1. Home
  2. Tag "News Article"

ચોટિલામાં ચાંમુડા માતાજીના મંદિરમાં બીજા નોરતે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં

વહેલી સવારથી મંદિરમાં દર્શનાર્થીઓની ભારે ભીડ જામી, માતાજીનો ડુંગર રોશનીથી ઝળહળી ઉઠ્યો, નવ દિવસ સુધી માતાજીને વિશેષ શણગાર કરાશે ચોટીલાઃ  સુપ્રસિદ્ધ ચામુંડા માતાજીના મંદિરે નવરાત્રિના પ્રથમ દિવસે ભક્તોની મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી. વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં માતાજીના દર્શન માટે આવ્યા હતા. માતાજીનો ડુંગર રોશનીથી ઝળહળી ઉઠ્યો છે. શ્રદ્ધાળુઓએ આ અદભુત દૃશ્યો […]

ભારતીય શેરબજારમાં લાર્જ-કેપ શેરોની સાથે મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોમાં પણ વેચવાલીનું દબાણ જોવા મળ્યું

મુંબઈઃ ભારતીય શેરબજાર ફ્લેટ બંધ થયા હતા અને સેન્સેક્સ 57.87 પોઈન્ટ અથવા 0.07 ટકા ઘટીને 82,102.10 પર અને નિફ્ટી 32.85 પોઈન્ટ અથવા 0.13 ટકા ઘટીને 25,169.50 પર બંધ થયા હતા. લાર્જ-કેપ શેરોની સાથે મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોમાં પણ વેચવાલીનું દબાણ જોવા મળ્યું. નિફ્ટી મિડકેપ 100 ઇન્ડેક્સ 202.90 પોઈન્ટ અથવા 0.35 ટકા ઘટીને 58,496.60 પર અને નિફ્ટી સ્મોલકેપ […]

વઢવાણમાં પ્રતિબંઘ છતાં પૂર ઝડપે દોડતા ડમ્પરોના ત્રાસ સામે મહિલાઓએ કરી રજુઆત

શિવરંજની સોસાયટીના રહીશોએ ડમ્પરો ત્રાસ અંગે પ્રાંતને આવેદનપત્ર આપ્યુ, ભારે વાહનો પર પ્રતિબંધ હોવા છતાં રોજ 250થી વધુ ડમ્પરો દોડી રહ્યા છે, રોડ પણ જર્જરિત છે, છતાંયે મરામત કરાતો નથી વઢવાણઃ શહેરમાં રેલવે સ્ટેશનમાં આધુનિકીકરણ અંતર્ગત રસ્તાઓ બંધ થયા છે. ત્યારે રેલવે મેદાન પાસેના પાણીના અવાડાથી પિત્રોડા કારખાના તરફ રહેતા તેમજ શિવરંજની સોસાયટીના રહીશો સતત […]

ગાંધીનગરમાં મીટરથી 24 કલાક પાણી આપવાની યોજના સામે વસાહત મહાસંઘનો વિરોધ

ગાંધીનગર વસાહત મહાસંઘે આવેદનપત્ર આપીને રજુઆત કરી, સવારે ત્રણ કલાક પૂરતા ફોર્સથી નિયમિત પાણી આપવામાં આવે તે પર્યાપ્ત છે, પાણીના નળ પર લગાવેલા મીટરના મેઈન્ટેનન્સ ખર્ચાળ અને જટિલ છે, ગાંધીનગરઃ શહેરમાં 24 કલાક મીટરથી પાણી આપવાની યોજનાનો વસાહત મહાસંઘ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. વસાહત સંઘ દ્વારા આવેદનપત્ર આપીને એવી રજુઆત કરવામાં આવી છે કે, […]

EPFOમાં એક મહિનામાં 21.04 લાખ નવા સભ્યો જોડાયા

નવી દિલ્હીઃ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ જુલાઈ 2025 માટે કામચલાઉ પગારપત્રક ડેટા જાહેર કર્યો છે, જેમાં 21.04 લાખ સભ્યોનો ચોખ્ખો વધારો થયો છે. વાર્ષિક વિશ્લેષણ દર્શાવે છે કે જુલાઈ 2024ની સરખામણીમાં ચોખ્ખા પગારપત્રક વૃદ્ધિમાં 5.55%નો વધારો થયો છે, જે EPFOની અસરકારક આઉટરીચ પહેલને કારણે રોજગારીની તકોમાં વધારો અને કર્મચારી લાભો વિશે વધેલી જાગૃતિ દર્શાવે […]

