1. Home
  2. Tag "MORBI"

PM મોદી આજે મોરબી જશે,ઘાયલોની સાથે કરશે મુલાકાત,આવતીકાલે રાજ્યવ્યાપી શોક

રાજકોટ :મોરબી દુર્ઘટનાના સમાચારથી ભાવુક બનેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે ખુદ મોરબીની મુલાકાત લેશે.ઘટના સ્થળ જોયા બાદ તે હોસ્પિટલ જશે.જ્યાં તેઓ મૃતકોના પરિવારજનોને મળશે અને સાંત્વના આપશે તેમજ ઘાયલોની ખબર-અંતર પૂછશે.આ પહેલા સોમવારે વડાપ્રધાન મોદીએ હાઈ લેબલ કમિટીની બેઠક બોલાવી હતી અને ઘટનાની સમીક્ષા કરી હતી. વડાપ્રધાન હાલ ગુજરાતના પ્રવાસે છે. તેઓ ગુજરાતમાં અનેક રાજકીય […]

મોરબી દૂર્ઘટનાઃ ભાજપના સાંસદ મોહન કુંડારિયાના 12 સંબંધના મોત

અમદાવાદઃ મોરબીમાં ઝુલતો પુલ તુટવાની ઘટનામાં 100થી વધારે લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે અને હાલ સમગ્ર મોરબીમાં શોકનો માહોલ સર્જાયો છે. વેપારીઓએ પણ વેપાર-ધંધા બંધ રાખીને શોક વ્યક્ત કર્યો હતો. દરમિયાન આ દૂર્ઘટનામાં ભાજપના સાંસદના 12 સંબંધીઓના પણ અવસાન થયાનું જાણવા મળે છે. રાજકોટના ભાજપના સાંસદ મોહન કુંડારિયાએ જણાવ્યું હતું કે, આ દૂર્ઘટનામાં જીજાજીના […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે મોરબીની મુલાકાત લેશે, પીડિતોના પરિવજાનોને મલશે

અમદાવાદઃ ગુજરાતના 3 દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે બપોરના સમયે મોરબીની મુલાકાત લેશે. મોરબીમાં પીએમ નરેન્દ્ર મોદી પીડિતો અને તેમના પરિવારજનોની મુલાકાત લેશે. આ ઉપરાંત ઉચ્ચ અધિકારીઓ સાથે પણ સમગ્ર ઘટના અંગે ચર્ચા કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મોરબી મુલાકાત અંગે સીએમઓ દ્વારા સોશિયલ મીડિયામાં જાહેર કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર […]

મોરબીનો ઝુલતો બ્રીજ તૂટવાની ઘટના બાદ પીએમ મોદીએ આજના તમામ કાર્યક્રમો કર્યા રદ

મોરબીની દુખદ ઘટના બાદ પીએમ મોદી એ દુખ જતાવ્યું આજના તમામ રોડશો જેવા કાર્યક્રકમ પીએમ મોદીએ રદ કર્યા દિલ્હીઃ- ગુજરાતના રાજકોટ પાસે આવેલા મોરબીમાં વિતેલા દિવસની સાંજે ઝુલતો પુલ તૂટવાની ઘટના બની હતી અંદાજે 60થી વધુના મોત થયા હોવાની શક્યતાઓ છે મોતનોઆકંડો વધી પણ શકે છે કારણ કે ઘટના સર્જાય ત્યારે 400થી 5000 લોકો એક […]

મોરબીમાં મચ્છુ નદી પરનો ઝુલતો બ્રીજ તૂટી પડતા 400 લોકો નદીમાં ખાબક્યા, 60નાં મોત

મોરબીઃ શહેરમાં મચ્છુ હોનારત બાદ એટલે કે 40 વર્ષ બાદ આજે  મચ્છુ નદી પરનો રાજાશાહી સમયનો ઝુલતો પુલ તૂટતા અનેક લોકો  નદીમાં પડ્યા હતા. જેમા 60થી વધુ લોકોના મોત થયા હોવાના પ્રાથમિક અહેવાલો મળ્યા છે.  આ દુર્ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિતના નેતાઓએ દુ:ખ વ્યક્ત કર્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી સાથે […]

