1. Home
  2. Tag "Lok Sabha"

લોકસભામાં 8 વિપક્ષી સાંસદોનું સસ્પેન્શન રદ, ધ્વનિ મતદાનથી પ્રસ્તાવ પસાર

નવી દિલ્હી, 17 માર્ચ 2026: લોકસભાએ ધ્વનિ મત દ્વારા આઠ વિપક્ષી સાંસદોના સસ્પેન્શનને રદ કર્યું. કોંગ્રેસના મુખ્ય સૈનિક કે. સુરેશે કેટલાક સભ્યો દ્વારા કરવામાં આવેલી “અજાણતા ભૂલ” બદલ દિલગીરી વ્યક્ત કર્યા પછી સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ આ પ્રસ્તાવ રજૂ કર્યો. આ પ્રસ્તાવને સમાજવાદી પાર્ટીના ધર્મેન્દ્ર યાદવ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના સુપ્રિયા સુલેએ ટેકો […]

લોકસભામાં આજે રેલવે મંત્રાલયની ગ્રાન્ટ માંગણીઓ પર ચર્ચા અને મતદાન

નવી દિલ્હી, 17 માર્ચ 2026: લોકસભા આજે રેલવે મંત્રાલય હેઠળના વર્ષ 2026-27 માટે ગ્રાન્ટની માંગણીઓ પર ચર્ચા અને મતદાન કરશે. ચર્ચા શરૂ કરતા, કોંગ્રેસના તારિક અનવરે આરોપ લગાવ્યો કે સરકાર તેના લક્ષ્યોને પૂર્ણ કરવામાં નિષ્ફળ ગઈ છે. તેમણે કહ્યું કે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળના 1,337 સ્ટેશનોમાંથી ફક્ત 160 સ્ટેશનો પર પુનર્વિકાસનું કામ પૂર્ણ થયું […]

લોકસભા અધ્યક્ષ વિરુદ્ધના કોંગ્રેસના અવિશ્વાસ પ્રસ્તાવનો ધ્વનિમતથી રકાસ

ભાજપની સરખામણીમાં કોંગ્રેસને લોકસભામાં બોલવા માટે બે ગણો વધુ સમય આપવામાં આવ્યોઃ અમિત શાહ નવી દિલ્હી, 11 માર્ચ, 2026 – Lok Sabha લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા વિરુદ્ધ કોંગ્રેસ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવનો આજે રકાસ થયો હતો. બે દિવસ સુધી 13 કલાક કરતાં વધુ સમય ચાલેલી ચર્ચાનો કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે જવાબ […]

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા વિરુદ્ધ કોંગ્રેસના પ્રસ્તાવ પર ચર્ચાઃ જાણો કોણે શું કહ્યું?

નવી દિલ્હી, 11 માર્ચ, 2026 – Congress’s motion against Lok Sabha Speaker સંસદનું બજેટ સત્ર તેના બીજા તબક્કામાં પણ સતત તોફાની બની રહ્યું છે. બુધવારે લોકસભામાં સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર થનારી ચર્ચા દરમિયાન જબરદસ્ત હોબાળો જારી છે. વિપક્ષે ફેબ્રુઆરી 2026માં જ આ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેના […]

લોકસભામાં સ્પીકર ઓમ બિરલાને હટાવવાના પ્રસ્તાવ પર ફરી ચર્ચા કરશે

નવી દિલ્હી, 11 માર્ચ 2026: લોકસભામાં સ્પીકર ઓમ બિરલાને હટાવવાના પ્રસ્તાવ પર ચર્ચા ફરી શરૂ થશે. કોંગ્રેસના સાંસદ ડૉ. મોહમ્મદ જાવેદે ગઈકાલે આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે બિરલાએ વિપક્ષના નેતા અને અન્ય વિપક્ષી નેતાઓને ગૃહમાં પોતાના વિચારો વ્યક્ત કરતા અટકાવ્યા હતા અને વિપક્ષી મહિલા સાંસદો પર પાયાવિહોણા આરોપો લગાવ્યા હતા. […]

