1. Home
  2. Tag "Lok Sabha"

લોકસભાએ મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાના બંધારણીય પ્રસ્તાવને મંજૂરી આપી

નવી દિલ્હીઃ લોકસભાએ વકફ (સુધારા) બિલ, 2025 પસાર કર્યું છે, જેમાં વિપક્ષ દ્વારા રજૂ કરાયેલા સુધારાઓને નકારી કાઢવામાં આવ્યા છે. ગૃહે ગઇકાલે બિલને મંજૂરી આપી, જેમાં 288 સભ્યોએ પક્ષમાં મતદાન કર્યું જ્યારે 232 સભ્યોએ બિલની વિરુદ્ધમાં મતદાન કર્યું. મોડી રાત સુધી નીચલા ગૃહમાં 12 કલાકથી વધુ સમય સુધી આ બિલ પર ચર્ચા થઈ. વકફ (સુધારા) […]

લોકસભામાં વકફ સુધારા બિલ રજૂ થતાં જ કોંગ્રેસનો હંગામો શરૂ, અમિત શાહે તરત જ જવાબ આપ્યો

લોકસભામાં વકફ સુધારા બિલ રજૂ કરવામાં આવ્યું છે. આ બિલ રજૂ થતાની સાથે જ કોંગ્રેસે લોકસભામાં હંગામો શરૂ કરી દીધો હતો. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે તેમને ગઈકાલે (1 એપ્રિલ) બપોરે બિલ મળ્યું હતું, જેના કારણે તેમને સુધારા રજૂ કરવાનો સમય મળ્યો ન હતો. કોંગ્રેસના આ આરોપનો ગૃહમંત્રી અમિત શાહે તરત જ જવાબ આપ્યો. કેવી […]

લોકસભામાં બજેટ સત્રનો પહેલો ભાગ સમાપ્ત, કાર્યવાહી 10 માર્ચ સુધી સ્થગિત

નવી દિલ્હીઃ લોકસભામાં બજેટ સત્રનો પ્રથમ તબક્કો પૂર્ણ થયો અને કાર્યવાહી 10 માર્ચ સુધી સ્થગિત કરવામાં આવી. લોકસભાના અધ્યક્ષે સત્રના પહેલા ભાગને ઉત્પાદક ગણાવ્યો અને ભવિષ્યમાં પણ દરેક તરફથી સહકારની અપેક્ષા રાખી. વકફ સુધારા બિલ પર રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ (JPC)નો અહેવાલ આજે લોકસભામાં પ્રથમ ભાગના છેલ્લા દિવસે રજૂ કરવામાં આવ્યો હતો. આવકવેરા બિલ પણ […]

નિર્મલા સીતારમણ દ્વારા લોકસભામાં નવુ આવકવેરા બિલ 2025 રજુ કરાયુ

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુરુવારે લોકસભામાં બહુપ્રતિક્ષિત નવું આવકવેરા બિલ-2025 રજૂ કર્યું. નવું આવકવેરા બિલ સિલેક્ટ કમિટીને મોકલવામાં આવ્યું છે. આ સાથે લોકસભાની કાર્યવાહી 10 માર્ચના રોજ સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. લોકસભામાં નવું આવકવેરા બિલ-2025 રજૂ કરતી વખતે કેન્દ્રીય નાણામંત્રી સીતારમણે કહ્યું, કે, અમે આવકવેરા કલમોની સંખ્યા ઘટાડીને 536 કરી […]

અમેરિકાથી ભારતીય ઇમિગ્રન્ટ્સને પાછા મોકલવાના મુદ્દા પર લોકસભામાં હોબાળો

નવી દિલ્હી: ગુરુવારે લોકસભામાં અમેરિકામાંથી “ગેરકાયદેસર” ભારતીય ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કરવાના મુદ્દા પર વિરોધ પક્ષોએ સૂત્રોચ્ચાર કર્યા હતો, જેના કારણે ગૃહની કાર્યવાહી ગૃહ શરૂ થયાના માત્ર 10 મિનિટ પછી, સ્થગિત કરવામાં આવી હતી. ગૃહની કાર્યવાહી શરૂ થતાં, વિપક્ષી સભ્યોએ આ મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો. ઘણા વિપક્ષી સભ્યોએ આ મુદ્દા પર ચર્ચાની માંગણી કરતી મુલતવી નોટિસ […]

