1. Home
  2. Tag "LOKSABHA ELECTION 2024"

મત આપો અને સાવ સસ્તામાં મીઠાઈ અને ફરસાણ લઈ જાઓ, અનોખું અભિયાન

અમદાવાદઃ લોકસભા ચૂંટણી 2024 માં વધુમાં વધુ મતદાન થાય એ માટે તંત્ર વિવિધ માધ્યમો દ્વારા પ્રયાસો કરવામાં આવતા હોય છે, ત્યારે ભાવનગરના વેપારીઓ દ્વારા પણ અવનવા નુસખા અપનાવી લોકોમાં મતદાન જાગૃતિ માટે પ્રયાસ કરવામાં આવી રહ્યું છે. ભાવનગરમાં તંત્રની સાથે મતદાન જાગૃતિ અભિયાનમાં સહભાગી બનવા ભાવનગર સ્વીટ અને ફરસાણ એસોસિએશન દ્વારા અલગ પ્રકારની ઓફર અજમાવી મતદાન […]

લોકસભા ચૂંટણીઃ સમાજવાદી પાર્ટીએ ઘોષણાપત્રમાં મહિલાઓ અને ગરબો માટે કરી વિશેષ જાહેરાત

 લખનૌઃ લોકસભાની ચૂંટણીનો પ્રચાર-પ્રસાર તેજ બન્યો છે. દરમિયાન ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીએ ઘોષણાપત્ર જાહેર કર્યું છે. સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે જણાવ્યું હતું કે, પાર્ટીના સોશિયલ પેટ ઉપર લોકો પાસેથી અભિપ્રાય લેવામાં આવ્યો હતો. આ અભિપ્રાયના આધારે ઘોષણાપત્ર તૈયાર કરવામાં આવ્યું હતું. જનતાનું માગપત્ર અમારો અધિકાર છે. અખિલેશ યાદવે કહ્યું, “અમે અમારા વિઝન ડોક્યુમેન્ટનું નામ […]

લોકસભા ચૂંટણી: બીજા તબક્કા માટે 13 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં 1210 ઉમેદવારો ચૂંટણીજંગમાં

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2024ના બીજા તબક્કામાં 12 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના 1,206 ઉમેદવારો અને બાહ્ય મણિપુર પીસીના 4 ઉમેદવારો ચૂંટણી લડશે. લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત બીજા તબક્કાના મતદાન માટે 12 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના 88 પીસી માટે કુલ 2633 ઉમેદવારીપત્રો ભરાયા હતા. તમામ 12 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટે બીજા તબક્કા માટે નામાંકન ભરવાની છેલ્લી તારીખ 4 એપ્રિલ, 2024 હતી. […]

ખિચડી ગોટાળાના સરદાર છે સંજય રાઉત, નિરુપમનો ઉદ્ધવ ઠાકરે જૂથ પર મોટો આરોપ

મુંબઈ: કોંગ્રેસને અલવિદા કહી ચુકેલા સંજય નિરુપમ હવે ઉદ્ધવ ઠાકરે કેમ્પને ઘેરતા દેખાય રહ્યા છે. તેમણે રાજ્યસભાના સાંસદ સંજય રાઉત પર ખિચડી ગોટાળાના સરદાર હોવાનો આરોપ લગાવ્યો છે. તેની સાથે જ તેમણે શિવસેના-ઉદ્ધવ બાળાસાહેપબ ઠાકરેના ઉમેદવાર અમોલ કીર્તિકારની ધરપકડની માગણી કરી છે. તાજેતરમાં ઈડીએ કીર્તિકારને નોટિસ મોકલી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, તેમણે આરોપ લગાવ્યો છે […]

ભગવાન રામે હુલ્લડ કરવાનું કહ્યું નથી: મમતા બેનર્જીનો દાવો-ભાજપ ચૂંટણી પહેલા પ.બંગાળમાં કરાવશે રમખાણ

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રવિવારે ભાજપ પર નિશાન સાધતા દાવો કર્યો છે કે કેન્દ્રમાં સત્તાધારી પાર્ટી લોકસબા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાનના બે દિવસ પહેલા કોમી રમખાણ કરાવશે. લોકોને કોઈપણ ઉશ્કેરણીમાં દોરવાય નહીં જવાની અપીલ કરતા મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું છે કે ભાપજ 17 એપ્રિલે રામનવમી પર કોમવાદી ભાવનાઓ ભડકાવશે. બંગાળમાં સત્તાધારી ટીએમસીના […]

