1. Home
  2. Tag "manipur"

ભારે વરસાદ અને પૂરને કારણે આસામ, સિક્કિમ અને મણિપુરમાં પરિસ્થિતિ વણસી, પીએમ મોદીએ મદદની આપી ખાતરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા, સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગ અને મણિપુરના રાજ્યપાલ અજય ભલ્લા સાથે પ્રદેશમાં ભારે વરસાદ અને પૂરને કારણે ઉભી થયેલી પરિસ્થિતિ અંગે વાત કરી છે. પીએમ મોદીએ શક્ય તમામ મદદ અને સમર્થનનું આશ્વાસન આપ્યું છે. આ દરમિયાન, આસામના સીએમ હિમંતા બિસ્વા શર્માએ ટ્વીટ કર્યું, ‘થોડા સમય પહેલા પ્રધાનમંત્રીએ […]

મણિપુરમાં સુરક્ષા દળોએ નવ ઉગ્રવાદીઓની ધરપકડ કરી, હથિયારો અને દારૂગોળા જપ્ત કર્યા

સુરક્ષા દળોએ મણિપુરમાં વિવિધ પ્રતિબંધિત સંગઠનોના નવ ઉગ્રવાદીઓની ધરપકડ કરી છે. ગુરુવારે બિષ્ણુપુર જિલ્લાના લિમાપોકપમમાંથી પ્રતિબંધિત કાંગલેઈ યાવોલ કન્ના લુપ (KYKL) ના ત્રણ સક્રિય કાર્યકરોની ખંડણી પ્રવૃત્તિઓમાં સંડોવણી બદલ ધરપકડ કરવામાં આવી હતી, એમ એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે તેમની પાસેથી હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે. અધિકારીએ જણાવ્યું હતું કે […]

મણિપુરમાં ધરા ધ્રુજી, ચુરાચંદપુર અને નોની જીિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા

મણિપુરમાં આજે બુધવારે (28 મે, 2025) ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.5 અને 5.2 માપવામાં આવી હતી. ભૂકંપના આંચકા અનુભવાયા બાદ લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, મણિપુરના ચુરાચંદપુર જિલ્લામાં 28 મે, 2025 ના રોજ સવારે 1:54 વાગ્યે (ભારતીય સમય મુજબ) 5.2 ની […]

મણિપુરમાં સુરક્ષા દળોના સંયુક્ત ઓપરેશનમાં 13 ઉગ્રવાદીની ધરપકડ

ભારતીય સેના અને આસામ રાઇફલ્સે છેલ્લા એક અઠવાડિયામાં મણિપુરના વિવિધ ભાગોમાં સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી. આ કામગીરી મણિપુર પોલીસ, બીએસએફ, સીઆરપીએફ અને આઈડીબીપી સાથે સંકલનમાં કરવામાં આવી હતી. આમાં, વિવિધ સંગઠનોના 13 ઉગ્રવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી અને મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો હતો. ભારતીય સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ કોહિમામાં જણાવ્યું હતું […]

મણિપુરને વધારાની 153.36 કરોડ રૂપિયાની કેન્દ્રીય સહાયતા મળશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં એક ઉચ્ચ-સ્તરીય સમિતિએ વર્ષ 2024 દરમિયાન મણિપુરને કરાથી અસરગ્રસ્ત રૂ.153.36 કરોડની વધારાની કેન્દ્રીય સહાયને મંજૂરી આપી છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (એનડીઆરએફ)ની આ સહાય સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (એસડીઆરએફ)માં ઉપલબ્ધ વર્ષ માટે પ્રારંભિક બેલેન્સના 50 ટકા સમાયોજનને આધિન છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત […]

