1. Home
  2. Tag "News Article"

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ જાહેરાતો આપી પણ કાયમી પરીક્ષા નિયામક મળતા નથી

રાજકોટ, 5 ફેબ્રુઆરી 2026:  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને કાયમી પરીક્ષા નિયામક મળતા નથી. યુનિવર્સિટીમાંથી અન્ય કેડરના ભરતી કરીને પરીક્ષા નિયામકપદે નિયુક્તિ કર્યા બાદ કોઈ કારણસર કર્મચારીઓ રાજીનામું આપી દેતા હોય છે. એટલે યુનિવર્સિટીને કાયમી કૂલપતિ મળવાના યોગ મળતા નથી. યુનિવર્સિટી દ્વારા પરીક્ષા નિયામકની ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી હતી. જોકે, તેમાં આ જ યુનિવર્સિટીના એક વહિવટી […]

સુરતમાં મારૂતિ અને હ્યુન્ડાઈના નકલી સ્પેરપાર્ટ્સનું ગોદામ પકડાયું

સુરત, 5 ફેબ્રુઆરી 2026:  શહેરના સરથાણા વિસ્તારમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને સરથાણા પોલીસે રેડ પાડીને મારુતિ સુઝુકી અને હ્યુન્ડાઈ સહિત કંપનીઓના નકલી સ્પેરપાર્ટ્સનું ગોડાઉન ઝડપી પાડ્યું છે. પોલીસે કુલ 18.77 લાખની મત્તાનો મુદ્દામાલ કબજે કરી ત્રણ શખસોની ધરપકડ કરી છે. પોલીસે પૂછતાછ કરતા આરોપીઓ છેલ્લા 8 વર્ષથી કારના નકલી સ્પેરપાર્ટ્સનો વેપાર કરી રહ્યા હતા. સુરત […]

અમદાવાદમાં ચંદ્રનગર BRTS કોરીડોરમાં ગૌવંશ ભરેલી કારનો અકસ્માત

અમદાવાદ, 5 ફેબ્રુઆરી 2026:  શહેરના વાસણા વિસ્તારમાં ચંદ્રનગર બીઆરટીએસ કોરીડોરમાં ગૌવંશ ભરેલી પૂરફાટ ઝડપે આવેલી કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર બીઆરટીએસ  ટ્રેકના દરવાજા, લાઈટના પોલ અને ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માત બાદ કાર ઊભી રહી ગઈ હતી અને એરબેગ ખુલી ગઈ હતી. જેમાં કારમાંથી ત્રણ શખસ ભાગી ગયા હતા જ્યારે એક […]

રિવરફ્રન્ટ પર યોજાયેલા આદિવાસી હસ્તકળા અને આહાર મેળાને મળ્યો સારો પ્રતિસાદ

અમદાવાદ, 5 ફેબ્રુઆરી 2026:  શહેરના સાબરમતી નદીના કિનારે આવેલો આધુનિક રિવરફ્રન્ટ એક અલગ જ ઊર્જાથી ધબકી ઉઠ્યો હતો, જ્યાં કોંક્રીટના જંગલની વચ્ચે, પ્રકૃતિના ખોળે ઉછરેલી આદિવાસી સંસ્કૃતિ અને કલાનો એક અનોખો સંગમ સર્જાયો હતો. તાજેતરમાં આદિજાતિ વિકાસ વિભાગ અંતર્ગત ગુજરાત આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટી (GTRTS) દ્વારા વલ્લભ સદન, રિવરફ્રન્ટ ખાતે તા. ૨૮ જાન્યુઆરીથી ૦૩ […]

અમેરિકાએ ટેરિફ ઘટાડતા હીરા ઉદ્યોગમાં તેજીની શક્યતા, નવા ઓર્ડર મળશે

સુરત, 5 ફેબ્રુઆરી 2026:  અમેરિકાએ ભારતથી થતી નિકાસ પર લાદેલો 50 ટકા ટેરિફ ઘટાડીને 18 ટકા કરતા સુરતના ટેક્સટાઈલ અને હીરા ઉદ્યોગને મોટો ફાયદો થશે. ગુજરાતમાં હીરા ઉદ્યોગ એ અનેક લોકોને રોજગારી આપતો ઉદ્યોગ છે. છેલ્લા ઘણા વખતથી હીરા ઉદ્યોગમાં મંદીનો વ્યાપક દૌર ચાલી રહ્યો છે. જેમાં છેલ્લા 6 મહિનામાં તો હીરાના ઘણાબધા કારખાનાને તાળાં […]

