1. Home
  2. Tag "MORBI"

મંદીને લીધે મોરબીમાં વોલ ટાઈલ્સ સિવાય તમામ સિરામિક યુનિટ્સ મહિના સુધી બંધ રહેશે

અમદાવાદઃ મોરબીના સિરામિક ઉદ્યોગને મંદીનું ગ્રહણ લાગતા સમગ્ર ઉદ્યોગમાં ઉત્પાદન એક મહિના સુધી બંધ કરવા માટેનો કઠિન નિર્ણય લેવામાં આવ્યો છે. 10 મી ઓગસ્ટથી મોરબીના વોલ ટાઇલ્સ સિવાયના તમામ યુનિટો બંધ કરવામાં આવશે, તેમ સિરામિક ઍસોસિયેશનના સૂત્રોએ સત્તાવાર રીતે જણાવ્યું હતું. ગુજરાતમાં સિરામિકના ઉદ્યોગને પણ મંદીનું ગ્રહણ લાગ્યુ છે. જેમાં સીએનજી ગેસમાં તોતિંગ વધારાથી ઉદ્યોગની […]

ગેસના ભાવના વધારાને લીધે મોરબીના સિરામિક ઉદ્યોગમાં મંદી, 500 યુનિટ્સ મહિના માટે બંધ રહેશે

મોરબી : દેશમાં પણ વૈશ્વિક મંદીની અસર જોવા મળી રહી છે. જેમાં ગુજરાતના મોરબીના સિરામિક ઉદ્યોગને પણ મંદીનું ગ્રહણ લાગતા સમગ્ર ઇન્ડસ્ટ્રીઝ એક મહિના માટે બંધ કરવા કઠોર નિર્ણય લેવાયો છે. આગામી 10 ઓગસ્ટથી મોરબીના વોલ ટાઇલ્સ સિવાયના તમામ સિરામિક યુનિટ એક મહિના માટે બંધ કરવાનો નિર્ણય કરાયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ મોરબીના સિરામિક ઉદ્યોગની […]

UAEએ એન્ટી ડમ્પિંગ ડ્યુટી હટાવી છતાં પણ મોરબીના સિરામિક પ્રોડક્ટની નિકાસમાં ઘટાડો

મોરબીઃ સિરામિક ઉદ્યોગને ફરીવાર મંદીનું ગ્રહણ લાગ્યુ છે. સિરામિક પ્રોડક્ટ ઉપર યુએઇમાં એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લાગતા ચાઈનાની સિરમાઈક પ્રોડક્ટ કરતાં મોરબીની સિરામિક પ્રોડક્ટ મોંઘી થઈ જતી હતી જો કે, કેન્દ્ર સરકારની દરમિયાનગીરીના કારણે યુએઇમાં સિરામિક પ્રોડક્ટ પર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લાગતી હતી તેને હટાવવામાં આવી છે જેથી સિરામિક ઉદ્યોગને યુએઇનું માર્કેટ પણ મળશે પરંતુ એક્સપોર્ટ […]

પીએમ મોદીએ મોરબીમાં દિવાલ ધરાશાયી થવાથી થયેલી જાનહાનિ અંગે શોક વ્યક્ત કર્યો

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મોરબીમાં દિવાલ ધરાશાયી થવાને કારણે થયેલી જાનહાનિ અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો છે.મોદીએ ગુજરાતના મોરબીમાં દિવાલ ધરાશાયી થયેલા પીડિતો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF) માંથી એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વિટ કર્યું; “મોરબીમાં દિવાલ ધરાશાયી થવાથી સર્જાયેલી દુર્ઘટના હૃદયદ્રાવક છે.દુઃખની આ ઘડીમાં, મારા વિચારો શોકગ્રસ્ત પરિવારો સાથે છે.ઘાયલો જલ્દી સ્વસ્થ […]

મોરબીમાં હનુમાનજીની 108 ફુટ ઉંચી પ્રતિમાનું પીએમ મોદીએ લોકાર્પણ કર્યું

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે હનુમાન જ્યંતિના પ્રસંગ્રે ગુજરાતના મોરબીમાં વીડિયો કોન્ફરન્સિંગથી ભગવાન હનુમાનજીની પ્રતિમાનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રતિમાની ઉંચાઈ 108 ફુટ છે. લોકાર્પણ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, આજના પ્રવિત્ર દિવસે ભવ્ય મૂર્તિનું લોકાર્પણ થયું છે. આ રામભક્તો અને હનુમાનજી ભક્તો માટે સુખદાઈ છે. તેમણે રામચરિત માનસનો ઉલ્લેખ કરતા કહ્યું હતું […]

