1. Home
  2. Tag "Major NEWS"

અંબાજીમાં 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ પૂર્ણ, 3 દિવસમાં 4 લાખ ભાવિકોએ લાભ લીધો

અંબાજી,  2 ફેબ્રુઆરી 2026:  સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ત્રિ દિવસીય એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ રવિવારે પૂર્ણ થયો છે. પરિક્રમાના અંતિમ દિવસે લાખો શ્રદ્ધાળુઓ સાથે ત્રણ દિવસમાં કુલ 4 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ પરિક્રમા કરી ધન્યતા અનુભવી હતી. બીજી તરફ પૂનમને લઇ મા અંબાજી મંદિર પણ માઇભક્તોથી ઉભરાઇ ગયું હતુ. આદ્ય શક્તિપીઠ અંબાજીના ગબ્બર ખાતે ત્રિદિવસીય એકાવન શક્તિપીઠ […]

વાવ-થરાદના તખતપુરા ગામની સીમમાં નર્મદા કેનાલમાં ગાબડું પડતા ખેતી પાકને નુકસાન

થરાદ,  2 ફેબ્રુઆરી 2026:  વાવ-થરાદ જિલ્લાના ધરણીધર તાલુકાના તખતપુરા ગામની સીમમાં નર્મદાની માઇનોર કેનાલમાં મોટું ગાબડું પડતા આજુબાજુના ખેતરોમાં કેનાલના પાણી ફરી વળતા ખેડૂતોના એરંડાના પાકને વ્યાપક નુકસાન થયું છે. ખેડૂતોએ આ અંગે નર્મદા નિગમના અધિકારીને રજુઆત કરાતા કેનાલમાં પાણી બંધ કરીને મરામતની કામગીરી હાથ ધરવામાં આવી છે. વાવ-થરાદ જિલ્લાના ધરણીધર તાલુકાના તખતપુરા ગામની સીમમાં […]

પાટડીના ખેડૂતોએ તંત્રની રાહ જોયા વિના જાતે કેનાલ સાફ કરી 3 ટ્રેકટર કચરો બહાર કાઢ્યો

સુરેન્દ્રનગર,  2 ફેબ્રુઆરી 2026:  પાટડીના ખેડૂતોએ તંત્રની રાહ જાયો વિના જાતે જ શ્રમદાન કરીને ખારાઘોડાની નર્મદા કેનાલમાંથી કચરો બહાર કાઢીને કેનાલમાં સફાઈ કરી હતી. ખેડૂતોએ કેનાલ સાફ કરવા માટે નર્મદા વિભાગને અનેક રજૂઆતો છતાં કાર્યવાહી ન થતાં પાટડીના ખેડૂતોએ જાતે જ ખારાઘોડા બ્રાન્ચ કેનાલની સફાઈ કરી હતી. આ સફાઈ દરમિયાન અંદાજે ત્રણ ટ્રેક્ટર જેટલો કચરો […]

રાજકોટ મ્યુનિ.કમિશનર દ્વારા ડ્રાફ્ટ બજેટમાં આકરા કરબોજ લાદવાની શક્યતા

રાજકોટ,  2 ફેબ્રુઆરી 2026:  કેન્દ્રિય બજેટ ગઈકાલે 1લી ફેબ્રુઆરીએ જાહેર થયા બાદ ગુજરાતના અમદાવાદ સહિત મહાનગરોના બજેટ માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જોકે મહાનગરપાલિકાઓની ચૂંટણીનું વર્ષ હોવાથી નવા કરવેરા લાદવાની શક્યતા ઓછી છે. રાજકોટના મ્યુનિસિપલ કમિશનર દ્વારા 2026-27ના ડ્રાફ્ટ બજેટ  લદભગ તૈયાર કરી દેવામાં આવ્યુ છે. જે ગણતરીના દિવસમાં જાહેર કરવામાં આવશે. જો […]

ગુજરાતમાં વાદળછાંયા વાતાવરણ બાદ ફરીવાર ઠંડીનું જોર વધવાની શક્યતા

અમદાવાદ,  2 ફેબ્રુઆરી 2026:  રાજ્યભરમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો આવતા પવનની ગતિ પણ વધી છે. તો બીજી બાજુ અનેક વિસ્તારોમાં વાદળો ગોરંભાયા છે. આજે સવારે પંચમહાલ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં માવઠું પડ્યાના વાવડ મળ્યા છે. ઉપરાંત ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન કચ્છના નલિયા વિસ્તારમાં 12.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું […]

