1. Home
  2. Tag "Latest News Gujarati"

પાકિસ્તાને શરણાગતિનો સફેદ ઝંડો લહેરાવ્યો, ત્યારે ભારતે ઓપરેશન સિંદૂર મુલતવી રાખ્યું: કેન્દ્રીય મંત્રી

ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ અંગે વિપક્ષ સરકાર પર સવાલ ઉઠાવી રહ્યો છે. આ સંદર્ભમાં, બુધવારે (18 જૂન, 2025) કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ ટ્વિટર પર વિદેશ સચિવનો એક વીડિયો પોસ્ટ કર્યો અને લખ્યું કે તેમનું નિવેદન ખૂબ જ સ્પષ્ટ છે. ભારતના ઇરાદા પર સવાલ ઉઠાવનારાઓને યોગ્ય જવાબ આપવામાં આવ્યો છે. તેમણે આગળ લખ્યું કે જ્યારે પાકિસ્તાને શરણાગતિનો સફેદ […]

ગાંધીનગર મ્યુનિને એડવાન્સ પ્રોપર્ટીટેક્સ રિબેટ યોજના ફળી, 45 કરોડની આવક

પ્રોપર્ટી ટેક્સ ભરનારાને 91 કરોડનું વળતર અપાયું, 1લી એપ્રિલથી 15મી જૂન સુધીમાં 91,381 કરદાતાઓ પ્રોપર્ટી ટેક્સ ભર્યો, 57 ટકા મિલકતધારકોએ 11 કરોડનો વેરો ઓનલાઇન જમા કરાવ્યો ગાંધીનગરઃ શહેરની મ્યુનિ.કોર્પોરેશન દ્વારા નાગરિકો માટે એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ રિબેટ યાજના અમલમાં મુકતા તેને સારોએવો પ્રતિસાદ મળ્યો છે. મ્યુનિ.દ્વારા વર્ષ 2025-26માં એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનારા નાગરિકો માટે 10 ટકા […]

અમેરિકામાં બે ભારતીય વિદ્યાર્થીઓને લાખો ડોલરના કૌભાંડ બદલ સજા, વૃદ્ધોને બનાવતા હતા નિશાન

અમેરિકામાં અભ્યાસ કરતા બે ભારતીય વિદ્યાર્થીઓને અલગ-અલગ પરંતુ સમાન છેતરપિંડીના કેસોમાં જેલની સજા ફટકારવામાં આવી છે. બંને પર વૃદ્ધ અમેરિકનોને નિશાન બનાવવા અને લાખો ડોલરનું નુકસાન પહોંચાડવાનો આરોપ છે. સ્ટુડન્ટ વિઝા પર અમેરિકા આવેલા 20 વર્ષીય કિશન રાજેશકુમાર પટેલને મની લોન્ડરિંગના કાવતરાના આરોપસર દોષિત ઠેરવ્યા બાદ આ અઠવાડિયે 63 મહિના (પાંચ વર્ષથી વધુ) ની જેલની […]

‘અમદાવાદ અકસ્માત પહેલા એર ઇન્ડિયાના વિમાનની ઇમરજન્સી પાવર સિસ્ટમ ચાલુ હતી’, યુએસ રિપોર્ટ

અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ, એર ઇન્ડિયાના ડ્રીમલાઇનર 787-8 વિમાન સાથે સંબંધિત મહત્વપૂર્ણ માહિતી પ્રકાશમાં આવી છે. એક અહેવાલ મુજબ, વિમાન અમદાવાદના મેઘનાનીનગરમાં ડોક્ટર્સ હોસ્ટેલ પર ઉડાન ભર્યાના થોડી જ સેકન્ડોમાં ક્રેશ થયું હતું. જોકે, ક્રેશ પહેલા વિમાનની ઇમરજન્સી પાવર સિસ્ટમ સક્રિય કરી દેવામાં આવી હતી. ઇતિહાસના સૌથી ખરાબ અકસ્માતોમાંના એકનો ભોગ બનેલી અમેરિકન કંપની બોઇંગે […]

વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન નજીક પૂરના પાણીને લીધે 7 હરણના મોત

એક બચ્ચા સહિત પાંચ કાળિયારના રેસ્ક્યુ કરાયા, વેળાવદર કાળિયાર નેશનલ પાર્ક અને મોબાઇલ સ્કવોર્ડ દ્વારા કામગીરી કરાઈ, વેળાવદર કાળિયાર અભ્યારણ્યમાં બે હજારથી વધુ કાળિયાર વસાવટ ભાવનગરઃ  શહેર તેમજ જિલ્લામાં ભારે વરસાદ બાદ હવે નુકશાનો ચિતાર મળી રહ્યો છે. ભારે વરસાદને લીધે કાળુભાર, ઘેલો સહિત અનેક નદીમાં ઘોડાપૂર આવતા ભાલ વિસ્તારમાં સરોવરની જેમ પાણી ભરાયેલા જોવા […]

