1. Home
  2. Tag "News Article"

FIDE વર્લ્ડ કપ 2025 માં ભારતીય ખેલાડી કાર્તિક વેંકટરામન પહોંચ્યો ચોથા રાઉન્ડમાં

નવી દિલ્હીઃ કાર્તિક વેંકટરામન FIDE વર્લ્ડ કપ 2025 ના ચોથા રાઉન્ડમાં પહોંચી ગયો છે. રવિવારે કાળા પીસ સાથે રમાયેલી ટાઈબ્રેકરની બીજી ગેમમાં તેણે ડેનિયલ ડેકને હરાવ્યો. વેંકટરામને 43 ચાલમાં જીત મેળવી. વિજય પછી, વેંકટરામને કહ્યું, “ડેક સામેની ક્લાસિક ગેમ બહુ સારી નહોતી, પરંતુ હું કોઈક રીતે બચાવ કરવામાં સફળ રહ્યો. મેં બંને રેપિડ ગેમમાં સારું […]

મલેશિયા-થાઇલેન્ડ સરહદ પર સ્થળાંતર કરનારાઓનું જહાજ દરિયામાં ડુબ્યું, અનેક વ્યક્તિઓ લાપતા

મલેશિયન દરિયાઈ સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે થાઇલેન્ડ-મલેશિયા સરહદ નજીક એક બોટ ડૂબી જવાથી સેંકડો લોકો ગુમ થયા હતા, જેમાં 10 બચી ગયેલા લોકો અને એક મૃતદેહ મળી આવ્યો હતો. મલેશિયાના બુથિડાંગથી લગભગ 300 લોકો સાથે નીકળેલા જહાજના ડૂબવાના લગભગ ત્રણ દિવસ પછી પણ વધુ પીડિતો સમુદ્રમાં મળી શકે છે, એમ ઉત્તરીય મલેશિયન રાજ્યો કેદાહ અને […]

અમેરિકામાં શટડાઉનને પગલે 10 હજારથી વધારે ફ્લાઈટસને અસર, પ્રવાસીઓની મુશ્કેલીઓ વધી

અમેરિકા સરકારનું શટડાઉન 40મા દિવસે પ્રવેશ્યું છે. આના કારણે દેશભરમાં 2000થી વધુ ફ્લાઇટ્સ રદ થઈ છે અને 8000થી વધુ ફ્લાઇટ્સ વિલંબિત થઈ છે. આ ડેટા ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ ફ્લાઇટઅવેર પર આધારિત છે. સમાચાર એજન્સી શિન્હુઆ અનુસાર, યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એવિએશન દ્વારા શુક્રવારે ફ્લાઇટ રિડક્શન પોલિસી લાગુ કરવામાં આવી છે. ફ્લાઇટ રદ કરવાની સંખ્યામાં તીવ્ર વધારો થયો […]

હરિયાણામાં જમ્મુ-કાશ્મીર પોલીસના દરોડા, તબીબના રૂમમાંથી મળી વિસ્ફોટક સામગ્રી

અમદાવાદઃ જમ્મુ-કાશ્મીરમાં તબીબના લોકરમાંથી હથિયાર મળવાની ઘટના બાદ ગુજરાતમાં આઈએસઆઈએસના મોડ્યુઅલનો પર્દાફાશ કરીને પોલીસે 3 આતંકવાદીઓને ઝડપી લીધા હતા. દરમિયાન સુરક્ષાદળોએ હરિયાણાના ફરીદાબાદમાં એક તબીબના ઘરે દરોડો પાડીને મોટી માત્રામાં વિસ્ફોટકો જપ્ત કર્યાં હતા. આ કાર્યવાહી જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં એક રૂમમાંથી 14 બેગ, 2 ઓટોમેટિક પિસ્ટલ, 82 કારતુસ, પાંચ લીટર […]

વિવેકાનંદ કેન્દ્ર, કન્યાકુમારી, કર્ણાવતી વિભાગના બોપલ કાર્યસ્થાનમાં ‘અમૃત પરીવાર સંકુલ મિલન’ યોજાયું

અમદાવાદ: વિવેકાનંદ કેન્દ્ર, કન્યાકુમારીના કર્ણાવતી વિભાગના બોપલ કાર્યસ્થાન દ્વારા શ્રી વિપિનચંદ્ર પી. સુથારના નિવાસસ્થાને, શ્રી વ્રજરાજ સોસાયટી, ગાલા જિમખાના રોડ, બોપલ ખાતે પારિવારિક વાતાવરણમાં અમૃત પરીવાર સંકુલ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 25 સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના સાથે થઈ હતી. ત્યારબાદ પારિવારિક રમતો, ભજન અને “અમૃત પરીવાર” વિષય પર ચર્ચા […]

