1. Home
  2. Tag "Narendra Modi"

વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપની નહીં પરંતુ નરેન્દ્ર મોદીની જીતઃ કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી

નવી દિલ્હીઃ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. વિધાનસભાના ચૂંટણી પ્રચારમાં પીએમ મોદીએ અનેક જનસભા અને રેલીઓને સંબોધિત કરી હતી. તેમજ તેમના નામે જ પાંચેય રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી ભાજપા દ્વારા લડવામાં આવી હતી. હવે કોંગ્રેસના નેતાઓ પણ સ્વિકારી રહ્યાં છે ત્રણેય રાજ્યોમાં ભાજપની જીત પીએમ મોદી નામે થઈ છે. દરમિયાન […]

ભારત અને શ્રીલંકા સંસ્કૃતિ, વાણિજ્ય અને સભ્યતાનો ઊંડો ઈતિહાસ ધરાવે છે: નરેન્દ્ર મોદી

બેંગ્લોરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમિલનાડુના નાગાપટ્ટિનમ અને શ્રીલંકાના કંકેસંથુરાઈ વચ્ચે ફેરી સર્વિસના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ નાગાપટ્ટિનમ અને કંકેસંતુરાઈ વચ્ચે ફેરી સર્વિસની શરૂઆતને ભારત-શ્રીલંકા સંબંધોને મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ગણાવ્યું હતું. ભારત-શ્રીલંકા સંબંધો પર તેમણે કહ્યું, ‘ભારત અને શ્રીલંકા સંસ્કૃતિ, વાણિજ્ય અને સભ્યતાનો ઊંડો ઈતિહાસ ધરાવે છે. અમે […]

વલ્લાલરના ઉપદેશોનો ઉદ્દેશ સમાન સમાજ માટે કામ કરવાનો છે: નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામલિંગા સ્વામીની 200મી જન્મજયંતીનાં પ્રસંગે સંબોધન કર્યું હતું, જેઓ વલ્લાલર તરીકે પણ ઓળખાય છે. અહિં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ એ બાબતે ખુશી વ્યક્ત કરી હતી કે, આ કાર્યક્રમ વડલાલાર સાથે ગાઢ રીતે સંકળાયેલું સ્થળ વડલુરમાં યોજાઈ રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, વલ્લાલર ભારતનાં સૌથી આદરણીય સંતોમાંનાં એક છે, જેમણે 19મી સદીમાં પૃથ્વી પર ભ્રમણ કર્યું […]

G20ની સફળતા બાદ હવે વિદેશીઓ પણ નરેન્દ્ર મોદી ઉપર PHD કરશેઃ પાકિસ્તાની રાજકીય તજજ્ઞ

નવી દિલ્હીઃ ભારતે જે રીતે જી20નું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું અને જે રીતે નવી દિલ્હી ઘોષણાપત્રને તમામ સભ્ય દેશો પાસે મંજુરી અપાવી છે તે જોઈને દુનિયાના તમામ દેશો ભારતની કુટનીતિની ચર્ચા કરી રહ્યાં છે. જેમાં ભારતના પડોશી દેશ પાકિસ્તાનનો પણ સમાવેશ થાય છે. હંમેશા વિવિધ મંચ ઉપર ભારત વિરુદ્ધ ઝેર ઓકતુ પાકિસ્તાન હાલ આર્થિક મુશ્કેલીમાંથી […]

રાષ્ટ્રપતિજીને ‘પ્રેસિડેન્ટ ઓફ ભારત’ બાદ નરેન્દ્ર મોદીને ‘પ્રાઈમ મિનિસ્ટર ઓફ ભારત’ તરીકે સંબોધિત કરાયાં

નવી દિલ્હીઃ જી20 ડિનરના આયોજનની આમંત્રણ પત્રિકામાં પ્રેસિડેન્ટ ઓફ ઈન્ડિયાને બદલે પ્રેસિડેન્ટ ઓફ ભારત લખવામાં આવ્યાનો વિપક્ષે દાવો કરીને ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. આ વિવાદ હજુ શાંત પડ્યો નથી ત્યાં ભાજપાના પ્રવક્તા સંબિત પાત્રાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રાઈમ મિનિસ્ટર ઓફ ભારત તરીકે સંબોધિત કર્યાં છે. સંબિત પાત્રાએ પીએમ મોદીના ઈન્ડોનેશિયા યાત્રાના સંબંધમાં સત્તાવાર […]