દેશમાં 10 વર્ષમાં 17.90 લાખથી વધુ લોકોને સ્ટાર્ટ-અપ દ્વારા રોજગારી મળી

ગાંધીનગરઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે બે દિવસની સ્ટાર્ટ-અપ પરિષદને ખૂલ્લી મુકી. આ પ્રસંગે સંબોધન કરતાં, અમિત શાહે કહ્યું, દેશમાં ગત એક દાયકામાં સ્ટાર્ટ—અપ ક્ષેત્રમાં અભૂતપૂર્વ વિકાસ થયો છે, જેના પરિણામે ભારત આજે વિશ્વની ત્રીજી સૌથી મોટા સ્ટાર્ટ-અપ માળખું બન્યો છે. અમિત શાહે સ્ટાર્ટ-અપ વ્યવસ્થાને નવા ભારતના કરોડરજ્જૂ સમાન ગણાવી હતી. […]

પ્રાથમિક શાળાઓમાં ધોરણ 3થી 8ની સત્રાંત પરીક્ષા 6ઠ્ઠી ઓક્ટોબરથી લેવાશે

ધો.3થી 8 સુધીની સત્રાંત પરીક્ષા 6 ઓક્ટોબરથી 14 ઓક્ટોબર સુધી ચાલશે, ધો.3થી ધો.5ની પરીક્ષા 40 ગુણની લેવામાં આવશે, ધો.6થી ધો.8ની પરીક્ષા 80 ગુણની લેવાશે અમદાવાદઃ રાજ્યમાં સરકારી શાળાઓમાં ધો.3થી ધો.8 સુધીની સત્રાંત પરીક્ષા 6 ઓક્ટોબરથી 14 ઓક્ટોબર દરમિયાન લેવામાં આવશે. આ પરીક્ષામાં ધો.3થી ધો.5ની પરીક્ષા 40 ગુણની લેવામાં આવશે જ્યારે ધો.6થી ધો.8ની પરીક્ષામાં પ્રશ્ન પત્ર […]

સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ કુલ 253,884 જાહેર સ્થળોની સફાઈ કરવામાં આવી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસના રોજ શરૂ કરાયેલા, “સ્વચ્છતા હી સેવા અભિયાન” દેશભરમાં એક મુખ્ય જનભાગીદારી ચળવળ બની ગયું છે. વિવિધ રાજ્યો અને શહેરોમાં મોટા પાયે સ્વચ્છતા પ્રવૃત્તિઓ ચાલી રહી છે, જેમાં સ્વૈચ્છિક શ્રમ દાન, જાહેર જગ્યા સફાઈ, કચરા વ્યવસ્થાપન અને સ્વચ્છતા-લક્ષિત એકમોનું પરિવર્તન શામેલ છે. આ અભિયાન સ્થાનિક પરિવર્તન પ્રાપ્ત કરવા માટે સ્વચ્છતા-લક્ષિત […]

PMJAY યોજનાનો સાત વર્ષમાં 55 કરોડથી વધારે લોકોએ લીધો લાભ

નવી દિલ્હીઃ આજે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY)ની સાતમી વર્ષગાંઠ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલી વિશ્વની સૌથી મોટી સરકારી ભંડોળ ધરાવતી આરોગ્ય વીમા યોજના, આ યોજનાથી 55 કરોડથી વધુ લોકોને લાભ થયો છે. મંગળવારે, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જેપી નડ્ડાએ X પરના તેમના સંદેશમાં જણાવ્યું હતું કે “આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય […]

ભાવનગરમાં બોર તળાવ 43 ફુટની સપાટીએ છલકાયું, કોંગ્રેસે કર્યા નવા નીરના વધામણા

ઉપરવાસમાં ભારે વરસાદને લીધે બોર તળાવ છલોછલ ભરાતા 7 દરવાજા ખોલાયા, બોર તળાવ છલકાતા ભાવનગરમાં પાણીની સમસ્યા નહીં રહે, સૌની યોજનાનું પાણી પૈસા ખર્ચીને પ્રજાને પીવા માટે મજબૂર કરી: કોંગ્રેસ ભાવનગરઃ શહેરનું બોર તળાવ (ગૌરીશંકર તળાવ) ઉપરવાસમાં વરસાદને લીધે 43 ફુટે છલોછલ ભરાતા 7 દરવાજા ખોલવામાં આવ્યા છે. બોર તળાવ છલોછલ ભરાતા શહેરના કોંગ્રેસના આગેવાનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code