1. Home
  2. Tag "News Article"

રાજકોટમાં R&Bના અધિકારી 50.000ની લાંચ લેતા પકડાયા, ત્રણ સામે ACBએ ફરિયાદ નોંધી

રાઇડ્સ સંચાલકને ફિટનેસ સર્ટિફિકેટ આપવા માટે રૂપિયા એક લાખની લાંચ માંગી હતી, રકઝકના અંતે 50 હજારની લાંચ લેવાનું નક્કી કર્યુ હતુ, લાંચના છટકામાં અધિકારી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા રાજકોટઃ ગુજરાતમાં લાંચ માગવાના બનાવો વધતા જાય છે. કેટલાક લોકો ફરિયાદ કરવાનું ટાળીને લાંચ આપી દેતા હોય છે. જ્યારે કેટલાક લોકો લાંચ આપવા માગતા ન હોય […]

વાઘોડિયામાં સ્ટ્રીટ લાઈટ રિપેર કરતા 3 કર્મચારીઓને કરંટ લાગ્યો, એકનું મોત

વીજ થાભલા પર ચડવા માટેની ઊંચી સીડી હાઈટેન્શન લાઈનના વાયરને અડી ગઈ, બે કર્મચારીઓને વીજ કરન્ટથી ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા, MGVCLની ટીમ ઘટના સ્થળે પહોંચી વીજ પુરવઠો બંધ કર્યો, વડોદરાઃ શહેરના વાઘોડિયામાં સ્ટ્રીટ લાઈટ રિપેર કરવાની કામગીરી દરમિયાન થાભલા પર ચડવા માટેની ઊંચી સીડી 11 કેવીની હાઈ-ટેન્શન લાઈનને અડી જતા ત્રણ વીજકર્મીઓને વીજ […]

સુરતમાં નબીરાઓએ રાતે લકઝરી કારોમાં રેસ લગાવીને આતશબાજી કરી, 4ની ધરપકડ

કારના સમરૂફમાંથી બહાર નીકળીને આતશબાજી કરી, પોલીસે ચાર મોંઘી કારો પણ જપ્ત કરી, વીડિયો વાઇરલ થતાં પોલીસે ત્વરિત કાર્યવાહી કરી સુરતઃ શહેરના અડાજણ વિસ્તારમાં રાતના સમયે નબીરાઓએ બે ઓડી, એક રેન્જરોવર અને એક સ્કોડા કાર લઈને રેસ લગાવી હતી.  એક યુવકે કારના સનરૂફ ખોલીને ચાલુ કારે જાહેર રસ્તા પર ફટાકડા ફોડી આતશબાજી કરી હતી. અને […]

ગુજરાતમાં આજે બપોર સુધીમાં 158 તાલુકામાં પડ્યો કમોસમી વરસાદ, મહુવામાં 3.19 ઈંચ

દરિયાકાંઠા વિસ્તારમાં બે દિવસ વાવાઝાડાની શક્યતા, માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના, સૌરાષ્ટ્રના બંદરો પર ત્રણ નંબરના સિગ્નલ લગાવાયા અમદાવાદઃ ગુજરાતમાં કારતક મહિનામાં અષાઢી માહોલ સર્જાયો છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશનના કારણે  સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો છે. આજે ગુરૂવારે બપોર સુધીમાં 158 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં ભાવનગરના મહુવામાં 3.19 ઈંચ, ભરૂચના […]

વેસ્ટ બેંકની ઈઝરાયલે કરી કિલ્લેબંધી, એક હજાર જેટલા બેરિયર ઉભા કર્યાં

હમાસ સાથેના યુદ્ધની શરૂઆત બાદ ઈઝરાયલે વેસ્ટ બેંકના શહેરો અને ગામોમાં આશરે એક હજાર જેટલા અવરોધકો (બેરિયર) ઉભા કર્યા છે, જેના કારણે ફલસ્તીની નાગરિકોનું દૈનિક જીવન અને અવરજવર અત્યંત મુશ્કેલ બની ગઈ છે. તેમ ફલસ્તીની સરકારી સંસ્થા “વોલ એન્ડ સેટલમેન્ટ રેઝિસ્ટન્સ કમિશન”એ જણાવ્યું હતું. આ કમિશનના જણાવ્યા મુજબ, 7 ઑક્ટોબર 2023 ના રોજ હમાસના નેતૃત્વ […]

