1. Home
  2. Tag "Launched"

અમદાવાદમાં ઓક્સિજન પાર્ક સહિત 1003 કરોડના વિકાસ કાર્યોનું અમિત શાહે કર્યું લોકાર્પણ

શહેરના સિન્ધુભવન રોડ પર ઓક્સિજન પાર્કમાં 67 લાખથી વધુ ફૂલ-છોડ, મકરબામાં સ્વિમિંગ પુલનું નવુ નજરાણું,  અમદાવાદ: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે અમદાવાદમાં અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. કેન્દ્રિય ગૃહમંત્રીએ એક દિવસીય ગુજરાત પ્રવાસ દરમિયાન અમદાવાદમાં  સાત કાર્યક્રમોમાં ઉપસ્થિત રહીને વિકાસના કામોના લોકાર્પણ કર્યા હતા. જેમાં થલતેજમાં સિન્ધુભવન રોડ પર […]

ભારતની વધુ એક સફળતા, ISROએ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ EOS-08 લોન્ચ કર્યો

શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી સ્મોલ સેટેલાઈટ લોન્ચ વ્હીકલ (SSLV)-D3 દ્વારા લોન્ચ કરાયો ઇઓએસ-08 મિશનના મુખ્ય હેતુઓમાં એક માઇક્રોસેટેલાઇટની ડિઝાઇન અને વિકાસ કરવો છે નવી દિલ્હીઃ ઈસરોનો લેટેસ્ટ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ ‘ઈઓએસ-08’ આજે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી 9:17 કલાકે સ્મોલ સેટેલાઈટ લોન્ચ વ્હીકલ (એસએસએલવી)-ડી3 દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો. ઇઓએસ-08 મિશનના મુખ્ય હેતુઓમાં એક […]

ICMR-Panacea Biotech એ સ્વદેશી ડેન્ગ્યુ રસીના ત્રીજા તબક્કાનો કર્યો પ્રારંભ

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને Panacea Biotechએ દેશની પ્રથમ સ્વદેશી ડેન્ગ્યુ રસી માટે ફેઝ-3 ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરી છે. આ અજમાયશમાં પ્રથમ સહભાગીને બુધવારે રોહતકમાં પંડિત ભગવત દયાલ શર્મા પોસ્ટ ગ્રેજ્યુએટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (PGIMS) ખાતે રસી આપવામાં આવી હતી. આ સિદ્ધિ અંગે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ […]

ગુજરાતમાં એરી રેશમ ઉત્પાદન સંવર્ધન પ્રોજેક્ટનો શુભારંભ

અમદાવાદઃ ગુજરાતમાં એરંડા ઉગાડતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે એક મોટી પહેલ, એરી સેરીકલ્ચર પ્રમોશનલ પ્રોજેક્ટ આજે શરૂ કરવામાં આવ્યો હતો, જે રેશમ ઉત્પાદન અપનાવવાથી વધારાની આવક પેદા કરતી પ્રવૃત્તિ તરીકે મદદ કરશે. ગુજરાતમાં વિપુલ પ્રમાણમાં એરંડાના છોડ ધરાવતા એરિક્ચરના વિસ્તરણમાં પણ મદદ કરશે. સેન્ટ્રલ સિલ્ક બોર્ડ, કાપડ મંત્રાલય, ભારત સરકાર દ્વારા પાલનપુરમાં સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી (એસડીએયુ) અને કલ્યાણ ફાઉન્ડેશન ખાતે આ […]

ગુજરાત: ફળપાકોનું વાવેતર વધારવા “ગ્રો મોર ફ્રુટ ક્રોપ અભિયાન” શરુ કરાયું

અમદાવાદ : રાજ્યમાં બાગાયતી ખેતીના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ પ્રોત્સાહક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ગુજરાતમાં ફળપાકોનું વાવેતર વધારવા રાજ્ય સરકારના બાગાયત ખાતા દ્વારા ચાલુ વર્ષથી “ગ્રો મોર ફ્રુટ ક્રોપ અભિયાન” શરુ કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ રાજ્યના વધુમાં વધુ ખેડૂતો વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય મેળવીને ફળપાકોનું મહત્તમ વાવેતર કરે તે માટે […]