લોકસભામાં વિપક્ષના હંગામા મુદ્દે અધ્યક્ષ ઓમ બિરલાએ નારાજગી વ્યક્ત કરી

નવી દિલ્હી: લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ સોમવારે ગૃહમાં સૂત્રોચ્ચાર કરી રહેલા વિપક્ષી સભ્યોને કહ્યું કે, જો જનતાએ તેમને સૂત્રોચ્ચાર કરવા મોકલ્યા છે, તો આ જ કામ કરો નહીં તો કાર્યવાહી ચાલુ રહેવા દેવી જોઈએ. બજેટ સત્રના ત્રીજા દિવસે ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષી સભ્યોએ મહાકુંભમાં થયેલી ભાગદોડની ઘટના પર સરકાર પાસેથી જવાબ માંગતા સૂત્રોચ્ચાર […]

લોકસભામાં નાણામંત્રીએ આર્થિક સર્વેક્ષણ 2024-25 રજૂ કર્યું

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમને, શુક્રવારે બજેટ સત્રના પહેલા દિવસે લોકસભા અને રાજ્યસભામાં આર્થિક સર્વેક્ષણ 2024-25 રજૂ કર્યું. રાષ્ટ્રપતિના સંસદમાં સંયુક્ત સંબોધન પછી, લોકસભા 1 ફેબ્રુઆરીના રોજ સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. શનિવારે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વ હેઠળની એનડીએ સરકારના ત્રીજા કાર્યકાળ માટે કેન્દ્રીય બજેટ 2025-26 રજૂ થાય તે પહેલાં, કેન્દ્રીય નાણાં […]

‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ અને વક્ફ બિલ પર સરકારે ઝડપી ગતિએ આગળ વધ્યું: રાષ્ટ્રપતિ મુર્મુ

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શુક્રવારે સરકારની સિદ્ધિઓ પર પ્રકાશ પાડ્યો અને કહ્યું કે ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ અને વક્ફ (સુધારા) બિલ જેવા કાયદાઓ ઝડપી ગતિએ લાગુ કરવામાં આવ્યા છે. સંસદના બંને ગૃહોના સંયુક્ત સત્રને સંબોધિત કરતી વખતે તેમણે એમ પણ કહ્યું કે સરકાર અભૂતપૂર્વ સિદ્ધિઓ દ્વારા ભારતની વિકાસ યાત્રાના આ અમૃત કાળને નવી ઉર્જા […]

વન નેશન વન ઈલેક્શન પર જેપીસી બનાવવાની પ્રક્રિયાનો આરંભ

સમિતિના સભ્યો માટે તમામ પક્ષો પાસે નામ મગાવાયા કિરેન રિજિજુએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં નવી દિલ્હીઃ વન નેશન વન ઈલેક્શન પર જેપીસી બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ સમિતિના સભ્યો માટે તમામ પક્ષો પાસેથી નામ માંગ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, “પીએમ મોદીએ બાબા સાહેબ આંબેડકરના સપનાને સાકાર કરવા […]

લોકસભાએ ચાલુ નાણાકીય વર્ષ માટે અનુદાન માટેની પૂરક માંગણીઓની પ્રથમ બેચને મંજૂરી આપી

નવી દિલ્હીઃ લોકસભાએ ચાલુ નાણાકીય વર્ષ માટે અનુદાન માટેની પૂરક માંગણીઓની પ્રથમ બેચને મંજૂરી આપી. સરકારે રૂ. 87 હજાર સાતસો બાંસઠ કરોડથી વધુના કુલ વધારાના ખર્ચને અધિકૃત કરવા માટે સંસદની મંજૂરી માંગી હતી. નાણાકીય વર્ષ 2024-25 ની સેવાઓ માટે ભારતના સંકલિત ભંડોળમાંથી ચોક્કસ વધુ રકમ એકત્ર કરવા અને ચૂકવણીને અધિકૃત કરવા માટે ગૃહ વિનિયોગ વિધેયક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code