ખાલિસ્તાની ઉગ્રવાદીઓ કેનેડામાં બેઠાબેઠા ભારતમાં હિંસા ફેલાવી રહ્યા છેઃ કેનેડા

આખરે, કેનેડાએ પણ સ્વીકાર્યું છે કે કેનેડામાં બેઠેલા ખાલિસ્તાની આતંકવાદીઓ ભારતમાં હિંસા ફેલાવી રહ્યા છે. ભારત સરકાર લાંબા સમયથી આ વાત કહી રહી છે, પરંતુ અગાઉની ટ્રુડો સરકારે તેના પર ધ્યાન આપ્યું ન હતું, પરંતુ હવે કેનેડામાં માર્ક કાર્નીના નેતૃત્વ હેઠળની સરકારે સ્વીકાર્યું છે કે ખાલિસ્તાનીઓ ભારતમાં હિંસા ફેલાવવા માટે કેનેડાનો ઉપયોગ કરી રહ્યા છે. […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ચાર ભવનોમાં છતમાંથી પોપડા પડતા વિદ્યાર્થીઓમાં ભય

યુનિના 4 દાયકા જૂના ભવનો જર્જરિત બન્યા, કેટલાક ભવનોમાં છતમાંથી પાણી ટપકે છે, યુનિએ બાંધકામ વિભાગને ત્વરિત કાર્યવાહી કરવા સુચના આપી રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેટલાક ભવનો ચાર દાયકાથી જુના છે. તેથી સામાન્ય વરસાદમાં પણ ભવનોના ધાબા પરથી પાણી ટપકવા લાગે છે. જ્યારે એક ભવનમાં તો પોપડા પડી રહ્યા છે. ત્યારે વિદ્યાર્થીઓ અને અધ્યાપકો ડર અનુભવી […]

વડોદરામાં વાઘોડિયા રોડ પર ડમ્પરની અડફેટે સ્કૂટરચાલક યુવતીનું મોત

M S યુનિમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતી સ્કૂટરચાલક યુવતીના મોતથી ગમગીની, પોલીસે ડમ્પરચાલકની અટકાયત કરી, અકસ્માત સ્થળે લોકોના ટાળાં એકઠા થયા વડોદરાઃ શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ શહેરના વાઘોડિયા રોડ પર બન્યો હતો. શહેરના વાઘોડિયા રોડ પર વૃંદાવન ચાર રસ્તા નજીક એક ડમ્પર ચાલકે સ્કૂટરને અડફેટે લેતા  સ્કૂટરચાલક […]

અમદાવાદને હરિયાળું બનાવવા મ્યુનિ. કોર્પોરેશન દ્વારા 40 લાખ રોપા વવાશે

મ્યુનિ. ખાનગી એજન્સી પાસેથી 21 લાખ રોપા ખરીદશે, પ્રતિ રોપાદીઠ રૂ.328 જેટલો ખર્ચ થવાનો અંદાજ, મ્યુનિના 157 પ્લોટમાં મિયાવાકી પદ્ધતિથી વૃક્ષારોપણ થશે અમદાવાદઃ શહેરને હરિયાળું બનાવવા માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા 40 લાખ રોપા વવાશે. આ માટે મ્યુનિ. ખાનગી એજન્સી પાસેથી 21 લાખ રોપાની ખરીદી કરવાનો નિર્ણય લીધો છે. પ્રતિ રોપાનો ભાવ રૂ.79 થવા જાય છે. જ્યારે […]

અમદાવાદમાં 24 કલાકમાં 3 ઈંચ વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

બોપલની સ્ટર્લિંગ સિટીમાં બે ફુટ પાણી ભરાયા, અખબારનગર અને સાબરમતી ડીકેબીન અંડરપાસમાં પાણી ભરાયા, નિકોલની મધુમાલતી આવાસ યોજનામાં ત્રણ ફૂટથી વધુ પાણી ભરાયા અમદાવાદઃ શહેરમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. સમયાંતરે વરસાદના ઝાપટાં પડી રહ્યા છે. આજે સવારથી આકાશમાં ઘનઘોર વાદળો ગોરંભાતા સૂર્યનારાયણના દર્શન પણ થઈ શક્યા નહતા, બુધવારે મોડી રાત્રે 1 વાગ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code