ચીનનો ખતરનાક પ્લાન: 5 વર્ષમાં 50થી વધુ મિસાઇલ ફેક્ટરીઓ ધમધમતી કરી

ચીન છેલ્લા પાંચ વર્ષથી ઝડપથી મિસાઇલ ઉત્પાદન વધારવાના મિશનમાં લાગી ગયું છે. અમેરિકી સમાચાર ચેનલ  દ્વારા બહાર પાડવામાં આવેલી સેટેલાઇટ તસવીરો અને રિપોર્ટ મુજબ, ચીને અત્યાર સુધીમાં આશરે 50 નવી મિસાઇલ ફેક્ટરીઓ શરૂ કરી છે. તેમાંની બે ફેક્ટરીઓ ભારત-ચીન સરહદની નજીક સ્થિત છે, જે ભારત માટે ચિંતા વધારનારી બાબત છે. રિપોર્ટ મુજબ, ચીનમાં સૌથી વધુ […]

UN ઇમિશન ગેપ રિપોર્ટ 2025માં ખુલાસો : પેરિસ કરારનું 1.5 ડિગ્રીનું લક્ષ્ય હવે લગભગ અશક્ય

સંયુક્ત રાષ્ટ્ર (UN) દ્વારા પ્રકાશિત નવી ઇમિશન ગેપ રિપોર્ટ 2025 એ વૈશ્વિક તાપમાન નિયંત્રણ અંગે ગંભીર ચેતવણી આપી છે. રિપોર્ટ મુજબ, પેરિસ હવામાન કરાર હેઠળ નક્કી કરાયેલ લક્ષ્ય પૃથ્વીનું તાપમાન 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી મર્યાદિત રાખવું હવે લગભગ અશક્ય બની ગયું છે. રિપોર્ટ અનુસાર, જો બધા દેશો હાલની હવામાન નીતિઓ અને વચનો (NDCs) સંપૂર્ણ રીતે […]

પલાળેલી બદામના અદ્ભુત ફાયદા: એક મહિના સુધી અપનાવશો તો શરીર અને મગજમાં આવશે ફેરફાર

પૌષ્ટિક તત્ત્વોથી ભરપૂર બદામને “સુપરફૂડ” તરીકે ઓળખવામાં આવે છે. તેમાં વિટામિન ઈ, ફાઇબર, પ્રોટીન, હેલ્ધી ફેટ્સ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, ઝીંક અને આયર્ન જેવા અનેક પોષક તત્ત્વો હોય છે, જે હૃદયના સ્વાસ્થ્યથી લઈને ત્વચા સુધી માટે લાભકારી છે. પરંતુ નિષ્ણાતો કહે છે કે જો બદામને આખી રાત પલાળીને સવારે ખાવામાં આવે, તો તેના આરોગ્યલાભ અનેકગણા વધી જાય […]

પેટની ચરબી ઘટાડવા માટે અપનાવો આ ઘરેલું નુસખો, આ પીણુ આરોગ્ય માટે પણ ફાયદાકારક

આજના સમયમાં મોટાભાગના લોકો પેટની વધતી ચરબીથી પરેશાન છે. ઘણા લોકો સફરજનની છાલ, ગ્રીન ટી અથવા લીંબુ પાણી જેવા લોકપ્રિય નુસખા અજમાવતા હોય છે, છતાં પણ ખાસ ફરક દેખાતો નથી. પરંતુ હવે એક ઘરેલું મિશ્રણ સોશિયલ મીડિયા અને હેલ્થ સર્કલમાં ચર્ચાનું કારણ બન્યું છે, જે પેટની ચરબી ઘટાડવા માટે અસરકારક માનવામાં આવે છે. હેલ્થ એક્સપર્ટ્સના […]

ગંભીર બીમારીઓથી બચવા રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવવી જરૂરીઃ રાજ્યપાલ

રાજ્યપાલઆચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ચિકિત્સા દિવસ પર્વનો શુભારંભ કરાવ્યો, 685લોકો દ્વારા સામૂહિક ધૂપ સ્નાન, ફેસ મડ પેક,  વૃક્ષાસનને IEA બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન 18નવેમ્બર સુધી દેશભરમાં યોગ અને પ્રાકૃતિક ચિકિત્સાના કાર્યક્રમો  થકી કરાશે પ્રાકૃતિક ચિકિત્સા દિવસની ઉજવણી ગાંધીનગરઃગુજરાત અને મહારાષ્ટ્રના રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ અમદાવાદમાં નેચરોપેથી -પ્રાકૃતિક ચિકિત્સા દિવસ પર્વનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે રાજ્યપાલએ ‘નેચરોપથી ડે’ અને ‘પ્રાકૃતિક ચિકિત્સા દિવસ પર્વ’ના કટ આઉટનું અનાવરણ કર્યું હતું. પ્રાકૃતિક ચિકિત્સા દિવસ પર્વની ઉજવણી અંતર્ગત સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સવારે 685  લોકોએ એકસાથે વૃક્ષાસન કરી, ચેહરા પર ફેસ મડ પેક કરીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code