1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. મંદીને લીધે મોરબીમાં વોલ ટાઈલ્સ સિવાય તમામ સિરામિક યુનિટ્સ મહિના સુધી બંધ રહેશે
મંદીને લીધે મોરબીમાં વોલ ટાઈલ્સ સિવાય તમામ સિરામિક યુનિટ્સ મહિના સુધી બંધ રહેશે

મંદીને લીધે મોરબીમાં વોલ ટાઈલ્સ સિવાય તમામ સિરામિક યુનિટ્સ મહિના સુધી બંધ રહેશે

0
Social Share

અમદાવાદઃ મોરબીના સિરામિક ઉદ્યોગને મંદીનું ગ્રહણ લાગતા સમગ્ર ઉદ્યોગમાં ઉત્પાદન એક મહિના સુધી બંધ કરવા માટેનો કઠિન નિર્ણય લેવામાં આવ્યો છે. 10 મી ઓગસ્ટથી મોરબીના વોલ ટાઇલ્સ સિવાયના તમામ યુનિટો બંધ કરવામાં આવશે, તેમ સિરામિક ઍસોસિયેશનના સૂત્રોએ સત્તાવાર રીતે જણાવ્યું હતું.

ગુજરાતમાં સિરામિકના ઉદ્યોગને પણ મંદીનું ગ્રહણ લાગ્યુ છે. જેમાં સીએનજી ગેસમાં તોતિંગ વધારાથી ઉદ્યોગની હાલત વધુ કફોડી બની છે. જેમાં ચીનની સ્પર્ધામાં ટકી રહેવું હવે મુશ્કેલ બન્યુ છે. હવે એમાં ય કાચા માલના ભાવમાં પણ વધારો થઇ રહ્યો હોવાથી ઉદ્યોગને ફટકો પડ્યો છે. ગેસના ભાવ બમણાં થયા એ જ રીતે કાચા માલના ભાવ પણ બમણાં થઇ ચૂક્યાં છે. તેથી ઉત્પાદન પડતર ઊંચે જતી રહી છે. બીજી તરફ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય માગ તળિયે બેસી જતા ઉદ્યોગકારો ઉદાસ છે. સરકાર દ્વારા પણ કોઇ પગલાં ગેસના ભાવ મુદ્દે લેવામાં આવતા નહીં હોવાથી હવે ઉદ્યોગના આશરે 500 કરતા વધારે યુનિટો એક મહિના માટે બંધ રાખવાનો એસોએ નિર્ણય કર્યો છે. હાલમાં 50 થી વધુ જેટલા સિરામિક એકમો બંધ છે ત્યારે આગામી 10 ઓગસ્ટથી વિટરીફાઇડ, પાર્કિંગ અને પોર્સલિન ટાઇલ્સનું ઉત્પાદન કરતા 400થી વધુ એકમો બંધ કરવામાં આવશે સાથો – સાથ ફ્લોર ટાઇલ્સના પણ 150 જેટલા એકમો બંધ કરવા તૈયારી શરૂ કરવામાં આવી છે.

એસો.ના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, વોલ ટાઇલ્સના એકમો બંધ રહેવાના નથી પણ’ ક્લસ્ટર હેઠળ આવેલા વોલ ટાઇલ્સ એકમો પણ એક મહિનામાં માટે બંધ કરવા અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. એક સાથે 80 ટકાથી 90 ટકા સિરામિક કારખાનાઓ બંધ થવાથી શ્રમિકોને રોજગારી ઉપરાંત ટ્રાન્સપોર્ટ સહિતના અન્ય ધંધાઓને પણ મરણતોલ ફટકો પડવાની સાથે ગુજરાત ગેસ કંપનીને પણ જોરદાર ફટકો પડશે તેમ માનવામાં આવે છે.

એસો.ના સૂત્રોએ ઉમેર્યું હતું કે, હવેથી દર વર્ષે સિરામિક ઉદ્યોગ એક મહિના માટે શટડાઉન રાખવું પડે તેમ છે. એ માટે વિચારણા ચાલી રહી છે અને શટડાઉન બાદ ટાઇલ્સ સહિતની સિરામિક પ્રોડક્ટના ભાવમાં વધારો કરવા પણ નિર્ણય લેવામાં આવે તેવા સંકેતો તેમણે આપ્યા હતા. 500-550 જેટલા સીરામીક યુનિટ બંધ થતાં આશરે 1 લાખ થી વધુ મજૂરોની રોજગારી પર અસર પડશે. ઉદ્યોગ સાથે સંકળાયેલા નાના મોટા ધંધાઓ તેમજ વેપારીઓ સહિત ની રોજગારી ને પણ અસર કરશે ત્યારે સરકારે ઉદ્યોગને પડી ભાંગતો બચાવવા અને વિકાસ માટે મદદરૂપ થવું જરૂરી બન્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code