મણિપુરમાં ફરી કર્ફ્યૂ લગાવાયો, રાષ્ટ્રપતિ શાસન લાગુ થવા છતાં સ્થિતિ બેકાબૂ

મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયા છતાં સ્થિતિ બેકાકૂ બની છે. મણિપુરમાં ફરી એકવાર કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. મણિપુરના ચુરાચાંદપુરમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ચુરાચાંદપુર અને કાંગવાઈ, સમુલામલન, સાંગાઈકોટ સબ-ડિવિઝનના બે ગામોમાં 17મી એપ્રિલ સુધી સંપૂર્ણ કર્ફ્યુ નિયમો લાગુ રહેશે, પરંતુ બાકીના વિસ્તારોમાં, આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓ માટે 17મી એપ્રિલ સુધી […]

લોકસભાએ મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાના બંધારણીય પ્રસ્તાવને મંજૂરી આપી

નવી દિલ્હીઃ લોકસભાએ વકફ (સુધારા) બિલ, 2025 પસાર કર્યું છે, જેમાં વિપક્ષ દ્વારા રજૂ કરાયેલા સુધારાઓને નકારી કાઢવામાં આવ્યા છે. ગૃહે ગઇકાલે બિલને મંજૂરી આપી, જેમાં 288 સભ્યોએ પક્ષમાં મતદાન કર્યું જ્યારે 232 સભ્યોએ બિલની વિરુદ્ધમાં મતદાન કર્યું. મોડી રાત સુધી નીચલા ગૃહમાં 12 કલાકથી વધુ સમય સુધી આ બિલ પર ચર્ચા થઈ. વકફ (સુધારા) […]

મણિપુરમાં છ ડ્રગ સ્મગલર્સ અને બે આતંકવાદીઓની ધરપકડ

મણિપુરમાં સુરક્ષા દળો ડ્રગ્સ સ્મગલરો અને આતંકવાદીઓ વિરુદ્ધ સતત કાર્યવાહી કરી રહ્યા છે. પોલીસે સોમવારે છ ડ્રગ સ્મગલરો અને ચાર ખસખસ ઉગાડનારાની ધરપકડ કરી હતી. આ સાથે બે આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. કાંગપોકપી જિલ્લામાં છ ડ્રગ સ્મગલરો અને ચાર ખસખસ ઉગાડનારાની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે ડ્રગ સ્મગલરની ઓળખ ખાઈખાઓ કિપગેન ઉર્ફે […]

મણિપુર બાદ હવે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો અરુણાચલની મુલાકાતે

મણિપુર બાદ હવે સુપ્રીમ કોર્ટના જજો અરુણાચલ પ્રદેશ જઈ રહ્યા છે. ન્યાયાધીશોના આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય અરુણાચલના આદિવાસી સમુદાય અને દૂરના વિસ્તારોમાં રહેતા લોકોને તેમના અધિકારો અને કાયદાકીય પ્રક્રિયાઓ વિશે જાગૃત કરવાનો છે. આ કાર્યક્રમ રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) દ્વારા રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના સહયોગથી યોજવામાં આવી રહ્યો છે. NALSA ના કાર્યકારી પ્રમુખ અને સુપ્રીમ […]

મણિપુરમાં ચાર ઉગ્રવાદીઓને ઝડપી લેવાયાં, હથિયારો જપ્ત કરાયાં

નવી દિલ્હીઃ મણિપુરમાં સુરક્ષા દળોએ અલગ-અલગ કાર્યવાહીમાં ચાર ઉગ્રવાદીઓની ધરપકડ કરી છે. આ ઉગ્રવાદીઓ વિવિધ ઉગ્રવાદી સંગઠનો સાથે સંકળાયેલા છે. પોલીસે જણાવ્યું કે, બિષ્ણુપુર, ઇમ્ફાલ પૂર્વ અને થોબલ જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કરાયેલા ઉગ્રવાદીઓમાંથી એક કાંગલેઇપાક કોમ્યુનિસ્ટ પાર્ટીનો સભ્ય હોવાનું કહેવાય છે અને તેને બિષ્ણુપુર જિલ્લાના મૈબામ ચિંગમાંગ વિસ્તારમાંથી પકડવામાં આવ્યો હતો. તેમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code