયું છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ 6 લોકો ગુમ છે અને વહીવટીતંત્ર તેમને શોધવામાં વ્યસ્ત છે. ભારે વરસાદને કારણે સોન ખાડ (ડ્રેન) છલકાઈને શહેરમાં પ્રવેશી ગયું […]

સિક્કિમમાં ભૂસ્ખલનથી 4નાં મોત, 3 લોકો હજુ લાપતા

નવી દિલ્હીઃ સિક્કિમમાં ભારે વરસાદ દરમિયાન ભૂસ્ખલન થતાં 4 લોકોના મૃત્યુ થયાં, જ્યારે ત્રણે લોકો હજુ પણ લાપતા છે. હાલમાં લાપતા લોકોની શોધખોળ માટે રેસ્ક્યુ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ભારે વરસાદ વચ્ચે પ્રશાસન દ્વારા જોખમી વિસ્તારોના નિવાસીઓને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે. પશ્ચિમ સિક્કિમના યાંગથાંગ વિધાનસભા વિસ્તારમાંના અપ્પર રિમ્બીમાં ગુરુવારે મોડીરાત્રે ભૂસ્ખલનની ઘટના […]

હરિદ્વારમાં મનસા દેવીની ટેકરીઓ પરથી ભૂસ્ખલન, હરિદ્વાર-દહેરાદૂન-ઋષિકેશ રેલ માર્ગ ખોરવાયો

ઉત્તરાખંડના હરિદ્વારમાં હર કી પૌરી નજીક મનસા દેવી ટેકરીઓ પરથી ફરી એક મોટો ભૂસ્ખલન થયો, જેના કારણે હરિદ્વાર-દહેરાદૂન-ઋષિકેશ રેલ્વે લાઇન ખોરવાઈ ગઈ. અધિકારીઓએ જણાવ્યું હતું કે હરિદ્વારમાં ભારે વરસાદને કારણે, ભીમગોડા રેલ્વે ટનલ નજીક મનસા દેવી ટેકરીઓમાંથી માટી અને ખડકો પાટા પર પડ્યા હતા, જેના કારણે વંદે ભારત સહિત એક ડઝનથી વધુ ટ્રેનોનું સંચાલન રોકી […]

ધનબાદ: કોલસાની ખાણમાં ભૂસ્ખલનને કારણે વાન ખાડામાં ખાબકી, 6 કામદારોના મોત

ઝારખંડના ધનબાદમાં એક મોટો અકસ્માત થયો છે, કોલસાની ખાણમાં ભૂસ્ખલનને કારણે કામદારોને લઈ જતી એક વાન 400 ફૂટ ઊંડી ખાઈમાં પડી ગઈ. આ અકસ્માતમાં 6 કામદારોના મોત થયા. વાસ્તવમાં, OB સ્લાઈડ પછી, મજૂરોને લઈ જતી સર્વિસ વાન લગભગ 400 ફૂટ ઊંડી ખાડામાં પડી ગઈ. વાહનમાં અડધો ડઝન મજૂરો હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે […]

જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદ બાદ રાજૌરી અને સાંબા જિલ્લામાં ભૂસ્ખલન, 19 પરિવારોને સુરક્ષિત સ્થળોએ ખસેડાયા

જમ્મુ અને કાશ્મીરમાં સતત ભારે વરસાદથી લોકોનું જીવન મુશ્કેલ બન્યું છે. કેટલીક જગ્યાએ ભૂસ્ખલન અને અન્ય જગ્યાએ નદીઓના વિકરાળ સ્વરૂપને કારણે લોકો ભયના છાયામાં મુકાઈ ગયા છે. એટલું જ નહીં, રાજૌરી અને સાંબા જિલ્લામાં પણ જમીન ધસી પડવાના બનાવો નોંધાયા છે. ભૂસ્ખલનની ઘટનાઓ બાદ, વહીવટીતંત્રે 19 પરિવારોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા હતા. જેમાં રાજૌરીના 11 અને […]

કટરાના અર્ધકુમારીમાં ભૂસ્ખલનમાં પાંચ લોકોના મોત અને 14 ઘાયલ થયા

કટરાના અર્ધકુમારીમાં ભૂસ્ખલનથી પાંચ લોકોના દુઃખદ મોત થયા છે. શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડે આ માહિતી આપી હતી. બોર્ડે જણાવ્યું હતું કે આ દુર્ભાગ્યપૂર્ણ અકસ્માતમાં 14 લોકો ઘાયલ પણ થયા છે. બચાવ કામગીરી ચાલુ છે. તમને જણાવી દઈએ કે ખરાબ હવામાનને કારણે માતા વૈષ્ણો દેવીની યાત્રા મુલતવી રાખવામાં આવી છે. કટરા એસડીએમ પીયૂષ દતોત્રાએ […]

હિમાચલમાં વરસાદ અને ભૂસ્ખલનને કારણે અત્યાર સુધીમાં 194 લોકોના મોત, 613 રસ્તા બંધ

હિમાચલ પ્રદેશમાં ચોમાસાનો કહેર લગાતાર ચાલું છે. ભારે વરસાદ, ભસ્ખલન અને વૃક્ષો પડવાની ઘટનાઓને કારણે રાજ્યમાં જન-જીવન પર ખરાબ અસર પડી છે. અત્યાર સુધમાં 194 લોકોના મોત થયા છે, જ્યારે 301 લોકો ઘાયલ થયા છે. 36 લોકો હજી સુધી ગુમ છે. રાજ્યમાં કુલ 1852 કરોડ રૂપિયાથી વધારે નુકશાન થયું છે. 613 રસ્તાઓ બંધ, 1491 ટ્રાન્સફોર્મર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code