નર્મદાની બ્રાન્ચ કેનાલમાં પાણી ન છોડાતા મોરબી અને માળિયા વિસ્તારના ખેડુતો પરેશાન

ધ્રાંગધ્રાઃ સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લામાં ખેડુતો રવિ પાકની વાવણી માટે તૈયારીઓ કરી રહ્યા છે. ઘણા ખેડુતોએ આગોતરા વાવણીનું કાર્ય પૂર્ણ પણ કરી દીધી છે. જ્યારે ઘણા ખેડુતોના ખેતરોમાં ખરીફ પાક લહેરાઈ રહ્યો છે. ત્યારે મોરબી જિલ્લામાં આવતી નર્મદાની ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલમાં સિચાઈનું પાણી આવતુ નથી. જેથી આ વિસ્તારના ખેડૂતોને પાકને બચાવવા માટે મુશ્કેલી ઊભી થઇ […]

સુરેન્દ્રનગરના મુળી તાલુકાના પાંચ ગામોનો મોરબીના હળવદ તાલુકામાં સમાવેશ કરાશે

સુરેન્દ્રનગરઃ  જિલ્લાના મુળી તાલુકાના સરા, આંબરડી, કરશનગઢ, રામપરા અને નાડધ્રી ગામને ટૂંક સમયમાં હળવદ તાલુકામાં ભેળવી દેવાનો તખતો તૈયાર કરી દેવામાં આવ્યો છે. આ મામલે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ પ્રક્રિયા પૂર્ણ કરી મોરબી જિલ્લાને પ્રકરણ મોકલી આપવામાં આવ્યું છે. જે પૂર્ણ થયે સરકાર દ્વારા વિધિવત ગેજેટમાં પ્રસિદ્ધ કરશે. સૂત્રોના જણાવ્યા મુજબ  સુરેન્દ્રનગર જિલ્લાના મુળી […]

મોરબીઃ પા-પા પગલી યોજના હેઠળ 761 આંગણવાડી કેન્દ્રનો સમાવેશ

અમદાવાદઃ  મોરબી જિલ્લામાં પા-પા પગલી યોજના હેઠળ કુલ 761 આંગણવાડી કેન્દ્રોને આવરી લેવામાં આવ્યા છે. સમગ્ર જિલ્લામાં આ યોજના અંતર્ગત આજ દિન સુધીમાં 3 થી 6 વર્ષના લાભાર્થી કુમાર 9 હજાર 781 અને કન્યા 9 હજાર 589 એમ કુલ 19 હજાર 370 બાળકોને લાભ આપવામાં આવ્યો છે. પા-પા પગલી યોજના અન્વયે મોરબી જિલ્લા કક્ષાએ આંગણવાડીના […]

મોરબીના સિરામિકના 700 એકમોએ શટડાઉન જાહેર કરતા કરોડો રૂપિયાના વ્યવહારો ખોરવાયાં

મોરબીઃ શહેર અને જિલ્લાના સિરામિકના 700થી વધુ એકમોએ વ્યાપક મંદી અને અનેક વિટંબણાઓને કારણે એક મહિનાનું શટડાઉન જાહેર કર્યું છે. કાચા માલનો ભાવવધારો અને સિરામિક પ્રોડક્ટ્સમાં માગનો અભાવ સર્જાવાને લીધે ઉત્પાદન બંધ કરીને પુરવઠો હળવો કરવાનું ગયા મહિને નક્કી થયું હતું. 15 ઓગસ્ટથી ડિસ્પેચ પણ અટકાવી દેવામાં આવશે. જોકે તેનાથી ટ્રક – ટ્રાન્સપોર્ટેશન, બાંધકામ, પેકેજિંગ […]

આર્થિક મુશ્કેલીમાંથી પસાર થતા મોરબીના સિરામીક એકમોમાં એક મહિનાના વેકેશનની જાહેરાત

અમદાવાદઃ સમગ્ર દેશમાં મોરબી સિરામીક ઉદ્યોગનું હબ ગણાય છે. પરંતુ ગેસના ભાવ અને રો મટીરિયલની કિંમતમાં થયેલા વધારાને પગલે સિરામીક ઉદ્યોગ ભારે મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યું છે. દરમિયાન સિરામીક ઉદ્યોગમાં એક માસનું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા ઘણા સમયથી સિરામિક ઉદ્યોગ પર સંકટના વાદળો છવાયા છે, મોંઘવારીના કારણે આ ઉદ્યોગ પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code