સરકારે લોકસભામાં રાહુલ ગાંધી દ્વારા લગાવવામાં આવેલા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા

નવી દિલ્હી, 12 ફેબ્રુઆરી 2026: સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે સરકાર બજેટ ચર્ચા દરમિયાન લોકસભામાં પાયાવિહોણા નિવેદનો આપવા અને ગૃહને ગેરમાર્ગે દોરવા બદલ વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ વિશેષાધિકાર ભંગની નોટિસ રજૂ કરશે. મીડિયા સાથે વાત કરતા રિજિજુએ કહ્યું કે રાહુલ ગાંધીએ પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પાયાવિહોણા અને ખોટા આરોપો […]

ઓમ બિરલાની ચેમ્બરમાં જઈને તેમનું અપમાન કરાયું, કોંગ્રેસના સાંસદો સામે રિજિજૂએ કર્યાં ગંભીર આક્ષેપ

નવી દિલ્હી, 11 ફેબ્રુઆરી 2026: લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા સામે વિપક્ષ દ્વારા અવિશ્વાસ પ્રવાસની નોટિસ આપી છે. આ દરમિયાન સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે આક્ષેપ-પ્રતિ આક્ષેપ શરૂ થયાં છે. દરમિયાન કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ કોંગ્રેસ ઉપર ગંભીર આક્ષેપ કરીને આકરા પ્રહાર કર્યાં છે. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસના કેટલાક સાંસદો સ્પીકરની ચેમ્બરમાં ગયા અને તેમની સામે […]

લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા અવિશ્વાસ પ્રસ્તાવ પર નિર્ણય ન આવે ત્યાં સુધી ગૃહની કાર્યવાહીથી દૂર રહેશે

નવી દિલ્હી, 11 ફેબ્રુઆરી 2026: લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ નૈતિક ધોરણે નિર્ણય લીધો છે કે જ્યાં સુધી વિપક્ષ દ્વારા તેમની સામે રજૂ કરાયેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર નિર્ણય ન લેવાય ત્યાં સુધી તેઓ ગૃહની કાર્યવાહીમાં ભાગ લેશે નહીં. વિપક્ષે બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી હતી, જે લોકસભાના મહાસચિવને સુપરત કરવામાં આવી છે. લોકસભા સચિવાલયના સૂત્રોના […]

સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે લોકસભામાં બજેટને દિશાહીન ગણાવ્યું

નવી દિલ્હી, 10 ફેબ્રુઆરી 2026: સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને સાંસદ અખિલેશ યાદવ લોકસભામાં પોતાનું બજેટ ભાષણ આપી રહ્યા છે. તેમણે પોતાના ભાષણમાં બજેટને દિશાહીન ગણાવ્યું. અખિલેશ યાદવે કહ્યું, “બજેટ રજૂ થયા પહેલા અને પછી, દેશભરમાં અમેરિકા સાથેની ડીલ વિશે ચર્ચા થઈ રહી હતી. ભાજપે દાવો કર્યો હતો કે અમે વિશ્વના ઘણા દેશો સાથે ફિ ટ્રેડ […]

લોકસભાના સ્પીકર ઓમ બિરલા સામે અવિશ્વાસના પ્રસ્તાવની નોટિસ અપાઈ

નવી દિલ્હી, 10 ફેબ્રુઆરી 2026: લોકસભામાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે. દરમિયાન કોંગ્રેસે સ્પીકર ઓમ બિરલા સામે અશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી છે. પાર્ટીએ લોકસભા મહાસચિવને નોટિસ સોંપી છે જેની ઉપર 118 સાંસદોએ સહી કરી છે. નિયમ 94 સી હેઠળ કોંગ્રેસ આ પ્રસ્તાવ લાવ્યું હોવાનું જાણવા મળે છે. લોકસભા સચિવાયલના સૂત્રોના જણાવ્યા અનુસાર અવિશ્વાસ પ્રસ્તાવની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code