અમદાવાદમાં હવામાન વિભાગની કચેરીમાં તસ્કરો હવા-પ્રદૂષણ માપવાનું યંત્ર ઉઠાવી ગયા

અમદાવાદ, 4 ફેબ્રુઆરી 2026:  શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલી હવામાન વિભાગની કચેરીમાં રાત્રે બારીની ગ્રીલ તોડીને તસ્કરોએ એર ક્વોલોટી મોનીટરીંગ સ્ટેશન પર જઈને મશીન, ચાર્જર સહિતના 4.65 લાખના સામાનની ચોરી કરી છે. ચોરીના આ બનાવની નારણપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.   શહેરના પશ્ચિમ વિસ્તારમાં ચોરીના બનાવ સતત વધુ રહ્યા છે, ત્યારે તસ્કરોએ નારણપુરા વિસ્તારમાં […]

રાજકોટમાં મધરાત બાદ કારમાં આવેલા તસ્કરો 120 કિલો ચાંદીની ચોરી કરી પલાયન

રાજકોટ, 4 ફેબ્રુઆરી 2026:  શહેરના સામાકાંઠા વિસ્તારમાં પેડક રોડ પર ચંપકનગર પાસે આવેલા રણછોડનગર શેરી નંબર-1માં રહેણાંક મકાનમાં ગઈ મધરાત બાદ તસ્કરો ત્રાટક્યા હતા. કાર લઈને ચોરી કરવા આવેલા શખસો એક કરોડથી વધુ કિંમતની 120 કિલો ચાંદીના ઘરેણા ચોરીને પલાયન થઈ ગયા હતા.  ચોરીના બનાવ અંગે જાણ થતા બી ડિવિઝન પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, LCB ઝોન […]

આવકનો દાખલો અને જાતિ સહિતના 18 પ્રમાણપત્રો 1લી એપ્રિલથી ઓનલાઈન મળશે

ગાંધીનગર, 4 ફેબ્રુઆરી 2026:  ગુજરાત સરકારે આજે મહત્વનો નિર્ણય લીધો છે. આજે મળેલી કેબિનેટની બેઠકમાં એવો નિર્ણય લેવાયો છે, કે,  શાળાઓ શરૂ થતાં પહેલા જ 1લી એપ્રિલથી વિદ્યાર્થીઓ અને વાલીઓને આવકનો દાખલો સહિત 18 જેટલા વિવિધ પ્રમાણપત્રો ઓનલાઈન મળશે. જેના કારણે 80 લાખ લોકોને સીધો ફાયદો થશે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું […]

સરકારી સેવામાં કાર્ય પ્રત્યેની વફાદારીથી વેતનની સાથે પ્રતિષ્ઠા પણ મળશે: ઋષિકેશ પટેલ

ગાંધીનગર, 4 ફેબ્રુઆરી 2026:     સરકારી સેવામાં કાર્ય પ્રત્યેની નિષ્ઠા અને વફાદારી રાખવાથી વેતનની સાથે સફળતા તેમજ પ્રતિષ્ઠા પણ મળશે.‌ નોકરીએ માત્ર આર્થિક ઉપાર્જન નથી પણ પૂજા છે. ઊર્જા વિભાગના કર્મયોગીઓ વિવિધ આપત્તિ સમયે જીવના જોખમે ૨૪×૭ કામ કરીને જરૂરિયાતવાળા વિસ્તારમાં ઝડપી વીજળી પુનઃસ્થાપિત કરવાનું ભગીરથ કામ કરે છે જે હંમેશા પ્રસંશનીય છે તેમ, આજે ગાંધીનગર ખાતે […]

ભાવનગર મ્યુનિ.કોર્પોરેશનને એક મહિનામાં પ્રોપર્ટી ટેક્સની 3.17 કરોડની થઈ આવક

ભાવનગર, 4 ફેબ્રુઆરી 2026:  શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા બાકી પ્રોપર્ટી ટેક્સ સામે ઝૂંબેશ ચલાવવામાં આવી હતી. જેમાં બાકીદારો માટે રિબેટ યોજના પણ અમલમાં મુકવામાં આવી હતી. આથી વેરા વસુલાતમાં લોકોનો સારોએવો પ્રતિસાદ મળ્યો છે. ગત જાન્યુઆરી મહિનામાં રૂા. ૩.૭૧ કરોડનો મિલકત વેરો કરદાતાઓ ભર્યો હતો તેથી મ્યુનિ.કોર્પોરેશનની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. ભાવનગર મ્યુનિ.કોર્પોરેશનના મિલકત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code