1. Home
  2. Tag "Narendra Modi"

નરેન્દ્ર મોદીના શપથવિધિ સમારોહમાં આઠ હજાર મહેમાન રહેશે ઉપસ્થિત

માલદીવના રાષ્ટ્રપતિ દિલ્હી પહોંચ્યાં નરેન્દ્ર મોદી આજે સતત ત્રીજીવાર વડાપ્રધાન પદના લેશે શપથ…. માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝ્ઝુ અને મોરીશસના પીએમ પ્રવિંદકુમાર જગન્નાથ પહોંચ્યાં નવી દિલ્હી….. શપથવિધી સમારોહમાં આઠ હજાર મહેમાનો રહેશે હાજર નરેન્દ્ર મોદીના શપથવિધિ સમારોહમાં 7 દેશના મહાનુભાવોની સાથે આઠ હજાર મહેમાન રહેશે ઉપસ્થિત…. ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવવામાં આવી…. નવી સરકારના મંત્રીમંડળની કવાયત તેજ […]

નરેન્દ્ર મોદી આજે ત્રીજી વખત પ્રધાનમંત્રી પદના શપથ લેશે

દેશમાં સતત ત્રીજી વખત એનડીએ સરકાર બનવા જઈ રહી છે. NDA સંસદીય દળના નેતા નરેન્દ્ર મોદી ત્રીજી વખત પ્રધાનમંત્રી તરીકે શપથ લેશે. કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓ પણ આજે જ શપથ લેશે. મોદી સરકારમાં ઘણા નવા ચહેરાઓને કેબિનેટમાં સ્થાન મળશે 3.O. સમારોહમાં 8 હજારથી વધુ મહાનુભાવો હાજરી આપે તેવી અપેક્ષા છે. સમારોહમાં 8 હજારથી વધુ મહાનુભાવો […]

નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા શેખ હસીના દિલ્હી પહોંચ્યા

નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદી ત્રીજી વખત પ્રધાનમંત્રી તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. તેઓ રવિવારે 9 જૂને સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં તેમના મંત્રીમંડળ સાથે શપથ લેશે. બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા શનિવારે નવી દિલ્હી પહોંચ્યા હતા. આ સિવાય પ્રધાનમંત્રી શેખ હસીના રવિવારે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા […]

ઈન્ડી ગઠબંધને નીતિશ કુમરને વડાપ્રધાન પદની ઓફર કરી હતીઃ જેડીયુનો દાવો

નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં NDA સરકાર બનવા જઈ રહી છે. જેડીયુએ પણ આમાં સમર્થન આપ્યું છે. દરમિયાન જેડીયુના રાષ્ટ્રીય પ્રવક્તા કેસી ત્યાગીએ શનિવારે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે ‘ઈન્ડી ગઠબંધન દ્વારા સીએમ નીતિશ કુમારને વડાપ્રધાન પદની ઓફર કરવામાં આવી હતી. નીતિશ કુમારે સ્પષ્ટ કર્યું છે કે તેઓ ભાજપ અને એનડીએ સાથે જ […]

રામલલાના આર્શિવાદથી જ નરેન્દ્ર મોદી ત્રીજીવાર વડાપ્રધાન બની રહ્યાં છેઃ હિમંતા બિસ્વા સરમા

અયોધ્યાઃ અયોધ્યામાં ભાજપની હાર પર આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ પોતાની પ્રતિક્રિયા આપી છે. હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે, દેશમાં 543 સીટો છે. ક્યાં જીતીશું, ક્યાંક હારીશું. પરંતુ નરેન્દ્ર મોદી પીએમ બની રહ્યા છે. તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદી ત્રીજી વખત પીએમ બની રહ્યા છે. તેઓ ચોથી વખત પણ પીએમ બનશે. હિમંતા બિસ્વા શર્મા શનિવારે ભગવાન […]

નરેન્દ્ર મોદી રવિવારે પીએમ પદના શપથ ગ્રહણ કરશે, સાત દેશના મહાનુભાવો રહેશે હાજર

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીમાં જીત બાદ NDA સતત ત્રીજી વખત કેન્દ્રમાં સરકાર બનાવવા જઈ રહી છે. NDA સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા બાદ નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને મળીને સરકાર બનવાનો દાવો રજૂ કર્યો હતો.  NDA નેતા નરેન્દ્ર મોદી ફરી એકવાર 9 જૂને પ્રધાનમંત્રી પદના શપથ લેશે. સાંજે 7.15 કલાકે શપથગ્રહણ સમારોહ યોજાશે. જેની તૈયારીને […]

નરેન્દ્ર મોદી રવિવારે સતત ત્રીજી વાર વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કરશે, વિદેશી મહેમાનો પણ રહેશે ઉપસ્થિત

નવી દિલ્હીઃ ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદી રવિવારે ત્રીજી વખત પ્રધાનમંત્રી તરીકે શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહ સાંજે 6 વાગ્યે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાશે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ શુક્રવારે નવી દિલ્હીમાં NDA સંસદીય દળની બેઠક દરમિયાન આ માહિતી આપી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનરેન્દ્ર મોદી અને તેમના નવા મંત્રીમંડળને શપથ લેવડાવશે. દરમિયાન શુક્રવારે અનેક રાઉન્ડની બેઠકો બાદ […]

પ્રિયંકા ગાંધીએ NEETના પરિણામોમાં ગેરરીતિઓની તપાસની માંગ કરી

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ NEET મેડિકલ પ્રવેશ પરીક્ષાને લઈને મોદી સરકારની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે ઘણા ઉમેદવારોએ ફરિયાદ કરી છે, આ ફરિયાદોની તપાસ થવી જોઈએ. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓને NEET પરીક્ષાના પરિણામોમાં છેડછાડ સાથે જોડાયેલા પ્રશ્નોના જવાબ જોઈએ છે? નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) નું પરિણામ રિલીઝ થયું ત્યારથી જ […]

નરેન્દ્ર મોદીએ સંવિધાનને માથે લગાવ્યું, એક દાયકા પહેલાના સંસદભવનના દ્રશ્યો થયાં તાજા

નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતા નરેન્દ્ર મોદીને શુક્રવારે એનડીએની સંસદીય દળની બેઠકમાં પોતાના નેતા જાહેર કર્યાં હતા. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના સંવિધાનને પોતાના માથે લગાવ્યું હતું. જે બાદ સર્વાસહમતીથી એનડીએના નેતા પદે તેમની પસંદગી કરવામાં આવી હતી. એટલું જ નહીં એનડીએના નેતાઓ રાષ્ટ્રપતિજીને મળ્યાં હતા અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો […]

NDA એ સુશાસનનો પર્યાય : નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ તમામ જોડાણના ભાગીદારોએ સર્વસંમતિથી ભાજપની આગેવાની હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધનના નેતા નરેન્દ્ર મોદીને સમર્થન આપતો ઠરાવ પસાર કર્યા પછી, પ્રધાનમંત્રીએ કહ્યું કે NDA સરકાર સુશાસન પ્રદાન કરશે અને તેમને ફરીથી સેવા કરવાની તક આપવા બદલ લોકોનો આભાર માન્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઔપચારિક રીતે ભાજપના નેતા, NDA સંસદીય દળના નેતા અને લોકસભાના નેતા તરીકે ચૂંટાયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code