સરકારે રૂ. 96,238 કરોડના ટેલિકોમ સ્પેક્ટ્રમની હરાજી શરૂ કરી

કેન્દ્ર સરકારે જાહેરાત કરી હતી કે, ટેલિકોમ સેવાઓ માટે રૂ. 96,238.45 કરોડના સ્પેક્ટ્રમની હરાજી શરૂ કરવામાં આવી છે. કેન્દ્રીય સંચાર મંત્રાલયે કહ્યું હતું કે, વિવિધ બેન્ડમાં 10,522.35 MHz સ્પેક્ટ્રમની હરાજી કરવામાં આવશે. તેની અનામત કિંમત 96,238.45 કરોડ રૂપિયા રાખવામાં આવી છે. આ હરાજીમાં, 800 MHz, 900 MHz, 1800 MHz, 2100 MHz, 2300 MHz, 2500 MHz, […]

મોરબીમાં જુના પાઠ્ય પુસ્તકો જરૂરત મંદને આપવાનું અભિયાન શરૂ કરાયું, અખિલ ભારતીય શૈક્ષીક મહાસંઘ પણ જોડાયું

અમદાવાદઃ મોરબીમાં જુના પાઠય પુસ્તકો પસ્તીમાં મામૂલી કિંમતે આપી દેવાના બદલે જરૂરત મંદ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ભેટ આપી સામાજિક ઉત્તર દાયિત્વની આગવી પહેલ નિભાવવામાં આવી હતી. તે માટે અખિલ ભારતીય શૈક્ષીક મહાસંઘની પ્રેરક પહેલને નિવૃત સેવાભાવી પોલીસ પરિવાર સહિત વિવિધ શૈક્ષણિક સંકુલ અને શાળા કોલેજ , અખિલ ભારતીય શૈક્ષીક મહા સંઘના અન્ય શહેર અને ગામ માં […]

પ્રથમ નેક્સ્ટ જનરેશન ઓફશોર પેટ્રોલ વેસલ (X-GSL)ના નિર્માણ કાર્યનો શુભારંભ

મુંબઈઃ આધુનિક પેઢીના પહેલા નેક્સ્ટ જનરેશન ઓફશોર પેટ્રોલ વેસલ (X-GSL)ના નિર્માણ કાર્યનો ઔપચારિક શુભારંભ કાર્યક્રમ  મેસર્સ ગોવા શિપયાર્ડ લિમિટેડ, ગોવા ખાતે યોજાયો હતો. આ સમારંભની અધ્યક્ષતા કન્ટ્રોલર વોરશિપ પ્રોડક્શન એન્ડ એક્વિઝિશન વીએડીએમ બી શિવ કુમારે કરી હતી. આ મહત્વપૂર્ણ પ્રસંગે ગોવા શિપયાર્ડ લિમિટેડના અધ્યક્ષ તેમજ એમડી બી કે ઉપાધ્યાય તથા ભારતીય નૌકાદળ અને મેસર્સ જીએસએલના અન્ય […]

ગુજરાત સ્થાપના દિવસે ‘વિશ્વ ગુજરાતી સમાજ’ની એપ્લિકેશન લોન્ચ કરાશે

અમદાવાદઃ વિશ્વ ગુજરાતી સમાજની એપ્લિકેશન ગુજરાતના સ્થાપના દિવસે લોન્ચ થશે. વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ સી.કે પટેલ ઓનલાઈન ઝૂમ મીટીંગના (ટૂંક સમયમાં આઈ.ડી, પાસવર્ડ અને સમયની જાહેરાત થશે) આયોજન થકી એપ્લિકેશન લોન્ચ કરશે.આ ઝૂમ મીટીંગમાં કોઈ પણ ગુજરાતીઓ જોડાઈ શકશે. વિશ્વ ગુજરાતી સમાજ – યુવા સંગઠનના ગુજરાત પ્રદેશ કન્વીનર આકાશભાઈ પટેલના અવનવા વિચારોના સમાવેશ થકી લોન્ચ […]

ભારતઃ પ્રથમ સ્વદેશી જનીન થેરેપીનો શુભારંભ, દર્દીઓને મળશે રાહત

મુંબઈઃ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુએ આજે આઈઆઈટી બોમ્બેમાં કેન્સર માટે ભારતની પ્રથમ સ્વદેશી જનીન થેરેપીનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારતની પ્રથમ જનીન ઉપચારની શરૂઆત કેન્સર સામેની આપણી લડતમાં એક મોટી સફળતા છે. “સીએઆર-ટી સેલ થેરાપી” નામની સારવારની આ લાઇન સુલભ અને સસ્તી હોવાથી, તે સમગ્ર માનવજાત માટે એક નવી આશા પૂરી પાડે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code