લાલુ યાદવના પુત્રી રોહિણી આચાર્યે કહ્યું અમે રામવિરોધી નથી: મીસા ભારતીએ કરી ચૂંટણી પછી અયોધ્યા જવાની વાત

પટના : લોકસભા ચૂંટણી પ્રચારમાં ભાજપ અયોધ્યામાં રામમંદિરને લઈને વિપક્ષી દળો પર આક્રમક છે. ત્યારે બિહારમાં આરજેડી ચીફ લાલુપ્રસાદ યાદવના પુત્રી રોહિણી આચાર્ય અને મીસા ભારતીએ મોટા નિવેદન આપ્યા છે. રોહિણી આચાર્યે કહ્યું છે કે અમે રામ વિરોધી નથી. જ્યારે મીસા ભારતીએ સ્પષ્ટ કર્યું છે કે અમે ચૂંટણી બાદ અયોધ્યા જઈશું. મહત્વપૂર્ણ છે કે અયોધ્યામાં […]

હું ગૌમાંસ ખાતી નથી: અફવા ફેલાવનારાઓનો ક્લાસ લેતા કંગના રનૌતે ખુદને ગણાવ્યા પ્રાઉડ હિંદુ

નવી દિલ્હી: પોતાની દમદાર એક્ટિંગ અને નિવેદનોને કારણે ચર્ચામાં રહેનારા એક્ટ્રેસ કંગના રનૌતે સોશયલ મીડિયા પર તેમની વિરુદ્ધ ચાલી રહેલી અફવાઓ પર પ્રતિક્રિયા આપી છે. અભિનેત્રી અને મંડી લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર કંગના રનૌતે એક્સ પોસ્ટમાં કહ્યું છે કે હું ગૌમાંસ અથવા અન્ય કોઈપણ પ્રકારના લાલ માંસનું સેવન કરતી નથી, આ શર્મનાક છે કે […]

રામાયણના ગુણગાન કરવા લાગ્યા કન્હૈયા કુમાર, કહ્યુ- રામલહેર સારી વાત

નવી દિલ્હી: જેએનયૂની છાત્ર રાજનીતિ દરમિયાન સેક્યુલર રાજનીતિની વાત કરનારા કન્હૈયા કુમાર હવે રામાયણના ગુણગાન કરવા લાગ્યા છે. પહેલા ચર્ચા હતી કે તેઓ બિહારના બેગૂસરાયથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડશે. જો કે ગઠબંધનની ફોર્મ્યુલા હેટળ આ બેઠક લેફ્ટ પાસે ચાલી ગઈ. હવે ચર્ચા છે કે તેમને દિલ્હીમાં મનોજ તિવારી સામે કોંગ્રેસ ઉમેદવાર બનાવે તેવી શક્યતા […]

યાદ રાખો હું કોઈ મરઘીનું બચ્ચું નથી, મુખ્તાર અંસારીના ઘરે જવાથી સવાલ ઉઠતા ભડક્યા ઓવૈસી

નવી દિલ્હી: ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદ ઉલ મુસ્લિમીનના પ્રમુખ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ દાવો કર્યો છે કે તેમને જાનથી મારી નાખવાની ધમકી અપાય રહી છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ તરફથી જારી કરાયેલી વીડિયો ક્લિપમાં ઓવૈસી કહે છે કે હું ઉત્તરપ્રદેશમાં મુખ્તર અંસારીના ઘરે ગયો. તેને લને લોકો મને જાનથી મારવાની ધમકી આપવા લાગ્યા. હું […]

કૉંગ્રેસના ઘોષણાપત્રમાં મુસ્લિમ લીગની છાપ: સહારનપુરમાં પીએમ મોદીના ભાષણની 7 મોટી વાત

સહારનપુર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સહારનપુરમાં એક ચૂંટણી સભાને સંબોધિત કરી. લોકસભા ચૂંટણીના પહેલા તબક્કામાં 19 એપ્રિલે સહારનપુરમાં મતદાન થશે. ભાજપે પૂર્વ સાંસદ રાઘવ લખનપાલને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે માજિદ અલી બીએસપીના ઉમેદવાર છે. ઈમરાન મસૂદ સપા-કોંગ્રેસ ગઠબંધનના સંયુક્ત ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં છે. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાષ્ટ્રીય લોકદળના પ્રમુખ જયંત ચૌધરી પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code