પાકિસ્તાનની સરહદ પાસે ભારતનો સૌથી મોટા સંયુક્ત સૈન્ય અભ્યાસ ‘ત્રિશૂલ’ની શરૂઆત

નવી દિલ્હી: ભારતે આજે ગુરુવારથી પાકિસ્તાનની સરહદની નજીક તેના અત્યાર સુધીના સૌથી મોટા સંયુક્ત સૈન્ય અભ્યાસ ‘ત્રિશૂલ’ ની શરૂઆત કરી છે. આ ટ્રાઈ-સર્વિસ (આર્મી, નૌસેના અને વાયુસેના) અભ્યાસ 10 નવેમ્બર સુધી ચાલશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 3 નવેમ્બરથી આ અભ્યાસ તેની વાસ્તવિક ગતિ પકડશે. આ ‘ઓપરેશન સિંદૂર’ પછીનો ભારતનો પ્રથમ મોટો સૈન્ય અભ્યાસ છે. ત્રિશૂલ અભ્યાસનો […]

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી સંબંધોના આરોપસર બે શિક્ષકોને બરતરફ કરાયાં

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ આતંકવાદીઓ સાથેના સંભવિત સંબંધોના આરોપોને આધારે રાજ્યના શિક્ષણ વિભાગના બે કર્મચારીઓને બરતરફ કરી દીધા છે. બરતરફ કરાયેલા બંનેની ઓળખ ગુલામ હુસૈન અને માજિદ ઇકબાલ ડાર તરીકે થઈ છે. બંને શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા હતા. દરમિયાન પીડીપી અધ્યક્ષ અને પૂર્વ મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તીએ આ નિર્ણયની ટીકા કરતાં […]

શ્રેયસ અય્યરની તબિયતમાં સુધારો, સોશિયલ મીડિયા મારફતે શુભેચ્છકોનો માન્યો આભાર

ભારતીય વનડે ટીમના વાઈસ કેપ્ટન શ્રેયસ અય્યરે ઈજામાંથી સ્વસ્થ થવા દરમિયાન તેના શુભેચ્છકોના સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો છે. ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વનડે દરમિયાન કેચ લેવાનો પ્રયાસ કરતી વખતે ઐયરને ગંભીર ઈજા થઈ હતી. જ્યારે શ્રેયસ અય્યરે ફિટનેસ અપડેટ આપ્યું છે. શ્રેયસ અય્યરે ગુરુવારે (30 ઓક્ટોબર) તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ‘X’ પર એક પોસ્ટમાં લખ્યું […]

મધ્યપ્રદેશ: પીથમપુરમાં નિર્માણાધીન રેલ્વે પુલ પરથી વાહનો પર ક્રેન પડી, 2 લોકોના મોત

નવી દિલ્હી: મધ્યપ્રદેશના ધાર જિલ્લાના પીથમપુર ઔદ્યોગિક વિસ્તારમાં એક મોટી દુર્ઘટના બની. પીથમપુર સેક્ટર 3 માં નિર્માણાધીન સાગૌર રેલ્વે પુલ પર કામ કરતી ક્રેન અચાનક પલટી ગઈ. એક ટાટા મેજિક અને એક પિકઅપ ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી, જેમાં બે લોકોના મોત થયા હતા. બે ક્રેન પીથમપુર સેક્ટર 3 માં સ્થિત નિર્માણાધીન સાગૌર રેલ્વે બ્રિજના […]

નાગપુરમાં ખેડૂત આંદોલનના કારણે 30 કિમી લાંબો ટ્રાફિક જામ, CM ફડણવીસ સાથે મુલાકાત

મુંબઈ: નાગપુરમાં ખેડૂતોના વિરોધ પ્રદર્શનને કારણે નાગપુર-વર્ધા હાઇવે પર 30 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો છે. બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચના આદેશ અને સરકાર દ્વારા મોકલવામાં આવેલા બે મંત્રીઓ સાથેની ચર્ચા બાદ, આંદોલનકારીઓ મુંબઈ આવીને મુખ્યમંત્રી સાથે ચર્ચા કરવા સંમત થયા છે. પરંતુ તેમનો વિરોધ હાઇવેને બદલે જમીન પર ચાલુ રહેશે. જો ગુરુવારની વાટાઘાટોમાં લોન માફી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code