પ્રિયંકા ગાંધી વારાણસીથી ચૂંટણી લડશે તો નરેન્દ્ર મોદીને પરત ગુજરાત જવુ પડશેઃ કોંગ્રેસ નેતા રાશિદ અલ્વી

નવી દિલ્હીઃ દેશમાં આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે જેને લઈને અત્યારથી જ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાહુલ ગાંધી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની પરંપરાગત અમેઠી બેઠક ઉપર જ ચૂંટણી લડશે તેવી ઉત્તરપ્રદેશ કોંગ્રેસના પ્રદેશ પ્રમુકની જાહેરાત બાદ હવે કોંગ્રેસના અન્ય એક નેતાએ ચોંકાવનારા દાવો કર્યો છે. કોંગ્રેસના સિનિયર નેતા રાશિદ અલ્વીએ જણાવ્યું હતું […]

પ્રિય નરેન્દ્ર મોદીનું પેરિસમાં હાર્દિક સ્વાગત છે! ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને પીએમ મોદી માટે હિન્દીમાં કર્યું ટ્વિટ

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ફ્રાંસના પ્રવાસે છે ત્યારે મેક્રોને હિન્દીમાં એક ટ્વિટ કર્યું હતું.તેમણે ટ્વીટ કરીને લખ્યું, ‘ભારત અને ફ્રાન્સ 25 વર્ષની વ્યૂહાત્મક ભાગીદારી,વિશ્વાસ અને મિત્રતાના સદા મજબૂત બંધનની ઉજવણી કરી રહ્યું છે, પ્રિય નરેન્દ્ર મોદીનું પેરિસમાં હાર્દિક સ્વાગત છે! રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને પીએમ મોદીને આમંત્રણ આપ્યું હતું. આ પરેડમાં ભારતની ત્રણેય […]

લેસોથોના રાજદૂતે કહ્યું- નરેન્દ્ર મોદી સમગ્ર વિશ્વના વડાપ્રધાન,કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં ભારતનું યોગદાન પ્રશંસનીય

દિલ્હી:  લેસોથોના હાઈ કમિશનના રાજદ્વારી થબાંગ લિનુસ ખોલુમોએ ગુરુવારે જણાવ્યું હતું કે ભારત તેની ટેક્નોલોજીને પ્રોત્સાહન આપી રહ્યું છે અને કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં મોટો ફાળો આપી રહ્યું છે. તેઓ ભારતની રાજધાની દિલ્હીમાં બોઈલર એક્સ્પો 2023 ના અવસર પર બોલી રહ્યા હતા. ખોલુમોએ કહ્યું, “હું ખરેખર પ્રભાવિત છું કારણ કે ભારત તેની ટેક્નોલોજી અને તેના લોકોને […]

નરેન્દ્ર મોદી 72 વર્ષની ઉંમરે પણ ફિટ,યોગથી કરે છે દિવસની શરૂઆત,જાણો ડાયટ પ્લાન

દિલ્હી : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 72 વર્ષના છે. આ ઉંમરે પણ તેની એનર્જી અને ફિટનેસ દરેક માટે પ્રેરણારૂપ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પણ જાહેર મંચ પર હોય ત્યારે તેમની ઉર્જા અને ઉત્સાહ જોઈને એ કહેવું મુશ્કેલ છે કે તેઓ 70 વર્ષથી વધુ ઉંમરના છે. પોતાની જાતને સ્વસ્થ રાખવા માટે નરેન્દ્ર મોદી ખોરાકનું ખાસ […]

સ્કૂલોમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા 20 વર્ષમાં 81358 શૌચાલયોનું નિર્માણ કરાયું

અમદાવાદઃ રાજ્યનો સાક્ષરતા દર વધે અને શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાઓના અભાવે શાળા છોડી જતી કન્યાઓની સંખ્યા ઘટે તેવા ઉમદા આશયથી દેશના વર્તમાન વડાપ્રધાન અને રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શાળાઓમાં સ્વચ્છતા સુવિધા પર ભાર મૂકવામાં આવ્યો હતો. જે અંતર્ગત છેલ્લાં ૨૦ વર્ષમાં સરકારી શાળાઓમાં ૮૧,૩૫૮ શૌચાલયોનું નિર્માણ કરવામાં આવ્યું છે. જ્યારે અત્યાર સુધીમાં સરકારી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code