પીએમ મોદી આવતીકાલે મોરબીમાં હનુમાનજીની 108 ફૂટની પ્રતિમાનું અનાવરણ કરશે

મોરબીમાં હનુમાનજીની 108 ફૂટની પ્રતિમાનું થશે અનાવરણ પીએમ મોદી આવતીકાલે પ્રતિમાનું કરશે અનાવરણ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરવામાં આવશે અનાવરણ દિલ્હી:આવતીકાલે હનુમાન જયંતિ છે.હનુમાન જયંતિ નિમિતે વડાપ્રધાન  નરેન્દ્ર મોદી 16 એપ્રિલ 2022ના રોજ એટલે કે આવતીકાલે સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાતના મોરબીમાં હનુમાનજીની 108 ફૂટની પ્રતિમાનું અનાવરણ કરશે. આ પ્રતિમા #Hanumanji4dham પ્રોજેક્ટના ભાગરૂપે દેશભરમાં […]

મોરબીના સિરામિક ઉદ્યોગ માટે કપરો સમય, ગેસ બાદ હવે શિપિંગ ભાડામાં પણ વધારો

મોરબીઃ શહેર- જિલ્લાના સિરામિક ઉદ્યોગનો હાલ કપરો સમય ચાલી રહ્યો છે. કોરોનાના પ્રથમ કાળથી સિરામિક ઉદ્યોગની માઠી દશા બેઠી હતી. આજે પણ સિરામિક ઉદ્યોગ પર મંદીના વાદળો છવાયા છે. મહિને એક હજાર કરોડની નિકાસ કરતો સિરામિક ઉદ્યોગ છેલ્લા છ મહિનામાં અનેક વખત ગેસના ભાવ વધારાના કારણે મુશ્કેલીમાં મુકાયો છે. ત્યારે હવે નવી મુસીબતે માથું ઊંચક્યું […]

મોરબીમાં 29 કરોડના ખર્ચે બનાવેલો પીપળી રોડ ત્રણ વર્ષમાં તૂટી ગયો, વાહન ચાલકો પરેશાન

મોરબીઃ જિલ્લાના મોરબીથી પીપળીનો રોડ કરોડો રૂપિયાના ખર્ચે ત્રણ વર્ષ પહેલા બનાવવામાં આવ્યો હતો. જો કે આજની તારીખે આ રસ્તા ઉપર અનેક જગ્યાએ મસમોટા ગાબડા પડી ગયા છે અને ડામર તૂટી ગયો છે અને રસ્તો ભાંગીને ભૂકો થઇ ગયો હોય તેવો ઘાટ સર્જાયો છે. એટલું જ નહિ, રોડ ઉપર ધૂળની ડમરીઓ સતત ઊડતી હોય છે […]

કરચોરી કરનારા મોબાઈલ એસેસરિઝના વેપારીઓ પર SGSTની તવાઈઃ રાજકોટ, મોરબીમાં 200 મોબાઈલ જપ્ત કરાયા

અમદાવાદઃ રાજ્યમાં ઘણા વેપારીઓ કર ચોરી કરતા હોવાની માહિતીને પગલે સ્ટેટ જીએસટીના અધિકારીઓએ ભાવનગર રાજકોટ સહિત ઘણા શહેરોમાં સર્ચ હાથ ઘર્યું હતું. જેમાં રાજકોટ, મોરબી, જામનગરમાં મોબાઈલના વેપારીઓને ત્યાં સીજીએસટીની ટીમે શરૂ કરેલી તપાસ સતત બીજા દિવસે પણ ચાલુ રહી હતી. જેમાં તપાસ દરમિયાન 200 મોબાઈલ અને એસેસરિઝ કબજે કરવામાં આવ્યા છે.જેની અંદાજિત કિંમત રૂ. […]

મોરબીમાં 41,750 બાળકોને વેક્સિન આપવામાં આવશે

મોરબીનું તંત્ર છે તૈયાર બાળકોને કોરોનાથી બચાવવાની તૈયારી 40 હજારથી વધારે બાળકોને મળશે વેક્સિન મોરબી: દેશમાં ઓમિક્રોન વેરિયન્ટ ચિંતાનો વિષય બન્યો છે. કેસમાં સતત વધારો થઈ રહ્યો છે તો રસીકરણ પ્રક્રિયા પણ પૂરજોશમાં ચાલી રહી છે. આવામાં 15થી 18 વર્ષના બાળકોના રસીકરણને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. આગામી ત્રીજી જાન્યુઆરીથી 15થી 18 વર્ષના બાળકો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code