અમદાવાદમાં ફ્લાવર શો બાદ હવે નર્સરીઓ પરથી વિવિધ રોપાનું વેચાણ કરાશે

અમદાવાદ,  2 ફેબ્રુઆરી 2026:  શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રિવરફ્રન્ટ પર ગઈ તા.1લી જાન્યિઆરીથી 29 જાન્યુઆરી દરમિયાન ભવ્ય ફ્લાવર શો યોજાઈ ગયો, ફ્લાવર શોમાં દેશ-વિદેશના રંગબેરંગી ફૂલોનો નજારો માણવા મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યાં હતા. ફ્લાવર શો પૂર્ણ થતાં હવે ફ્લાવરના રોપાઓના વેચાણનો એએમસીના ગાર્ડન વિભાગે નિર્ણય લીધો છે. શહેરમાં આવેલી ચાર જેટલી મ્યુનિની નર્સરીઓ ઉપરથી આ […]

ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક સેલ્ફી લેતા નદીમાં પડેલી બહેનને બચાવવા જતા ભાઈનું મોત

ભરૂચ, 1 ફેબ્રુઆરી 2026: શહેર નજીક નર્મદા નદી પરના ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ પર ફરવા આવેલા ભાઈ-બહેન માટે આજે રવિવારનો દિવસ કાળમુખો સાબિત થયો છે. નર્મદા નદીના કિનારે સેલ્ફી લેતા પગ લપસી જવાથી નદીમાં ખાબકેલી બહેનને બચાવવા માટે સગા ભાઈએ જીવના જોખમે નદીમાં ઝંપલાવ્યું હતું. આ ઘટનામાં સ્થાનિકોએ બહેનને તો સુરક્ષિત બચાવી લીધી, પરંતુ બહેનને બચાવવા […]

ભાવનગર -સોમનાથ હાઈવે પર અજાણ્યા વાહનની અડફેટે સિંહણનું મોત

અમરેલી, 1 ફેબ્રુઆરી 2026:  ભાવનગર–સોમનાથ નેશનલ હાઇવે પર જાફરાબાદ નજીક ફરી એકવાર વન્યપ્રાણીના અકસ્માતની ગંભીર ઘટના બની છે. હાઈવે પર નાગેશ્રી ટોલનાકા નજીક રોડ ક્રોસ કરી રહેલી એક સિંહણને અજાણ્યા વાહન ચાલકે પુરપાટ ઝડપે ટક્કર મારતા સિંહણનું સ્થળ પર જ મોત નિપજ્યુ હતું. આ બનાવની જાણ થતાં વન વિભાગનો સ્ટાફ દોડી ગયો હતો. આ બનાવની […]

અંબાજી મંદિરમાં આજે પૂનમે માતાજીના દર્શન માટે ભાવિકો ઉમટી પડ્યાં

અંબાજી, 1 ફેબ્રુઆરી 2026:  સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરમાં આજે મહા સુદ પૂનમના પાવન દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડ્યા હતા. જેના કારણે સમગ્ર મંદિર પરિસર ભક્તિમય માહોલથી ગુંજી ઉઠ્યું હતું. અંબાજી મંદિરમાં મંગળા આરતી દરમિયાન ‘બોલ માડી અંબે જય જય અંબે’ના નાદ ગુંજી ઉઠ્યા હતા. સિદ્ધિ વિનાયકની આરતી, માતાજીની આરતી અને ત્યારબાદ અંબિકેશ્વર […]

સુરતમાં નો-પાર્કિંગમાં કાર ટોઈંગ કરતા પોલીસ કોન્સ્ટેબલને કારચાલકે મારમાર્યો

સુરત, 1 ફેબ્રુઆરી 2026:  શહેરના ઉધના વિસ્તારમાં આવેલા સિલિકોન શોપર્સ પાસે નો-પાર્કિંગમાં પાર્ક કરેલી કારને ટોઈંગ કરવાની કામગીરી કરી રહેલા ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ પર કાર ચાલકે હુમલો કરી માર મારતા કારચાલક સામે ગુનોં નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની વિગત એવી છે કે, શહેરના ઉધનાના સિલિકોન શોપર્સ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ દ્વારા નો-પાર્કિંગમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code