પુણે મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-2ને મંત્રીમંડળે મંજૂરી આપી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે વનાઝથી ચાંદની ચોક (કોરિડોર 2A) અને રામવાડીથી વાઘોલી/વિઠ્ઠલવાડી (કોરિડોર 2B) સુધીના પુણે મેટ્રો રેલ પ્રોજેક્ટના બીજા તબક્કાને મંજૂરી આપી છે. આ ફેઝ-1 હેઠળ હાલના વનાઝ-રામવાડી કોરિડોરનું વિસ્તરણ છે. પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ. 3626.24 કરોડ છે, જે ભારત સરકાર, મહારાષ્ટ્ર સરકાર અને બાહ્ય દ્વિપક્ષીય/બહુપક્ષીય એજન્સીઓ દ્વારા સમાન રીતે વહેંચવામાં આવશે. […]