1. Home
  2. Tag "madhya pradesh"

પ્રધાનમંત્રી 23થી 25 ફેબ્રુઆરી સુધી મધ્યપ્રદેશ, બિહાર અને આસામની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 23થી 25 ફેબ્રુઆરી દરમિયાન મધ્યપ્રદેશ, બિહાર અને આસામની મુલાકાત લેશે. તેઓ 23 ફેબ્રુઆરીનાં રોજ મધ્યપ્રદેશનાં છતરપુર જિલ્લાની મુલાકાત લેશે અને બપોરે લગભગ 2 વાગે તેઓ બાગેશ્વર ધામ મેડિકલ એન્ડ સાયન્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનો શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી 24 ફેબ્રુઆરીનાં રોજ સવારે 10 વાગે ભોપાલમાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2025નું ઉદઘાટન કરશે. ત્યારબાદ તેઓ બિહારનાં […]

મધ્યપ્રદેશઃ CM મોહન યાદવે રાજ્યમાં ફિલ્મ છાવાને કરમુક્ત કરી જાહેર

ભોપાલઃ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે છત્રપતિ શિવાજીની જન્મજયંતિ પર મરાઠા શાસક સંભાજી મહારાજના જીવન પર આધારિત ફિલ્મ છાવા ને રાજ્યભરમાં કરમુક્ત જાહેર કરી છે. 14 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી ફિલ્મ છાવા ચર્ચાનો વિષય બની ગઈ છે. ફિલ્મની પ્રશંસા કરતા મુખ્યમંત્રી મોહન યાદવે બુધવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે, […]

મહાકુંભઃ રાજસ્થાન અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રીઓએ લગાવી પવિત્ર ડુબકી

લખનૌઃ મહાકુંભમાં દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યાં છે અત્યાર સુધીમાં મહાકુંભમાં લગભગ 42 કરોડ શ્રદ્ધાળુઓ આવ્યાં છે અને હજુ પણ મોટી સંખ્યામાં આવી રહ્યાં છે. દરમિયાન રાજસ્થાન અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રીઓ મહાકુંભ પહોંચ્યાં હતા. તેમજ બંને નેતાઓએ પવિત્ર ડુબકી લગાવી હતી. રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે પ્રયાગરાજ પહોચ્યાં હતા. જ્યાંથી મહાકુંભમાં […]

મધ્યપ્રદેશ: ભોપાલમાં જિલ્લા મેજિસ્ટ્રેટે ભિક્ષા આપવા અને માંગવા પર પ્રતિબંધ મૂક્યો

ભોપાલઃ મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં ભીખ માંગવા અને ભિક્ષા આપવા પર પ્રતિબંધ મૂક્વામાં આવ્ય છે અને આમ કરનારાઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. ભોપાલ જિલ્લા મેજિસ્ટ્રેટ કૌશલેન્દ્ર વિક્રમ સિંહે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ 163 (2) હેઠળ જારી કરાયેલા આદેશમાં ભીખ માંગવા અને ભિક્ષા આપવા પર પ્રતિબંધ મૂક્યો હતો. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, […]

મધ્યપ્રદેશમાં મની લોન્ડરિંગ મામલે ઈડીના અનેક સ્થળે દરોડા, કરોડોની પ્રોપર્ટી મળી

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ 29 જાન્યુઆરી, 2025 ના રોજ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) 2002 હેઠળ મધ્ય પ્રદેશના ભોપાલ, સિહોર અને મોરેના જિલ્લામાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. જયશ્રી ગાયત્રી ફૂડ પ્રોડક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડને લગતી નાણાકીય અનિયમિતતાના કેસમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. સર્ચ દરમિયાન, EDએ ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો, 25 લાખ રૂપિયા રોકડા, લક્ઝરી […]

મધ્યપ્રદેશમાં સિમેન્ટ પ્લાન્ટમાં સર્જાઈ દૂર્ઘટના, બે શ્રમજીવીના મોત

ભોપાલઃ પન્ના સ્થિત એક સિમેન્ટ પ્લાન્ટમાં ગુરુવારે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. પ્લાન્ટના નિર્માણાધીન ભાગમાં છતના સ્લેબ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું, જ્યાં કેટલાક કામદારો કામ કરી રહ્યા હતા. આ સમય દરમિયાન, પાલખ અચાનક તૂટી પડ્યો, જેમાં 2 થી વધુ કામદારોના મોત થયા હતા, જ્યારે લગભગ 50 કામદારો ઘાયલ થયા હતા. કંપનીના સૂત્રોએ જણાવ્યું હતું કે […]

મધ્ય પ્રદેશના CM મોહન યાદવે મહાકુંભમાં જઈ રહેલા ભક્તોને ખાસ અપીલ કરી

પ્રયાગરાજ મહાકુંભમાં મંગળવાર રાત્રે ફાટી નીકળેલી નાસભાગમાં કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા છે અને ઘણા ઘાયલ પણ થયા છે. આ ઘટનાને ધ્યાનમાં રાખીને, અલગ-અલગ રાજ્ય સરકારો પ્રયાગરાજ સ્નાન માટે જતા શ્રદ્ધાળુઓ માટે માર્ગદર્શિકા જારી કરી રહી છે. દરમિયાન, મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવે તેમના રાજ્યના લોકોને ધીરજ રાખવા અને વહીવટીતંત્રની માર્ગદર્શિકાનું પાલન કરવા જણાવ્યું હતું. સીએમ મોહન […]

પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને મધ્યપ્રદેશમાં ઠંડી વધવાની હવામાન વિભાગની આગાહી

નવી દિલ્હીઃ હવામાન વિભાગે આજે ઉત્તરપ્રદેશમાં કેટલીક જગ્યાએ તીવ્ર ઠંડી પડવાની આગાહી કરી છે. પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને મધ્યપ્રદેશમાં પણ તીવ્ર ઠંડીની આગાહી કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળના તરાઈ વિસ્તારોમાં રાત્રિ અને સવારના સમયે ગાઢ ધુમ્મસની સંભાવના છે. સિક્કિમ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં આગામી બે-ત્રણ દિવસ […]

વાજપેયીજીની જન્મજયંતિ: PM મોદી મધ્ય પ્રદેશમાં કેન-બેતવા રિવર લિંકિંગ નેશનલ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે

નવી દિલ્હીઃ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 25 ડિસેમ્બરે મધ્યપ્રદેશની મુલાકાત લેશે. બપોરે લગભગ 12:30 વાગ્યે તેઓ ખજુરાહોમાં બહુવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી કેન-બેતવા નદીને જોડતી રાષ્ટ્રીય પરિયોજનાનો શિલાન્યાસ કરશે. જે રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્ય યોજના હેઠળ દેશની પ્રથમ નદીઓને એકબીજા સાથે જોડવાની યોજના છે. આ પ્રોજેક્ટ મધ્યપ્રદેશ અને […]

ઉપરાષ્ટ્રપતિ રવિવારે મધ્યપ્રદેશના ગ્વાલિયરની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર 15મી ડિસેમ્બર, 2024ના રોજ મધ્યપ્રદેશના ગ્વાલિયરના એક દિવસીય પ્રવાસ પર હશે. પોતાની યાત્રા દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ જીઓ સાયન્સ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરશે અને મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં જીવાજી યુનિવર્સિટી ખાતે શ્રીમંત જીવાજીરાવ સિંધિયાની પ્રતિમાના અનાવરણ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિતિ રહેશે.
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code